Skip to main content

Posts

Showing posts from May 25, 2018

વેરાવળમાં કપડાં સીવવાની ના પાડતા દરજી પર 8 શખ્સો એ કર્યો હુમલો..

વેરાવળ મોચીબજારમાં દરજીની દુકાનમાં કપડા સિવી દેવાની ના પાડેલ હોવાના મનદુ:ખમાં જાલેશ્વરમાં રહેતા આઠેક શખ્સોએ દુકાનમાં ઘુસી દરજી અને તેના બે સંબંઘીને માર મારી ઈજા પહોચાડી હતી. બનાવના પગલે આજુબાજુની દુકાનો શટરો ટપોટપ પડવા લાગેલ હતા. પોલીસે જાહેરનામાના ભંગ, રાયોટીગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેરાવળના મોચીબજારમાં ઈશ્વરલાલ પરમારની રાધીકા ટેઈલર્સ નામની દુકાનમાં દરજી તેનો પુત્ર સહિતના કપડા સીવી રહેલ ત્યારે ગતરાત્રીના નવેક વાગ્યા આસપાસ જાલેશ્વર વિસ્તારમાં રહેતા મહમદ મલેક, જાવીદ મલેક, સલમા મલેક જુના ગ્રાહકો હોવાના નાતે કપડા સીવવા આવેલ. ત્યારે આ ગ્રાહકો માણસો સાથે માથાકુટ કરતા હોવાથી ટેઇલર્સના માલીક દરજીએ કપડા સીવી દેવાની ના પાડતા મહમદભાઇ સહિતના ઉશ્કેરાઈ ગયેલ હતા અને અન્ય ગાડીઓમાં આવેલ આઠથી વઘુ શખ્સો અચાનક ટેઇલર્સમાં પ્રવેશી દરજીને મારવા લાગેલ ત્યારે અન્ય સંબંઘીઓ વચ્ચે પડતા તેમને પણ માર મારેલ હતો. આ શખ્સો દ્વારા કાતરથી હુમલો કરવાનો પ્રયાસ કરેલ હતો. દરમ્યાન આજુબાજુના દુકાનદારોએ છોડાવી છુટા પાડતા હુમલાખોરો નાસી ગયા હતા. શહેરની બજારમાં આઠથી વઘુ લોકોએ હુમલો કરી રહેલ હોવાની

કર્ણાટકઃ કુમારસ્વામીએ બહુમત સાબિત કર્યું, 117 ધારાસભ્યોનું સમર્થન..

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. તેમના સમર્થનમાં 117 ધારાસભ્યોએ મતદાન કર્યું. વિશ્વાસમત પહેલાં જ યેદિયુરપ્પા સહિત ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી લીધું હતું. એક સપ્તાહમાં આવું બીજી વખત થયું કે, ભાજપે ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો નહતો. આ પહેલાં 19 મેએ વિશ્વાસમત સાબિ ત કરતા પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે ગૃૃૃહમાં પોતાના ભાષણ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ ગઠબંધનવાળી સરકાર વધારે દિવસે ચાલશે નહીં. તેમણે કુમારસ્વામીની સરખામણી કાચિંડા સાથે પણ કરી હતી. કુમારસ્વામીએ જવાબમાં કહ્યું હતું કે, તેઓ કોઈના પર અંગત રીતે હુમલો નહીં કરે. તેમણે વિશ્વાસ રજૂ કર્યો કે, ગઠબંધનની સરકાર સંપૂર્ણ 5 વર્ષ ચાલશે. કર્ણાટક વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોંગ્રેસ રમેશ કુમાર નવા સ્પીકર બન્યા છે. તેઓ પહેલા પણ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના ઠીક પહેલા બીજેપીના સુરેશ કુમારે પોતાનું નામ પરત લઈ લીધું હતું. બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, સ્પીકર પદની ગરિમા કાયમ રાખવા માટે બીજેપીએ પોતાના ઉમેદવ

કર્ણાટક વિધાનસભા સ્પીકર તરીકે રમેશ કુમાર નિર્વિરોધ ચૂંટાયા..

