Skip to main content

Posts

Showing posts from February 28, 2018

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષનો અવાજ રૂંધાયો : પરેશ ધાનાણી

અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે નારાજ કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. આજરોજ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યા બાદ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , રાજ્યમાં પ્રજાને સરકારની તમામ કાર્યવાહી જાણવાનો અધિકાર છે. આવી જાણકારી સરકાર દ્વારા આપવામાં આવતી નથી પરંતુ વિરોધપક્ષ તરીકે અમે રચનાત્મક ભૂમિકા ભજવી , જ્યાં પ્રજાના હિતમાં જરૂર લાગે ત્યાં સરકારને સહકાર પણ આપી રહ્યા છીએ અને જ્યાં જરૂર લાગે ત્યાં પ્રજાના હિત માટે સરકારનો વિરોધ પણ રચનાત્મક રીતે કરી રહ્યા છીએ. વિરોધપક્ષ એ પ્રજાનો અવાજ હોય છે. વિરોધપક્ષના નેતાનું પદ એ ગુજરાતના પ૦% લોકોનો અવાજ છે. આ અવાજ દબાવવાનાં પ્રયત્નો ભાજપ સરકાર કરી રહી છે. શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , છેલ્લા રર વર્ષની પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે વિધાનસભામાં ચર્ચાઓથી દુર ભાગતી ભાજપ સરકારને છાવરવા માટે સંસદીય કાર્યવાહીમાં પક્ષપાતી વલણ સાથે આમ આદમીના અવાજને અવરોધિત કરવાનાં કલંકિત ઈતિહાસનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે સર્વાનુમતે ચૂંટાયેલા અધ્યક્ષશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લ