Skip to main content

Posts

Showing posts from June 20, 2018

બદલાવનું સ્વપ્ન જોતા યુવા વિધ્યાર્થીઓ માટે અનોખું અભિયાન મિસાલની ભુજમાં શરૂઆત..

સમાજ તેમજ દેશની વર્તમાન પરિસ્થિતિમાં હકારાત્મક પરિવર્તન લાવવા ઓએસીસ સંસ્થા દ્વારા 9 થી 12 ધોરણના વિધ્યાર્થીઓ અને કોલેજ કક્ષાના યુવાનોમાં રહેલી ક્ષમતાને બહાર લાવી તેઓ સ્વ વિકાસ સાથે પોતાનું સક્રિય અને રચનાત્મક યોગદાન આપે તે હેતુથી મિસાલ નામના કાર્યક્રમનું આયોજન ભુજ સહિત નવસારી, સુરત, બારડોલી, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને બેંગલૂરૂ ખાતે તા. 18 જુનથી શરૂઆત થયેલ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 18 જુન થી 29 જુલાઈ સુધી ચાલનારા આ અનોખા આયોજનની માહિતિ આપતાં સંયોજક પ્રતિકસિંહ પરમારે જણાવ્યું હતું કે આ અભિયાન એવા કિશોરો, યુવાનોને શોધવા માટે છે કે જેમના દિલમાં સમાજ-દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને અન્યોને માર્ગદર્શન આપતાં પહેલાં પોતાની જાતને ઉદાહરણરૂપ બનાવવા તૈયાર હોય. ત્રણ ભાગમાં યોજાનાર આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેમાંથી સફળ થનાર વિધ્યાર્થીઓને બીજા તબક્કામાં ગ્રુપ ડાયલોગ (જુથ સંવાદ) તથા ત્રીજા તબક્કામાં પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. વિજેતા વિધ્યાર્થીઓને સંસ્થા દ્વારા સંચાલિત મહાન બનવાની કેળવણી આપતો કોર્ષ, ટ્રેકીંગ શિબિર, જીવન વિકાસ માટેનું

લખપતની સીટ પર કબ્જાની સાથે કચ્છની દસેય તાલુકા પંચાયતમાં ભાજપે કર્યો કબ્જો..

કચ્છમાં ૧૦ માંથી માત્ર એકજ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી અને એ હતી લખપત. પરંતુ આજે એના સમીકરણો પણ બદલાઈ ગયા છે અને કોંગ્રેસ પાસે રહેલી કચ્છની આ એકમાત્ર સીટ પણ હવે ભાજપ ના કબ્જા હેઠળ આવે ગઈ છે. કુલ 16 સભ્યો ધરાવતી લખપત તાલુકા પંચાયતમાં 9 સદસ્યો કોંગ્રેસના અને 7 સદસ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. આજે એટલે કે તા. ૨૦-૬-૧૮ના રોજ તાલુકા પંચાયતના  પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પાનધ્રો-3 બેઠક પરથી ચૂંટાયેલાં કોંગ્રેસના સભ્ય વિણાબેન બાબુલાલ અસારીએ ભાજપને ટેકો આપતાં બંને પક્ષના ઉમેદવારોને 8-8 મત મળ્યાં હતા. હવે આ બાબત ને લીધે નિયમ મુજબ ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાનો હતો જેમાં ભાજપે બાજી મારી હતી અને અહી પણ ભાજપનું શાશન આરૂઢ થયું હતું. હવે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના નૂરબાઈ હાસમ મંધરા અને ઉપ પ્રમુખ તરીકે વિક્રમસિંહ સોઢા ચૂંટાઈ આવ્યાં છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97

કચ્છી પ્રોડ્યુસર નિશાંત ઠક્કરની ગુજરાતી ફિલ્મ "છૂટી જશે છક્કા" આગામી 22 મી તારીખે થશે રિલીઝ..

અર્બન ગુજરાતી ફિલ્મ "છૂટી જશે છક્કા" આગામી 22 મી તારીખે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ના પ્રોડ્યુસર નિશાંત ઠક્કર એ કચ્છી છે. આ એક એવી પ્રથમ ફિલ્મ છે કે, જેનું નિર્માણ કોઈ કચ્છી પ્રોડ્યુસરે કર્યું હોય. આ ફિલ્મ અંગે માહિતી આપવા માટે આજરોજ ભુજમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ ફિલ્મ નું નામ છે "છૂટી જશે છક્કા". આ ફિલ્મ રોમાન્સ, સટ્ટા અને ક્રિકેટ પર બનાવાયેલી ફિલ્મ છે. કચ્છના યુવરાજવીર મોશન પિક્ચર ના બેનર હેઠળ આ ફિલ્મ બનાવાયેલી છે. આ ફિલ્મ અંદાજિત ત્રણ કરોડ ના ખર્ચે બનાવવામાં આવી છે. ફિલ્મ નું 70 ટકા શૂટિંગ ભાવનગર માં અને 30 ટકા શૂટિંગ અમદાવાદ માં થયું છે. માત્ર એક જ મહિના માં ફિલ્મનું શૂટિંગ થયું છે. હાલ માં, અર્બન ગુજરાતી મુવી નો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ગુજરાત ના લોકોએ ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. બાળકોથી માંડીને વડીલો સુધી તમામ લોકો આ ફિલ્મ નિહાળી શકે છે. આ ફિલ્મ મુંબઈ અને ગુજરાત ની 125 સ્ક્રીન પર 22 મી જૂનના રોજ રિલીઝ થશે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb

અંજારના નવા બસ સ્ટેશન ની કામગીરી હવે અંતિમ તબક્કા માં પહોચી..

ઐતિહાસિક શહેર અંજાર ખાતે અદ્યતન સુવિધા ઓ ધરાવતું બસ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. આ બસ સ્ટેશન ની કામગીરી અત્યારે પુરજોશમાં શરૂ છે અને બસ સ્ટેશન ને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. વાત કરીએ આ બસ સ્ટેશન ની તો, આ બસ સ્ટેશન કુલ 1 કરોડ 92 લાખ ના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. આ બસ સ્ટેશનમાં તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અંજાર ના નવા બસ સ્ટેશનમાં ડેપો મેનજર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર - કંડકટર રેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ, કેન્ટીન, બુકીંગ સેન્ટર ની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત ખાસ કિસ્સામાં આ બસ સ્ટેશન માં 8 સ્ટોલ બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે 2 - 3 સ્ટોલ બસ સ્ટેશનમાં જોવા મળતા હોય છે. આ બસ સ્ટેશનમાં 8 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેશનમાં એલઇડી અક્ષરોમાં બસ ના સમયપત્રક દર્શાવવામાં આવશે. પ્રવાસીઓની સુવિધાઓ માટે બસ સ્ટેશનમાં એલસીડી ટીવી પણ લગાવવામાં આવશે. કચ્છમાં અવારનવાર નાના - મોટા ભૂકંપ ના આંચકા ઓ આવતા આ બસ સ્ટેશનનું બાંધકામ ભૂકંપ પ્રુફ બનાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓની સલામતી જળવાઈ રહે. સૂત્રો માંથી મળેલી માહિતી અનુસાર, અંદાજિત એક મહિના માં જ આ બસ સ્ટેશનનું કામ પૂર્ણ કરી

ગાંધીધામ યાર્ડમાં ચાલતી ટ્રેન પર પથ્થર ફેંકાયો, એસી કોચની બે બારી તૂટતાં ફરિયાદ..

ગાંધીધામ-બાંદરા વચ્ચે દોડતી એસી સુપરફાસ્ટ ટ્રેન પર કોઈ અટકચાળાં શખ્સે પથ્થર મારતાં એસી કોચના બે કાચ તૂટી ગયાં છે. ગત રાત્રે ગાંધીધામ યાર્ડ નજીક આ બનાવ બન્યો હતો. સદભાગ્યે કોઈ પ્રવાસીને કશી ઈજા થઈ નહોતી. તસ્વીર માત્ર પ્રતીકાત્મક બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસે વિજય જીવાભાઈ જાદવ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સામે ઈન્ડિયન રેલવે એક્ટ 150 એ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. રેલવે પોલીસે જણાવ્યું કે ટ્રેન ગાંધીધામથી બાંદરા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવો ગંભીર કૃત્ય છે. આરોપીએ કયા આશયથી આ કૃત્ય આચર્યું હતું તે અંગે તેની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા :  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર  ,  ઘી 800 રૂપિયા કિ

ભુજ શહેર LCB એ ભુજ માંથી ૬ કિલ્લો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો..

