કઠૂવા અને ઉન્નાવ અને સુરત દુષ્કર્મ કાંડ ના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને એકલનારી શક્તિ મંચ દ્વારા ભુજમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્રણેય દુષ્કર્મ કાંડ માં સંડોવાયેલા આરોપીની ઝડપથી ધરપકડ થાય અને ન્યાયિક તપાસ સાથે આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગ સાથે જિલ્લા કલેકટર વતી માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જઘન્ય અપરાધમાં અમુક રાજકારણીઓ અને પોલીસકર્મી ઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે. ત્યારે આ કેસમાં ન્યાયિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગણી કરી હતી.
અહેવાલ - કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment