Skip to main content

Posts

Showing posts from March 26, 2018

અમદાવાદના ચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, 250 વધારે ઝૂંપડા બળી ગયા..

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રવિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટી માં કોઈ કારણસર સામાન્ય આગ લાગી હતી પણ ઝૂંપડપટ્ટી માં આગ ને ફેલાવો આપે એવી કાગળ, પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ અતિશય મોટા પ્રમાણ માં આગ ફેલાઇ ગયી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડ ને જાણ થતાં ચીફ ફાયર ઓફિસર એફ. એમ. દસ્તુર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહીત નો સ્ટાફ 20 જેટલા ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ ને કાબુ માં લેવા નો પ્રયાસ કર્યો હતો. પણ આગ કાબુ માં લેવામાં ભારે મુશ્કેલી પડી હતી કારણ કે આગમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા 25 જેટલા ગેસ સિલિન્ડર પણ ફાટયા હતા. જેથી આસપાસના વિસ્તારોમાં અફરા તફરી ફેલાઈ ગઈ હતી. આ બનાવ બાદ સ્થાનિક લોકોને શાહ આલમ વિસ્તાર માં આવેલી મસ્જીદમાં સ્થળાંતર કરવા માં આવ્યા છે. સૂત્રો ના જણાવ્યા મુજબ આ આગ માં અંદાજે 250 જેટલા ઝુંપડા બળી ને ખાખ થઈ ગયા હતા અને આ નુકસાન હજુ પણ વધી શકે તેમ છે. જોકે આ આગ પર સંપૂર્ણ કાબુ સોમવારે બપોર સુધી

ગીરમાં સિંહોના અપ્રાકૃતિક મોત ગંભીર : હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટીસ ફટકારી

ગીર અભ્યારણ્યમાં સેંકડો સિંહોના મોતના મામલે થયેલી સુઓમોટો જાહેરહિતની અરજીના મામલાને હાઇકોર્ટે ગંભીરતાથી લીધો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. સિંહોના અપ્રાકૃતિક મોતના મામલાને હાઇકોર્ટે અતિ ગંભીર ગણાવતા કહ્યું છે કે આ ઘણો સંવેદનશીલ મામલો છે. આને સરકાર હળવાશથી ના લે. સિંહોના મોતના કારણ, તેને રોકવા માટેના પગલાં અને હાલ અમલમાં રહેલી માર્ગદર્શિકાના પાલન અંગે કોર્ટે રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારને હાઇકોર્ટે ખાસ ટકોર કરી છે કે આ બાબતે સરકાર સંવેદનશીલતા દાખવે અને માત્ર કરવા ખાતર રિપોર્ટ કરી દે તેવું વલણ ના અપનાવે. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે સરકાર મામલાને ગંભીરતાથી જ લેશે. ત્રણ અઠવાડિયામાં તમામ પક્ષકારોને રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

સુપ્રીમ કોર્ટની સલાહ : પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવુ હોય તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો..

સુપ્રીમ કોર્ટે દેશમાં ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવાના ઈરાદે કેન્દ્ર સરકારને તેના ભાવ વધારવાની અજીબોગરીબ સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટ વધતા પર્યાવરણના પ્રદૂષણ સ્તર પર અંકુશ લાવવા માટે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાઓને સતત દિશા-નિર્દેશ આપતી રહી છે પરંતુ આજે તેમનો અનપેક્ષિત ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારને ડીઝલના ભાવ વધારવા પર વિચાર કરવાની સલાહ આપી છે. જેથી વધતા ભાવના કારણે ડીઝલનો ઉપયોગ ઓછો થઈ શકે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 13 મેટ્રો શહેરોમાં એપ્રિલ 2019થી BS-6 ઈંધણ પૂરુ પાડવા વિશે વિચાર કરવાનું કહ્યું છે. કોર્ટે દિલ્હીમાં આ વર્ષે એક એપ્રિલથી BS-6 પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવવાનું કહી ચૂક્યા છે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ, ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

MRPથી વધુ કિંમતો કટકટાવનારાઓ હવે ચેતેઃ હવે ૫ લાખનો દંડ અને ૨ વર્ષની જેલ થઈ શકે..

એમઆરપી - 'મેકિસમમ રીટેઈલ પ્રાઈસ'થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ ભારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે 'MRP'થી વધુ કિંમતો લેનારને ૨ વર્ષની જેલ સજા અને ૫ લાખ રૂ. દંડ સુધીની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજવસ્તુની પ્રિન્ટ કરાયેલ એમ.આર.પી.થી વધુ રકમો વસુલવાના ગુન્હામાં હાલમાં પ્રવર્તમાન દંડ-સજાની જોગવાઈ ઘણી ઓછી છે. ગયા મહિને જ સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ. આ બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ હતી. જેના આધારે કન્ઝયુમર્સ ખાતુ એમઆરપીથી વધુ કિંમતો વસુલનારાઓ સામે આકરી જોગવાઈઓ - સજા આવી રહેલ છે. આ માટે 'લીગલ મેટ્રોલોજી એકટ'ની કલમ ૩૬માં સુધારા કરાશે. હાલમાં એમઆરપીથી વધુ કિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે ૨૫ હજાર દંડ વસુલાય છે જે વધારાનો એક લાખ, બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ છે. તે વધારીને ૨.૫ લાખ અને ત્રીજી વખતના ગુન્હા માટે હાલમાં જે ૧ લાખ દંડ ફટકારાય છે તે વધારીને ૫ લાખ રૂ. તથા ૨ વર્ષની સજાની જોગવાઈ ટૂંક સમયમાં આવી રહી છે