કર્ણાટકમાં નવી સરકાર બનાવવાને લઈને વિધાનસભામાં સ્પેશ્યલ સત્ર બોલાવાયુ છે. જ્યા સીએમનો ફ્લોર ટેસ્ટ થશે. આ પહેલા કોંગ્રેસના રમેશ કુમારને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે રમેશ કુમાર નિર્વિરોધ વિધાનસભાના સ્પીકર તરીકે પસંદગી પામ્યા છે. રમેશ ત્યારે નિર્વિરોધ પસંદગી પામ્યા જ્યારે બીજેપીએ સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારનુ નામ પરત લીધુ. ત્યારબાદ તેમનો રસ્તો સાફ થઈ ગયો. સીએમ કુમારસ્વામીએ રમેશ કુમારને સ્પીકર તરીકે પસંદગી થતા અભિનંદન પાઠવ્યા.. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોત ના મામલાએ સર્જી ચકચાર..

કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં આ બનાવની ચર્ચા થઈ રહી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. માત્ર પાંચ મહીના માં ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલમાં 111 નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. અદાણી સંચાલિત ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં 2017 ના વર્ષમાં 185 બાળકોના મોત નિપજ્યા હતા. આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાવ સાથે વાતચીત કરતા તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટ નો લુલો બચાવ કર્યો હતો અને કચ્છના છેવાડા ના અને દૂર ના વિસ્તારોમાંથી આવતા બાળકો કુપોષણ નો શિકાર હોવાની વાત કરી હતી. આ જ મામલે અનેક સવાલો સર્જાયા છે અને આંકડાકીય માહિતી પણ ચોંકાવનારી સાબિત થઈ છે. મામલાની ગંભીરતા ને જોતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજ ની જી.કે હોસ્પિટલની મુલાકાત લેવા માટે રવાના થઈ ચૂકી છે આ મામલે જિલ્લા કલેકટરે પણ અદાણી સંચાલકો પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ માસુમો ના મોત પાછળ આખરે જવાબદાર કોણ ?? - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live

ભચાઉ પાસે દારૂની પેટીઓ ભરેલી ટ્રકે અચાનક મારી પલ્ટી, રસ્તા પર વહી દારૂની નદી..

કચ્છ જિલ્લામાં આજે દારૂની પેટીઓ ભરેલી એક ટ્રક પલ્ટી ખાઈ જતાં રસ્તા પર દારૂની નદી વહેતી થઈ હતી. આખા ટ્રકમાં દારૂના ખોખા ભરેલા હતા, જે વેરવિખેર થઈને રસ્તા પર પડતાં ચારે તરફ દારૂની બોટલો વેરાઈ ગઈ હતી. જેમાં અનેક બોટલો ફૂટી જતાં આખા વિસ્તારમાં દારૂની વાસ પ્રસરી ગઈ હતી. લોકો પણ રસ્તા પર દારૂ વેરાયેલો જોઈ મોટી સંખ્યામાં લોકોના ટોળાં વળી ગયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ આ ટ્રકનો પીછો કરી રહી હતી ત્યારે જ આ દુર્ઘટના બની હતી. દારૂ ભરેલો ટ્રક અચાનક પલ્ટી ખાઈ જતાં સમગ્ર ઘટના સર્જાઈ હતા જેના કારણે રસ્તા પર દારૂની નદી વહેતી થઈ હતી. દારૂની વાસ પ્રસરી જતાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. નોંધનીય છે કે દારૂ ભરેલ ટ્રકે પલ્ટી મારી ત્યારે સ્થાનિક લોકો પહોંચે તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી જેના કારણે દારૂની બોટલ કોઈ લઈ જઈ શક્યું નહોતું. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email :