Skip to main content

Posts

Showing posts from July 28, 2018

શાળા-કોલેજોમાં હવે નવલી નવરાત્રીમાં પડશે 9 દિવસની રજાઓ...

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન તા. ૧0 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ૨૦૧૮ સુધી 9 દિવસ શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે કે ન તો તેમનો અભ્યાસ બગડે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37

જેંતી ભાનુશાલીના દુષ્કર્મ કાંડ અંગે મનીષાબેન ગોસ્વામીએ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં કરી રજૂઆત.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની લંપટલીલાનો ભોગ બનેલી મનીષા ગોસ્વામીએ સાબરમતી મહિલા જેલમાથી જયંતીના દુષ્કર્મ કાંડ અંગે ગુજરાત હાઇકોર્ટમાં  રજૂઆત કરી છે,જેમાં જણાવ્યુ છે કે.હું જેલ માં આપઘાત કરું તો જયંતી ભાનુશાલીને જ તેનો જવાબદાર ગણવો.તે અત્યંત વગદાર વ્યક્તિ હોવાથી પોલીસ કોઈ પગલાં લેતી નથી.તેમજ મનીષા ગોસ્વામીએ એવા પણ આક્ષેપો કર્યા છે કે,મને જેલ માં માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મને જામીન પર પણ છૂટવા દેવાતી નથી. નરોડા પોલીસે પણ ગેરકાનૂની રીતે મારી ધરપકડ કરી હતી.તેમજ આ મહિલા એ એવા પણ આક્ષેપો કર્યા છે કે તેના પતિને જયંતી ભાનુશાલીએ છેલ્લા દોઢમાસ થી ગુમ કરી દીધેલ છે.જેથી મનીષાબેન ગોસ્વામીએ રજૂઆતમાં જયંતી ભાનુશાલી જેવા નરાધમના ત્રાસમાથી તેમજ અન્ય મહિલાઓ જે તેનો ભોગ બનેલી છે ન્યાય અપાવવા માંગ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ

માંડવીના સલાયા વિસ્તારમાં મુસ્લિમ યુવકની કરપીણ હત્યા.

બંદરીય શહેર માંડવીમાં આવેલા સલાયા વિસ્તારમાં ૩૮ વર્ષના સલિમ ઈબ્રાહિમ ચૌહાણ નામના  મુસ્લિમ યુવકની કરપીણ હત્યા છરીના ઘા મારીને આરોપીઓએ યુવાનને મોતને ઘાટ ઉતારયો.ટુ વ્હીલર વાહનની ટક્કર મારવા મુદે યુવાનની નજીવી બાબતે હત્યા કરતાં માંડવી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ડીવાયએસપી પટેલ માંડવી મરીન ખાતે ઘટનાની જાણ થતાં દોડી ગયા છે.વધુ તપાસ તેજ કરાઇ છે. આ ઘટનામાં બે આરોપીઓની અટક કરવામાં આવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર