રાપરમા આચરાયેલા જમીન વિકાસ નિગમના અધિકારીઓના કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડ મામલે ACB એ આજે એકની ધરપકડ કરી..
જમીન વિકાસ નિગમના અધિકારી અને કર્મચારીઓના ભષ્ટ્રાચારને લઇને બહુ ચર્ચિત કૌભાંડમા સ્થાનીક ACB એ રાપરમા પ્રકાશમા આવેલ બોગસ ખેત તલાવડી કૌભાંડમા ધરપકડનો દોર શરુ કર્યો છે. આજ થી ૩ માસ અગાઉ 21-03-2018 ના આ બાબતે ગાંધીધામ ACB એ રાપર જમીન વિકાસના બે કર્મચારી અને એક કોન્ટ્રાકટર સહિત ત્રણ શખ્સો સામે રૂપીયા ૧.૭૯ લાખના ભષ્ટ્રાચારની ફરીયાદ નોંધી હતી. જો કે ત્યાર બાદ તો આખા કિસ્સા પછી જમીન વિકાસ નિગમના અધિકારીઓનુ કરોડોના ભ્રષ્ટાચારનુ કૌભાંડ ખુલ્યુ હતુ. હવે રાપરમા આચરાયેલા કૌભાંડ મામલે ACB એ ધરપકડનો દોર શરૂ કર્યો છે અને ACB પોલિસ ઇન્સપેક્ટર ગાંધીધામ પી. વી. પરગડુએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે માર્ચ મહિનામા નોંધાયેલી ફરીયાદ મામલે આજે રાપર ભીમાસરના રામજી સુરા સોલંકીની ધરપકડ કરી છે અને તેની તપાસ બાદ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે. જેમા જમીન વિકાસ નિગમના ફરાર બે કર્મચારી સહિતના સામેલ અન્ય શખ્સોની સંડોવણી સહિતની દિશામાં ACB તપાસ કરશે. સાથે શક્યતા એવી પણ છે કે ACB ની તપાસમા ભષ્ટ્રાચારનો આંકડો વધે તેવી શક્યતા છે. આ સમગ્ર કિસ્સાની ફરીયાદ મુજબ આરોપીઓએ માત્ર કાગળ પર ખેત તલાવડી ઓ દર્શાવી પૈસા ચાંઉ કર...