Skip to main content

Posts

Showing posts from July 4, 2018

ભુજ શહેર વિસ્તારમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ..

આજરોજ એલ.સી.બી. સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ એક ટીમ ફરતા ફરતા ભીડનાકા પાસે આવતા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સંદિપ દયાલજી ઠકકર, રહે.રધુવંશીનગર, ભાનુશાલી નગર પાછળ, ભુજ વાળો તથા તેના બે માણસો ઇંગ્લીદારૂનો જથ્થો લઇને રેલ્વે સ્ટેશનથી ન્યુ સલમાન ટી હાઉસ તરફ પગે ચાલી જાય છે. જેથી તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા ન્યુ સલમાન ટી હાઉસ પાસે ઉપરોકત બાતમી હકીકત વાળા ઇસમો શંકાસ્પદ હાલતમાં હાથમાં થેલા લઇ આવતા હોય જેઓને રોકી પુછપરછ કરતા નં. (૧) સંદિપ દયાલજી ઠકકર, રહે. રધુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ નં. (ર) જીતુકુમાર રામદિન અહીવર, રહે. હાલે રધુવંશીનગર, મહાકાળી મંદિરની બાજુમાં ભુજ, મુળ રહે.-ગામ ગડુકા, તા.મોઠ, જિ.ઝાંસી, (યુ.પી.) વાળો તથા નં. (૩) મુકેશ શાંતિલાલ ઠકકર, રહે.રધુવંશીનગર, મહાકાલી મંદિરની બાજુમાં, ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ તેઓની પાસે રહેલ થેલાઓમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩ર, કિંમત રૂા.૪૬,૨૦૦/- મળી આવેલ તેમજ મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂા.૧૦૦૦/- એમ કુલ્લે રૂા.૪૭,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમ

ભુજનો કૃષ્ણાજી પુલ ચોમાસામાં ગંભીર અકસ્માત સર્જે તેવી ભીતિ

ભુજમાં હમીરસર પર રાજાશાહી સમયે બાંધેલો કૃષ્ણાજી પુલ હાલ મરામત માંગી રહ્યો છે. પરંતુ આ તરફ જોવાની કોઈને ફુરસત નથી. છેલ્લા કેટલાક વર્ષથી તેની મરામત અથવા નવો બનાવવા માંગણી છતાં દાદ ન અપાતા હાલે તો પુલની સ્થિતી એટલી બગડી છે કે, ભારે વરસાદમાં જુના પુલની પાળી સહિતનો ભાગ ગમે ત્યારે પડી શકે છે. આ અંગે જાગૃતોના જણાવ્યા મુજબ ભુંકપ બાદ જીયુડીસી દ્વારા નવા રસ્તાઓ બન્યા ત્યારે હમીરસર પર બનેલા કૃષ્ણાજી પુલને પણ પહોળો કરીને ટુ-લેન કરાયો હતો.પરંતુ આ સમયે આખો પુલ નવો બનાવવાના બદલે જીયુડીસીએ માત્ર લાઈબ્રેરી તરફનો રસ્તો પહોળો કર્યો એ ભાગ જ નવો બનાવીને જુના સાથે જોડી દીધો હતો. આમ હાલ આ કામગીરી થઈ એને પણ ૧૭ વર્ષના વ્હાણા વિતી ગયા છે. ત્યારે જુના પુલની હાલત પાયા અને પીલરથી ખખડધજ થઈ ગઈ છે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પુલ હાલે મરામત તો માંગે જ છે સાથે હવે તે કેટલો સમય ઉભો રહી શકે એમ છે ? તેની જાણકારી પણ સુધરાઈએ લઈ લેવી જોઈએ. જેથી ભવીષ્યને લઈને ચોકકસ આયોજન કરી શકાય. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @

હવે સિમકાર્ડ અને નેટવર્ક વિના પણ થઈ શકશે મોબાઈલમાં વાત..

આગામી દિવસોમાં હવે તમે સિમકાર્ડ અને મોબાઈલ નેટવર્ક વિના પણ ફોન પર વાત કરી શકશો. આવી સુવિધા બીએસએનએલની ઈન્ટરનેટ ટેલિફોનિક સેવા પરથી મળી શકશે. આ માટે હાલ બીએસએનએલ દ્વારા પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોએ આ સુવિધા માટે સાવ મામૂલી ખર્ચ કરવાનો રહેશે. બીએસએનએલ દ્વારા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે, તેનો હેતુ અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને જંગલમાં રહેતા લોકોને વિક્ષેપ વિના ટેલિફોનિક સેવા મળી રહે તે માટેનો છે. આ સેવા શરૂ કરવામાં સામાજિક ફરજ અદા કરવા માટે કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપી રહી છે.. આ સેવા શરૂ કરવા માટે ગામડાંઓ અને શહેરોમાં વાઈફાઈ અને હોટસ્પોટ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ માટે બીએસએનએલ દ્વારા તેને લગતાં ઉપકરણોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીએસએનએલની આ સેવા માટેની તૈયારીને ધ્યાનમાં લઈને કેટલીક ખાનગી મોબાઈલ કંપનીઓ પણ આવી સેવાનો આરંભ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. ઈન્ટરનેટ ટેલિફોનિક સેવા માટે બીએસએનએલ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી રહી છે, તેને ડાઉનલોડ કરવી પડશે. જે સિમકાર્ડ અને નેટવર્ક વિના જ હોટ સ્પોટ અને વાઈફાઈ સાથે જોડાઈ જશે. ત્યારબાદ ગ્રાહક વિન

