Skip to main content

Posts

Showing posts from January 27, 2018

ભચાઉ હત્યા ઉપરથી મોબાઈલ ફોને ઊંચક્યો પડદો

🖋 છાડવારા સીમમાં બળી ગયેલ રિક્ષા અને હાડપિંજર પ્રકરણમાં દારૂ જવાબદાર. ભચાઉ તાલુકાનાં છાડવારા ગામની સીમમાં બળી ગયેલ હાલતમાં ઓટો રીક્ષા સાથે માનવ હાડપિંજર મળી આવેલ જે મરણ જનાર જયદીપગીરી ઉર્ફે દિપક મહેન્દ્રગીરી ગુંસાઈ વાળાની હોઈ જેનો મોબાઈલ ફોન શંકર વશરામ કોલી રહે. ભચાઉ વાળા પાસે હોવાની બાતમી મળતાં (Advertisement)  પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસ નો કાફલો ભચાઉ માં મેઈન બજાર શાળા ન 1 ની બાજુમાં ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ મકાનમાંથી શંકર વશરામ કોલી ની ઝડતી લેતાં તેની પાસેથી જયદીપ ઉર્ફે દિપક નો મોબાઈલ મળી આવતા પોલીસે ઉલટ તપાસ કરતાં શંકર કોલીએ ગુન્હો કબૂલી લીધો હતો . શંકર કોલીએ કબુલ્યું હતું કે તેનો ભાઈ નિલેશ અને  જયદીપ ઉર્ફે દિપક દારૂના રવાડે ચડી ગયા હતા , એટલે પોતાનાં ભાઈ ને દારૂ ના રવાડે ચડાવનાર જયદીપગીરી ગુંસાઈ ને સબક શીખવાડવા રાતે વાડીમાં લઈ જઈ ત્યાં તેનું ખૂન કાર્યનું કબૂલી લેતાં , કચ્છમાં ચકચાર જગાવનાર હત્યા ઉપરથી પડદો ઊંચકાયો હતો. તસ્વીર અને અહેવાલ : વિનોદ સાધુ , ભચાઉ . - - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33,

કરવાની ચ્હા ખપે , ચા વાળાએ ૨૦ હજારનું દાન કર્યું

🖋 ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને ભુજનાં ચા વાળાએ ૨૦ હજારનું આપ્યું દાન. (છગનભાઈ અને પરિવાર પાસેથી અનુદાન સ્વીકારતાં લાયન અભયભાઈ શાહ) (મા ન્યુઝ , 27 જાન્યુઆરી, 9:35 ) - એક કહેવત છે મન હોય તો માળવે જવાય , બીજી કહેવત છે નસીબમાં હોય તો જ દાન કરી શકાય . અત્યારે આ બંને કહેવત ભુજના એક દિલેર અને ઉદાર ચા વાળા ડુડિયા ભાઈને લાગુ પડે છે. લોકોએ કાલે ૨૬ મી જાન્યુઆરી ને અલગ અલગ રીતે ઉજવી હશે , કોઈકે દવજ ફરકાવીને , કોઈકે દવજને સલામી આપીને , કોઈકે બાળકોને મીઠાઈ આપીને , કોઈકે પોતાનાં ગામ અને શહેરમાં સફાઈ કરીને, કોઈકે કોઈકનાં આંસુ લૂછીને , અને કોઈકે પોતાની આવકનો અમુક હિસ્સો કાઢી એવા લોકોને મદદ કરી હશે કે જેમને તેઓ ઓળખતા પણ નહીં હોય.  ( Advertisement ) હા, આવુંજ જ દાન ભુજના  ચાની કેબીન ચલાવતા  શ્રી છગનભાઇ ડુડીયાએ ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને આપ્યું, ભુજની લાયન્સ હોસ્પિટલ દાતા અને દર્દી વચ્ચે એક મહત્વનાં સેતુ (રામ સેતુ) તરીકે કામ કરી રહી છે. છગનભાઈએ રૂા.૨૦,૦૦૦નુ  અનુદાન આપ્યુ , પણ એ અનુદાન ક્યા દર્દીને ઉપયોગી થશે એ છગનભાઈને નથી ખબર , આમ એક અર્થમાં નરસિંહ મહેતાનું ભજન જ અહીં સાર્થ