Skip to main content

Posts

Showing posts from April 6, 2018

તા ૦૭/0૪/૨૦૧૮ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરે 2:૦૦ વાગ્યા સુધી ભુજનાં અમુક રસ્તાઓ બંધ રહેશે.

અખિલ કચ્છ જીલ્લા મુસ્લિમ જમાત દ્વારા ૦૭/૦૪/૨૦૧૮ શનિવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરે 2:૦૦ વાગ્યા સુધી ભુજમાં  એક મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે જેથી આ મહારેલી દરમ્યાન ટ્રાફિક નિયમન અને સાવચેતીના ભાગ રૂપે જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજની કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના મુજબ ભુજ શહેરના નીચે મુજબના કોષ્ટક માં જણાવેલ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે. જેની અવેજીમાં  વૈકલ્પિક રસ્તાઓની પણ માહિતી જણાવેલ કોષ્ટકમાં આપેલ છે

મકાન સહાય વધારી 1.20 લાખ કરવા મુખ્યમંત્રીનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગરીબ, વંચિત, પીડિત અને અતિગરીબ-શોષિત સમૂદાયને પણ સરળતાએ પોતીકું આવાસ છત્ર મળી રહે તેવા સંવેદનાસ્પર્શી ઉદાત્ત અભિગમથી ડૉ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં હવેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે રૂ. 1 લાખ 20 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારની આ બે આવાસ યોજનાઓમાં પ્રવર્તમાન મકાન સહાય 70 હજારમાં વધારો કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ 1 લાખ 20 હજાર અપાશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમૂકત જાતિના લાભાર્થીઓને પંડિત દિનદયાળ આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે. વિજય રૂપાણીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની ડૉ. આંબેડકર આવાસ યોજનામાં હાલ મળતી 70 હજારની મકાન સહાયમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ધોરણે 1.20 લાખ સહાય આપવાની જાહેરાત પણ આ સાથે કરી છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ડૉ. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મળવાપાત્ર શૌચાલય બાંધકામ સહાય નિયમાનુસાર અને પાત્રતાને આધિન રહીને અપાશે.

ગુજરાતમાં પાણી નથી, CM રૂપાણી દેશના સૌથી વિશાળ વોટર પાર્કને ખુલ્લો મૂકશે

ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ થઈ રહી છે, વર્ષો પછી ગુજરાતમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે, અમદાવાદ જેવો મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા કાર સર્વિસ કરતા સર્વિસ સેન્ટરોને કાર વોશ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં પાણીના સંકટને પહોંચી વળવા માટે સરકાર અને પ્રજાનો સામુહિક પ્રયાસ થવો જોઈએ, પરંતુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારના રોજ વડોદરા ખાતે શરૂ થઈ રહેલા દેશના સૌથી વિશાળ એન્જોય સિટી વોટર પાર્કનું ઉદ્દ્ઘાટન કરવાના છે. એન્જોય સિટી વોટરપાર્કનો દાવો છે કે દેશનો સૌથી વિશાળ વોટરપાર્ક છે, જેનો સરળ અર્થ પણ તેવો છે કે વિપુલ માત્રામાં પાણીની ખપત પણ થશે, વડોદરાના મહિસાગરના કિનારે થનાર વોટર પાર્ક માટે પાણીનો સ્ત્રોત મહિ નદી હશે અથવા બોર દ્વારા વોટરપાર્ક ભરવામાં આવશે, એક તરફ રાજયના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી, ત્યારે વડોદરાના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે. આશ્ચર્ય તે બાબતનું છે કે પાણી બચાવોની ઝુંબેશ લગભગ તમામ અખબારો ચલાવી રહ્યા છે, પણ તે અખબારમાં વિશાળ રંગીન જાહેરખબર પણ અન્જોય સિટીની આવી રહી છે. કમનસીબી એવી છે કે હાલમાં રાજય

પીએનબી કરતાં પણ મોટું કૌભાંડ આવ્યું સામે, આ કંપનીએ કર્યું 30,000 કરોડનું કૌભાંડ

દિલ્હી અને એનસીઆરમાં નીરવ મોદીનાં પીએનબી કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. રિયલ એસ્ટેટ કંપની SRS ગ્રૂપ પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના આરોપો લગાવાયા છે. રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સૌથી મોટો ગોટાળો હોવાનું મનાય છે. રોકાણકારોનો આરોપ છે કે ગ્રૂપ દ્વારા બેન્ક લોન સહિત રૂ. 30,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કંપની સામે 22 જેટલા કેસ કરાયા છે. હરિયાણા પોલીસે SRS ગ્રૂપના ચેરમેન અનિલ જિંદાલ સહિત પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં બિશન બંસલ, નાનકચંદ તાયલ, વિનોદ મામા અને દેવેન્દ્ર અધાનાનો સમાવેશ થાય છે. ગ્રૂપ દ્વારા બેન્કો પાસેથી કરોડોની લોન લીધા પછી તેને પરત ન ચૂકવાઈ હોવાનો આરોપ છે. લોકોને ફ્લેટનું વચન આપીને કરોડો ખંખેરી લીધા ગ્રૂપના ચેરમેન અને અન્ય અધિકારીઓ સામે ફરીદબાદમાં ફરિયાદ કરાયાના એક મહિના પછી પોલીસે પાંચ આરોપીઓને પકડયા હતા. આરોપીઓએ લોકોને ફ્લેટ આપવાનું વચન આપીને તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ગુપ્ત બાતમીને આધારે પોલીસે મહિપાલપુરમાં એક હોટેલમાંથી 4 એપ્રિલે મોડી રાત્રે પાંચેયને પકડયા હતા. પોલીસે ફ્લેટ લેવાનાં બહાને જેમણે

યુપીમાં ભાજપની સરકાર બાદ 10 મહિનામાં એક હજાર એન્કાઉન્ટર, બે હજારથી વધુ આરોપીઓ જેલમાં

યુપીમાં ભાજપની સરકાર બન્યા પછી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે છેલ્લા 10 મહિનામાં એક હજાર એન્કાઉન્ટર કર્યા છે. આ સમય ગાળા દરમ્યાન બે હજારથી વધારે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. યુપીમાં સંગઠિત ગુના પર કાયદાકીય ગાળીયો કસવા માટે યોગી સરકારે તાજેતરમાં યુપી કોકા બિલને વિધાનસભામાં મંજૂરી મળી છે. અગાઉ યોગી આદિત્યાનાથે જણાવ્યુ હતુ કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો યુપી છોડીને જતા રહે અથવા જેલમાં જવા તૈયાર રહે એક આંકડા પ્રમાણે યુપીમાં કુલ 895 પોલીસ અને ગુનેગારો વચ્ચે અથડામણ થઈ છે. સૌથી વધારે 358 અથડામણ માત્ર મેરઠ જિલ્લામાં થઈ છે. આગરામાં 175 અથડામણ થઈ છે. તો બરેલીમાં 149 અથડામણ થઈ હતી. અથડામણ દરમ્યાન 2186 ગુનેગારોની ધરપકડ કરી છે. યુપી પોલીસે 10 મહિનામાં 26 ખુંખાર ગુનેગારોને ઠાર માર્યા છે. જેમા સૌથી વધારે 17 ગુનગારોને મેરઠમાં ઠાર મારવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોરખપુર ઝોનમાં પોલીસે 24 અને લખનઉમાં 27 અને વારાણસી ઝોનમાં 39 એકાઉન્ટર કર્યા છે.  પોલીસે 110 ગુનેગારો સામે રાસુકા લાગુ કર્યું છે. તો 123 ગુનેગારોની સંપત્તી જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે યુપીની છબી સુધારવા માટે યોગી સરકાર પો

ભારતીય જનતા પાર્ટીનો આજે 39મા સ્થાપના દિવસની દેશભરમાં જોરશોરથી ઉજવણી

કેન્દ્ર સિવાય 21 રાજ્યોમાં સત્તાની કમાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે 39મો સ્થાપના દિવસ છે. જેથી ભાજપના કાર્યકરો દેશભરમાં સ્થાપના દિવસની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે. સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભાજપના કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદી પાંચ સંસદિય વિસ્તારમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. તેઓ નમો એપ્લિકેશન દ્વારા કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઈમાં 3 લાખ કાર્યકર્તાઓને  સંબોધિત કરશે. અમિત શાહની સભામાં 28 ટ્રેન અને 5 હજાર જેટલી બસોમાં સવાર થઈને ભાજપના કાર્યકર્તાઓ મુંબઈ પહોંચી રહ્યા છે. અમિત શાહ જનસભા બાદ એક પ્રેસ કોન્ફસનસ સંબોધશે.

બેન્કમાં તમારા 100 રૂપિયામાંથી 29.5 રૂપિયા જ સલામત

ભારતની તમામં બેન્કોમાં જમા કરવામાં આવેલા આપણા રૂપિયામાંથી કેટલા રૂપિયા સલામત છે તેનો ચોંકાવનારો સર્વે થયો છે. આપણને આ જાણીને તમ્મર આવી જાય તેમ છે, કારણ કે આપણા રૂપિયાનો ક્યાં કેટલો અને કેવો વહીવટ થાય છે તેની જાણ આપણને ખુદ થતી નથી. હાલ ભારતની બેન્કોમાં લોકોના 103 લાખ કરોડ રૂપિયા જમા છે જે પૈકી 29.5 ટકા રકમ જ સલામત છે. આ બાબતનો ખુલાસો ખુદ ભારતીય રીઝર્વ બેન્કે કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર 2017 સુધીમાં બેન્કોમાં લોકોના 103 કરોડ રૂપિયા જમા છે. આ રૂપિયામાંથઈ 30.50 લાખ કરોડ રૂપિયા જ સલામત છે. એટલે કે જો દેશની બેન્કો ડૂબી જાય તો એ હાલતમાં તમને 103 કરોડ રૂપિયાની ડિપોઝીટમાંથી માત્ર 30.50 લાખ કરોડ રૂપિયા જ મળી શકશે. બાકીની રકમ તમને મળશે નહીં. આની પાછળનું કારણ એવું છે કે અત્યારે બેન્કોમાં લોકોની જમા રકમ પર સરકારે એક લાખ રૂપિયા સુધીની ઇન્સ્યોરન્સ ગેરંટી આપી છે. ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ કાનૂન પ્રમાણે જો કોઇ ભારતીય બેન્ક ડૂબી જાય છે તો તેના ગ્રાહકોને બેન્કમાં રાખેલા તમામ રૂપિયા મળશે નહીં. જેના બદલે ગ્રાહકને એક લાખ રૂપિયા મળશે. તમારા વધુ રૂપિયા

દેશની બેન્કોમાં ક્રિપ્ટો કરન્સીની લેણ-દેણ પર RBIનો પ્રતિબંધ

ભારતમા હવે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીની ટ્રેડીંગ નહીં થઇ શકે, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. બેન્ક સહિતની તમામ નાણાકીય સંસ્થાઓ વર્ચ્યુઅલ કરન્સીઝ માટેનું ટ્રેડીંગ માધ્મય બનશે નહીં. આરબીઆઇનો આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ 2018-19ની પહેલી મોનિટરી પોલિસીમાં કહ્યું છે કે બેન્ક, વોલેટ અને અન્ય સંસ્થાઓ દ્વારા રેગ્યુલેટેડ કોઇપણ એન્ટીટી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને વેચવા કોઇપણ વ્યક્તિ કે બિઝનેસ એન્ટીટી સાથે ડીલ નહીં કરી શકે. આ સાથે એવી સર્વિસ પણ ઉપલબ્ધ કરાવી શકશે નહીં. આ આદેશ સાથે આરબીઆઇ દ્વારા રેગ્યુલરેટ ઇ-વોલેટ અને અન્ય એન્ટીટીઝ પર ક્રિપ્ટોકરન્સીના વેચાણ અથવા તો ખરીદી પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ તેના એકાઉન્ટથી ક્રિપ્ટો ટ્રેડીંગ વાલેટ્સમાં પૈસા પણ ટ્રાન્સફર કરી શકશે નહીં. આરબીઆઇએ પોલિસી પછી મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્ચ્યુઅલ કરન્સીમાં મોટા ચઢાવ-ઉતાર જોવામાં આવી રહ્યો છે. એવામાં રોકાણકારોને નુકશાન થઇ શકે છે. આ કારણથી આરબીઆઇ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પર વર્ચ્યુઅલ કરન્સીના કોઇપણ લેણ-દે