મળતી માહિતી અનુસાર ભુજ શહેરના અંજલી નગર માંથી રહેણાંક ના મકાન માંથી અશ્વિન ભુચીયા નામક શખ્સના ઘરે થી ૬ કિલો ગાંજો મળી આવ્યો છે. ભુજ શહેર LCB ને મળેલી બાતમીને આધારે રેઈડ પાડતા અશ્વિન ના કબ્જા માંથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આરોપી અશ્વિન ને LCB પોલીસે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા :  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર  ,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર :  15 રૂપિયામાં 20 લીટર

માંડવીના શેરડી ગામે શિક્ષકે ઠપકો આપતા તરૂણ વિદ્યાર્થીનો આપઘાત

માંડવીના શેરડી ગામે લેસન બાબતે શિક્ષક દ્વારા અપાયેલા ઠપકાને પગલે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી છવાઇ છે દસમાં ધોરણમાં ભણતા રામ દામજીભાઇ સંઘાર નામના તરૂણ વિદ્યાર્થીએ પોતાના ઘેર લાકડાની આડીમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.  મૃતક ભાડઇ ગામની માધ્યમિકશાળામાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પિતાએ લેસન બાબતે મળેલા ઠપકાને પગલે પોતાના પુત્રએ આપઘાત કર્યો હોવાનું જણાવીને શિક્ષકો ઉપર ઠપકામાં આક્ષેપ મુકયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

વિકાસથી વંચિત મુંદ્રાના જૂના બંદરે વહણવટાના ઉદ્યોગની માઠી દશા

ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના મુંદરાના જૂના બંદરને વહાણવટી ઉદ્યોગ દ્વારા આયાત નિકાસના ક્ષેત્રે વધુ ઉંચાઈએ લઈ જવા પાયાની જરૃરીયાતો વધારવા સ્થાનિક પોર્ટ યુસર્ઝ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે. આ બંદરે વહાણોની નિયમિત અવરજવર ચાલુ રહી શકે તે માટે જુના બંદરથી  જેટી, વાર્ફ વોલના વિસ્તાર તેમજ જેટીથી ચેનલના પુર્વ તરફનાં છેવાડા સુધી અંદાજીત દોઢ કી.મી.ના ચેનલ વિસ્તારોમાં લોસાઈડમાં નિયમિત ૪ થી પ મીટરનો ડ્રાફટ સતત મળતો રહે તો જ લોડીંગ અનલોડીંગના સમયમાં બચત થાય તેમ છે.  આ માટે દરિયાકિનારે જેટી પાસે ઉંડુ ડ્રેજિંગ કરવા માંગ કરવામાં આવી છે. હાલનાં તબક્કે વહાણોની અવરજવરનાં સમયે ફક્ત હાઈ ટાઈડના ૩ થી ૪ કલાક જ  મળતા હોવાથી આ બંદરે સમય અને નાણાનો વેડફાટ થાય છે. પરિણામે આયાત-નિકાસમાં આ બંદરને પુરતો ધંધો મળતો નથી. આ બંદરના વહાણોની આયાત નિકાસના માલસમાનની  આવક સરકારને મળે છે. છેલ્લા ૩ વર્ષાૃથી મુંદરાના જુના બંદરેાથી વહાણો દ્વારા માલસમાનના આયાત નિકાસમાં ઈ.ડી.આઈ. સીસ્ટમ(ઈલેક્ટ્રોનિ ડેટા ઈનરચેન્જ)ની સુવિાધાને લીધે આ બંદર પ્રગતિ કરી શકે છે. પણ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ આ બંદર વિકાસ પ