Skip to main content

Posts

Showing posts from September 24, 2018

પત્નીને સળગાવી નાંખનાર નરાધમ પતિને આજીવન સખત કેદ અને દંડ

કેરોસીન છાંટી પત્નીને સળગાવી નાંખનાર નરાધમ પતિને આજીવન સખત કેદ ભુજ તાલુકાનાં માધાપર ગામમાં કારીમોરી સોનલ કૃપા એજન્સી નવાવાસ ખાતે રહેતી  લક્ષ્મીબેન રામજી કોલી ને એનો પતિ રામજી ઉર્ફે પપુ મામદભાઈ ઈભલાભાઈ કોલી ઉ.વ. ૨૫ એ  ગત ૧૦.૧૨. ૨૦૧૬ નાં રાત્રે દસેક વાગ્યાના અરસામાં કેરોસીન છાંટી સળગાવી નાંખતા ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મીબેન રામજી કોલીનું ૨૪.૧૨.૨૦૧૬ નાં મોત થયું હતું , જેની કાયદાકીય તપાસ ભુજ બી ડિવિઝન નાં પી.આઈ. વી.કે.ખાંટ ચલાવી રહ્યા હતા . આ કેસ કોર્ટમાં જતાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ ધારદાર દલીલો કરતાં , મુખ્ય જિલ્લા ન્યાયધીશ એમ.એમ.ગાંધીએ અપરાધી રામજી મામદભાઈ કોલી ને આજીવન સખત કેદ તેમજ દંડની સજા ફરમાવી હતી , ભુજ કોર્ટના આ ધારદાર ચુકાદામાં એવો પણ ઉલ્લેખ છે કે જો આરોપી દંડ ની રકમ ૨૦૦૦  ન ભરે તો વધુ ૩ માસની સખત કેદ ફટકારવામાં આવી હતી. મૃતક પરિણીતા લક્ષ્મીબેન મરણોત્તર નિવેદનમાં લખાવ્યું હતું કે એનાં દિયર એક્સિડન્ટ નાં કલેમ નાં રૂપિયાની વહેંચણી બાબતે અવારનવાર એનો પતિ રામજી એને મારકૂટ કરતો હતો, બનાવનાં દિવસે એનો પત

અંજાર માં હત્યાનો સતત બીજો બનાવ

અંજાર માં હત્યાનો સતત બીજો બનાવ વરસામેડી ગામની સીમમાં બેનસો માં અંગત અદાવતમાં હત્યા આરોપીએ ગઈકાલે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનના માથામાં લાકડી ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સારવાર દરમ્યાન યુવકનું મોત થતા બનાવ હત્યા માં પલટાયો ગણતરીના બે કલાકોમાં હત્યા ના બે બનાવથી કાયદા ના રક્ષકોમાં દોડધામ અંજાર પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા અંજાર શહેર માં ગાયત્રી ચાર રસ્તા પાસે એક આધેડ ની તિક્શણ હથિયાર વડે હત્યા નિપજાવી છે. રામજીભાઈ પ્રજાપતિ ઊ. 65.જે ગાયત્રી ચાર રસ્તા પાસે એક ચા ની હોટેલ માં કામ કરતાં હતાં. સુત્રો ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 4:30 ના સમયે રામજીભાઈ પ્રજાપતિ ચા ની હોટેલ નુ સટર ખોલી સાફસફાઈ કરતા હતાં તયારે કોઈ અજાણ્યા શખ્સો આવીને તેમના પર હુમલો કરી હત્યા નિપજાવી છે. પોલીસ ના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ નુ કારણ જણાયું નથી. બોડી ને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તસવીર અને અહેવાલ : નિર્મલસિંહ જાડેજા - અંજાર