Skip to main content

Posts

Showing posts from April 16, 2018

ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ..

ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 8758 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિદ્યાર્થીઓ ને ખાદીના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના દયાપર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેર પર્સન છાયાબેન ગઢવી સહીત ના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાની 106 જેટલી શાળાઓના છાત્રોને વિદ્યાર્થી દીઠ બે ગણવેશ એમ કુલ્લ મળીને 17536 ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. રૂપિયા 1,42 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આ પોલીવસ્ત્રોનું વિદ્યાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રંસગે કચ્છની શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : કૌશિક છાયા - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260

કઠૂવા, ઉન્નાવ અને સુરત દુષ્કર્મ કાંડ મામલે કચ્છ કલેકટરને અપાયું આવેદન પત્ર..

કઠૂવા અને ઉન્નાવ અને સુરત દુષ્કર્મ કાંડ ના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને એકલનારી શક્તિ મંચ દ્વારા ભુજમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્રણેય દુષ્કર્મ કાંડ માં સંડોવાયેલા આરોપીની ઝડપથી ધરપકડ થાય અને ન્યાયિક તપાસ સાથે આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગ સાથે જિલ્લા કલેકટર વતી માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જઘન્ય અપરાધમાં અમુક રાજકારણીઓ અને પોલીસકર્મી ઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે. ત્યારે આ કેસમાં ન્યાયિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગણી કરી હતી. અહેવાલ - કૌશિક છાયા - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ તાલુકાના મીરઝાપર ગામની પાણીની સમસ્યા અંગે ખાસ અહેવાલ..

ભુજ તાલુકામાં સમાવિષ્ટ ગામ " મીરઝાપર "ની ગણના તો સમૃદ્ધ ગામ તરીકે થાય છે. આ ગામની ગણના કચ્છના સમૃદ્ધ ગામોમાં થાય છે.સાથેસાથે ગુજરાતના સમૃદ્ધ ગામ માં પણ તેની ગણના થાય છે. મીરઝાપર ગામની વસ્તી અંદાજીત 12,000 છે. આ ગામ મુખ્યત્વે  પટેલ ચોવીસી ના ગામ તરીકે ઓળખાય છે. ગામ માં મોટાભાગે પટેલ પરિવારો વસે છે. મીરઝાપર ગામના મોટાભાગના પરિવારો ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયેલા છે. સમૃદ્ધ ગામ તરીકે ગામમાં તમામ પાયાની સુવિધાઓ જોવા મળે છે. આ ગામને "સ્વચ્છતા અભિયાન" હેઠળ એવોર્ડ પણ મળી ચુક્યો છે. પરંતુ, આ ગામ આટલું સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની સમસ્યા ખૂબ તીવ્ર છે અને એક જટિલ પ્રશ્ન છે. મીરઝાપર ગામની પાણીની સમસ્યા અંગે જાણવા, મા આશાપુરા ન્યૂઝ ની ટીમે ગામની મુલાકાત લીધી અને આ ગામની પાણીની સમસ્યા જાણી. તો આવો જાણીએ શુ છે આ સમૃદ્ધ ગામની સમસ્યા ???? (૧) મીરઝાપર ગામમાં દર સાત થી આઠ દિવસે લોકોને પાણી મળે છે અને આ પાણી પીવાલાયક નથી કારણ કે, ગામ માં આવતું પાણી દૂષિત અને કાયા વાળું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (૨) આ ગામમાં બોર અને નર્મદા કેનાલ વડે પાણી પહોચાડવામાં આવે છે. પરંત

મંગળ પર જશે વિશ્વનું સૌથી શકિતશાળી રોકેટ 'ફાલ્કન હેવી'..

રોકેટનું કુલ વજન ૬૩.૮ ટન, લંબાઇ ૨૩૦ ફુટ.. ૧ લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે.. નાસા માટે અંતરિક્ષ ઉપકરણ બનાવતી વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ કંપની 'સ્પેસ એકસ' આજે વિશ્વનું સૌથી શકિતશાળી સ્પેસ રોકેટ લોન્ચ કરવા જઇ રહી છે. સૌથી 'શકિતશાળી' મનાતુ આ રોકેટનું નામ 'ફાલ્કન હેવી' છે. તેને ફલોરિડામાં આવેલા નાસા ના જ લોન્ચ પેડ પરથી સ્પેસમાં મોકલવામાં આવશે. તે પૃથ્વીની ઓર્બિટથી મંગળની ઓર્બિટ સુધી ચક્કર લગાવતું રહેશે. આ સ્પેસ રોકેટનું કુલ વજન ૬૩.૮ ટન છે જે બે સ્પેસ શટલના વજનની બરાબર છે તેમાં ૨૭ મર્લિન એન્જીન લાગ્યા છે. જે ત્રણ ફાલ્કન ૯ રોકેટની બરાબર છે. આ રોકેટ ૨૩૦ ફુટ લાંબુ છે. જેમાં અંદાજે એક લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે.  ઉલ્લેખનીય છે કે, ફાલ્કન હેવી રોકેટ કોઇ વ્યકિતને નહિ પરંતુ એક સ્પોર્ટસ કારને અંતરિક્ષમાં લઇ જશે. તેની સાથે જ ટેસ્લા રોડસ્ટર વિશ્વની પ્રથમ કાર બની જશે. જે મંગળના ઓર્બિટમાં પ્રવેશ કરશે. એક અંતરિક્ષ વૈજ્ઞાનીકે જણાવ્યું કે, નાસા ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ લોકોને ચંદ્ર અને મંગળ પર મોકલવામાં કરી શકે છે. આ રોક

ક્રૂડની કિંમત વધીને 72 ડોલર ૫હોંચી, હજૂ 80 ડોલર થશે : પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા થશે તેવી શક્યતા..

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલા બાદથી વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડ માર્કેટ પર જોવા મળી. ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 72 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ છે. ઉપરાંત ગ્લોબલ ટેન્શનના કારણે ઇન્ડિયન બાસ્કેટની કિંમત વધીને 40 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે.  ત્યારે હજુ સંભાવના દર્શાવાઇ છે કે ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. સીરિયામાં ચાલી રહેલા તણાવથી પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ચુકી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરજો ભાવ બાંધણાની પ્રક્રિયાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ સતત વધી રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે ઘેરા બની રહેલા સંકટના કારણે આ કિંમત હજુ પણ ઉંચકાવવાની શક્યતા છે. સીરિયા પર હુમલા બાદ અમેરિકા અને રશિયાની વચ્ચેનો તણાવ એટલો વધી ગયો છે કે જાણકારોને ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ સંભળાવવા લાગી. સીરિયામાં ચાલી રહેલા તણાવની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર જોવા મળી રહી છે. 2014 બાદ ક્રૂડ ઓઇલની કિંમત સૌથી ઉંચાઇ પર છે. રિસર્ચ ફર્મ જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા દ્વારા સીરિય