કચ્છમાં મોખા ટોલ નાકો સતાવાર ચાલુ થયા પહેલા જ પ્રજા પાસે ટોલટેક્ષના કરોડો રૂપિયા વસુલી લીધા ?

અંજાર મુન્દ્રા રોડ પર મોખા ટોલગેટની સતાવાર શરૂઆત પહેલા ટોલટેક્ષના કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું આ. ટી. આઇ દ્વારા ચોંકાવનારો ખુલ્લાસો થયો છે. મુન્દ્રા તાલુકાના હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજાએ આ બાબતે RTI તળે માહિતી માંગી હતી. જેમાં પુછવામાં આવ્યું કે મોખા ટોલગેટ કયારે ચાલુ કરવામાં આવ્યું તેના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટી જવાબ આપ્યો કે ટોલગેટ 7 નવેમ્બર 2018 થી શરૂ કરવામાં આવશે. બીજા મુદામાં પુછવામાં આવ્યું કે અત્યાર સુધી ટોલટેક્ષ પેટે કેટલા રૂ. વસુલવામાં આવ્યા તેના જવાબમાં 8,92,92203 રૂ. મે 2018 સુધી વસુલાત કરી હોવાનો ખુલ્લાસો કર્યો છે. આ મુદા પરથી સ્પષ્ટ થાય છે કે ચાલુ કરવાની તારીખ થી પહેલા પ્રજા પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે અને આ પ્રજા પાસેથી ગેરકાયદેસર વસુલાત છે.  આ વસુલાત ગેરકાયદેસર હોવાની બીજી પણ સ્પષ્ટતા અન્ય એક મુદામાં થઈ છે, જેમાં પુછવામાં આવ્યું કે આ રોડ કેટલો બની ગયો અને કેટલો બાકી છે. જેના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ જણાવ્યું કે આ રોડ 71.400 કી. મી. બનાવવાનું હતું જેમાથી 64.48 કી. મી. કામ પૂર્ણ થયું છે. આ બાબતે સામાજિક કાર્યકર ઉસ્માનગની શેરા

ગાંધીધામથી ગુરૂવારે હમસફર એક્સપ્રેસને લીલીઝંડી અપાશે, કોચ આવી ગયા.

અંદાજે છ મહિના પહેલા જાહેર થઈ ગયેલી ગાંધીધામ-તીરૃનવેલ્લી હમસફર એક્સપ્રેસના કોચ આખરે ગાંધીધામ આવી પહોચ્યા છે. આ ટ્રેનને ગુરૂવારે ગાંધીધામથી તીરૃનવેલ્લી(તામિલનાડુ) માટે લીલીઝંડી આપવામાં આવશે. રેલવે રાજ્યમંત્રી ગાંધીધામથી આ ટ્રેનને સ્ટાટ આપશે. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ-તીરૃનવેલી (ટ્રેન નં.૧૯૪૨૩/૧૯૪૨૪) હમસફર એક્સપ્રેસની જાહેરાત તો ગત ઓક્ટોબરમાં થઈ ગઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના કારણે આ ટ્રેન મુલતવી રાખવામાં આવી હતી. ચૂંટણી બાદ ટ્રેનની મંજૂરી મેળવવામાં રેલ્વે વિભાગે મહિનાઓ લગાડી દીધા હતા.  ગાંધીધામ આવેલા હમસફર એક્સપ્રેસના કોચને અમદાવાદ લઈ જવાયા હતા. કચ્છ મલયાલમ સમાજ દ્વારા અંગે અવાર-નવાર રજૂઆતો બાદ રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા ઝડપથી ટ્રેન મંજુર કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેવામાં આ ટ્રેનને હવે ગુરૃવારે સવારે દસ વાગ્યે ગાંધીધામથી રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેલ લીલી ઝંડી આપશે. જેના ભાગરૃપે હમસફર એક્સપ્રેસના કોચ પણ ગાંધીધામ આવી પહોંચ્યા હતા. મંગળવારે આ ટ્રેનના કોચની પીટ લાઈન્સમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. ભુજ-મુંબઈ સુપ