Skip to main content

ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બાળકીનું મોત

ભારતમાં 2018માં કોઈનું સારવાર વીનાં મોત થાય એ કમનસીબી 
ભારત ડીઝીટલ ઈન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને એ જરૂરી.

૧૯૪૭ માં ભારત આઝાદ થયું , આજે ૨૦૧૮ એટલે ૭ દાયકા પછી પણ ભારતમાં કોઈ દર્દીનું સારવારનાં અભાવે મોત થાય તો એ લોકશાહી માટે કલંક સમાન છે. ભારત આજે ડીઝીટલ ઇન્ડિયા તરફ પ્રસ્થાન કર્યું છે એ ગૌરવ ની વાત છે , પણ આઝાદીનાં 71 વર્ષ પછી પણ કોઈ નગરિકનું આરોગ્ય અને તબીબી સારવાર વગર મોત થાય તો ભારતની લોકશાહી માટે કલંક સમાન છે, ભારત ડીઝીટલ ઇન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને અને એક એક ભારતીયનાં જીવ નું મૂલ્ય સમજે એ અતિ આવશ્યક છે.
ગઈ કાલે (બુધવાર , ૧૪ ફેબ્રુઆરી,૨૦૧૮ ) નાં ભુજ તાલુકનાં માધાપર ની એક માસૂમ બાળકી નું મોત થયું , આજે એ બાળકી માત્ર સમાચાર બની ગઈ છે. 
(Video :સોમવારે માધાપરની એક માસૂમ બાળકીનું જીકે અદાણી હોસ્પિટલમાં યોગ્ય  સારવાર વગર થયું મોત )

ભૂતકાળમાં પણ આવી અનેક સારવારને લઈને બેદરકારી ની ઘટનાઓ ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બની ગઈ છે.પરંતુ શામાટે કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં ? હાલ આવી અનેક સમસ્યાઓ અને બેદરકારી ને સેંકડો ફરિયાદો અદાણી મેનેજમેન્ટ પાસે ગઈ , અને ખુદ ગૌતમ અદાણીનાં ધર્મપત્ની ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં રૂબરૂ આવી વિગતો મેળવી , ત્યારે કચ્છી લોકોને આશા બંધાણી હતી કે હવે અદાણી હોસ્પિટલ નું ચિત્રણ શુધરશે, પણ કોઈ જ પરિણામ આવ્યું નહીં .
એક તરફ કચ્છનાં લોક પ્રતિનિધો સાવ મૂંગા થઈ ગયા છે, બીજી તરફ જીકે અદાણી હોસ્પિટલ નો સ્ટાફ અને મેનેજમેન્ટ જાણે સરકાર અને અદાણી ગ્રુપનું નામ બોળવામાં વ્યસ્ત હોય એવું લાગી રહ્યું છે.લાખો નહીં , કરોડો નહીં પણ અબજોની મિલકત સરકારે અદાણી ગૃપને આપી છે ,ત્યારે મોટી જવાબદારી છે  અદાણી મેડિકલ કોલેજની કે મળેલી આ જવાબદારી સુપેરે પાર પાડે, આ હોસ્પિટલ માત્ર મેડિકલ વિદ્યાર્થીઓને પેદા કરવા માટે નથી પણ કચ્છમાં પેદા થયેલા લોકો સારવાર થી વંચિત ના રહે તેની માટે પણ છે. 

એક સમયનો અટલ મહેલ ગરીબ અને મદયમ વર્ગ માટે નફરતનું ખંડેર ના બની જાય તેની જવાબદારી સરકારની , સ્થાનિક રાજકારણીઓની , સ્થાનિક કચ્છી માડુની , અદાણી મેડિકલ મેનેજમેન્ટ અને સ્ટાફની , અદાણી મેડિકલ સ્ટુડન્ટસની અને કચ્છનાં સ્થાનિક મીડિયાની પણ છે.
(Video :કચ્છની પ્રથમ 24 કલાકની અને સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ : Maa Ashapura News)

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*


Comments

  1. ભારત સંવેદનશીલ ઈન્ડિયા ક્યારે બનશે ?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv