Skip to main content

Posts

Showing posts from February 15, 2018

નખત્રાણા તાલુકાના દેવપર ના એક યુવક ને માર મરાતા ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોચી છે..

કોઈ વાત નું મનદુઃખ રાખી ને ટોળા એ માર મારતા યુવક ની હાલત ગંભીર.. મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ખાતે રહેતો ૨૯ વર્ષીય યુવક કેતન ગોવિંદ રૂડાણી ને છ શખ્સો દ્વારા મારા મારવામાં આવતા તેને ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકે પોલીસ ને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ કાલે એટલે કે તા. ૧૪-૨-૧૮ ના રોજ સામાવાળા છગન મુળજી લીંબાણી, રમણીક મુળજી લીંબાણી, વિનોદ કાનજી લીંબાણી, વિશાલ વિનોદ લીંબાણી, પ્રદીપ હરીલાલ લીંબાણી, હસમુખ તુલસીદાસ લીંબાણી સાથે વાદ-વિવાદ થયો હતો જેનું મનદુઃખ રાખી ને આ બધા એ મારકૂટ કરી હતી. આ બનાવ આજે એટલે કે તા. ૧૫-૨-૧૮ ના બન્યો હતો જેમાં ભોગ બનનાર કેતન ને પ્રાથમિક સારવાર માટે નખત્રાણા CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો જયારે હાલ વધુ સારવાર માટે ભુજ ખાતેના જી.કે. જનરલ ખાતે લઇ અવાયો છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page

ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમમાંથી છ લાખની કિમતના વીજ વાયરની ચોરી થતા ચકચાર..

દુધઈ પોલીસ ની ઝડપી કામગીરીને પગલે ૩ આરોપીઓની ગણતરીના કલાકોમાં કરાઈ અટક.. દુધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમ માંથી પાવરગ્રીડ કોર્પોરેશન ની હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવરમાં લાગેલા આશરે ૨,૦૦૦ મીટર લાંબી લાઈન પર પથરાયેલા ૬,૦૦,૦૦૦/- રૂપિયા ના વીજ તાર ની ચોરી થયેલ હતી. જેમાં ત્રણ શકમંદો ની પોલીસે તપાસ આદરી હતી અને ગણતરી ના કલાકો માં જ ત્રણેય આરોપીઓને દુધઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલ વીજ તાર તેમજ બોલેરો જીપ પોલીસે કબજે કર્યા હતા. વધુ માં પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચોરીમાં અંજારના શેખટીંબા વિસ્તારમાંરહેતા જુસબ ઈબ્રાહીમ કુંભાર અને લુણવાના લક્ષ્મણ કાયા કોલી અને રાજેશ સામત કોલી નામના ત્રણ શખ્સોની અટક પણ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય ની પુછતાછ હાથ ધરી હતી ત્યાર બાદ વધુ તથ્યો બહાર આવશે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter

ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બાળકીનું મોત

ભારતમાં 2018માં કોઈનું સારવાર વીનાં મોત થાય એ કમનસીબી  ભારત ડીઝીટલ ઈન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને એ જરૂરી. ૧૯૪૭ માં ભારત આઝાદ થયું , આજે ૨૦૧૮ એટલે ૭ દાયકા પછી પણ ભારતમાં કોઈ દર્દીનું સારવારનાં અભાવે મોત થાય તો એ લોકશાહી માટે કલંક સમાન છે. ભારત આજે ડીઝીટલ ઇન્ડિયા તરફ પ્રસ્થાન કર્યું છે એ ગૌરવ ની વાત છે , પણ આઝાદીનાં 71 વર્ષ પછી પણ કોઈ નગરિકનું આરોગ્ય અને તબીબી સારવાર વગર મોત થાય તો ભારતની લોકશાહી માટે કલંક સમાન છે, ભારત ડીઝીટલ ઇન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને અને એક એક ભારતીયનાં જીવ નું મૂલ્ય સમજે એ અતિ આવશ્યક છે. ગઈ કાલે (બુધવાર , ૧૪ ફેબ્રુઆરી,૨૦૧૮ ) નાં ભુજ તાલુકનાં માધાપર ની એક માસૂમ બાળકી નું મોત થયું , આજે એ બાળકી માત્ર સમાચાર બની ગઈ છે.  (Video :સોમવારે માધાપરની એક માસૂમ બાળકીનું જીકે અદાણી હોસ્પિટલમાં યોગ્ય  સારવાર વગર થયું મોત ) ભૂતકાળમાં પણ આવી અનેક સારવારને લઈને બેદરકારી ની ઘટનાઓ ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બની ગઈ છે.પરંતુ શામાટે કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં ? હાલ આવી અનેક સમસ્યાઓ અને બેદરકારી ને સેંકડો ફરિયાદો અદાણી મેનેજમેન્ટ પાસે