Skip to main content

Posts

Showing posts from April 7, 2018

ગોવામાં એલર્ટઃ સમુદ્રના કિનારે આતંકીઓ હુમલો કરી શકે છે, ગુજરાતને પણ ખતરો

પણજી: એવી ગુપ્તચર માહિતી મળી છે કે ગોવામાં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે થઈને પહોંચી શકે છે. જાણકારી મળી છે કે આતંકવાદીઓ માછલી પકડવાની બોટનો ઉપયોગ કરી શકે છે. ગોવામાં આતંકીઓ ઘૂસી શકે છે એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ સમુદ્ર કિનારે તમામ જહાજો અને કેસિનોને એલર્ટ જારી કરી દીધું છે. ગોવાના બંદર વિભાગ પ્રધાન જયેશ સલગાવકરે જણાવ્યું હતું કે ભારતીય તટરક્ષક દળે પશ્ચિમી કિનારે આતંકવાદી હુમલાની દહેશત અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ શેર કર્યા છે. ત્યાર બાદ તેમના વિભાગે સમુદ્ર કિનારે આવેલા તમામ કેસિનો, વોટર સ્પોર્ટસ ઓપરેટરો અને નૌકાઓને એલર્ટ જારી કરી દીધું છે. સલગાવકરે વધુમાં જણાવ્યું હતું કે આ એલર્ટ માત્ર ગોવા માટે જ નથી, પરંતુ ગુજરાત કે મુંબઈના સમુદ્ર કિનારા માટે પણ હોઈ શકે છે. અમે જહાજ અને સંબંધિત એજન્સીઓને એલર્ટ જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવેલ ફિશિંગ બોટ છોડી દેવામાં આવી છે અને એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા છે કે તેના દ્વારા આતંકવાદીઓ ગોવા પર હુમલો કરી શકે છે. કેપ્ટન ઓફ પોર્ટસ જેમ્સ બ્રિગેન્જાએ ગોવાના પ્રવાસન વિભાગ અને તમામ વોટર સ્પોર્ટસ ઓપરેટર, કેસિ

ICICI બેંકના સીઈઓ Chanda Kochhar ની મુશ્કેલીઓ વધી, લુક આઉટ નોટીસ ઇસ્યુ

ICICI બેંક અને વિડીયોકોન ગ્રુપ વચ્ચે થયેલા લેનદેનના કિસ્સો સામે આવ્યા બાદ બેંકના સીઈઓ Chanda Kochhar અને તેમના પતિ દિપક કોચર તથા વીડીયોકોન ગ્રુપના વેણુગોપાલ ઘૂત મુશ્કેલમાં છે. તેમજ આ કેસમાં ICICI બેંકના સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર તથા વીડીયોકોન ગ્રુપના વેણુગોપાલ ઘૂત વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. જેના લીધે આ ત્રણે વ્યક્તિ દેશ છોડીને વિદેશ નહીં જઈ શકે. લુકઆઉટ નોટીસ એરપોર્ટ ઓથોરીટીને ગુપ્ત રીતે મોકલવામા આવે છે. જેમાં વ્યકિત એરપોર્ટ પરથી વિદેશમાં જઈ શકતો નથી. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે ચંદા કોચર અને રાજીવ કોચરની કલાકો સુધી પૂછતાછ કરી હતી. રાજીવ કોચર, ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચર કંપની એવીસ્ટા એડવાઈઝરીના સવાલોમાં ઘેરામાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીને છેલ્લા ૬ વર્ષમાં સાત કંપનીઓ પાસેથી અંદાજે ૧.૫ અરબ ડોલર વિદેશી મુદ્રા લોનને પુન મેળવવાનું કામ મળ્યું હતું. તેમજ આ બધી કંપનીઓ આઈસીઆઈસીઆઈ બેંકની દેવાદાર પણ હતી. તેમજ એક સોદામાં દેવાદારોની લીડ બેંક પણ આઈસીઆઈસીઆઈ બેંક જ હતી. ઉલ્લેખનીય છે કે, ICICI બેંકના સીઈઓ ચંદા કોચર પર નાણાકીય ગેરરીતી અને પરિવારવાદ

શાળાઓનો ગુણોત્સોવ શરૂ, 63 ટકા વિદ્યાર્થીઓને ગણિત આવડતું નથી

રાજકીય શાળાઓમાં એટલે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી ગુણોત્સવ શરૂ થયો છે. સરકારની મોટા ભાગની શાળાઓમાં કાયમી શિક્ષકો ન હોવાથી અને ઓછા પગાર ધરાવતાં શિક્ષકો હોવાથી શિક્ષણનું ધોરણ કથળી રહ્યું છે. પછાત જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓના બાળકો લખી શકતાં નથી. ગણિત ગણી શકતાં નથી કે વાંચી શકતાં નથી. નર્મદા જિલ્લામાં તો 63 ટકા બાળકોને ગણિત આવડતું જ નથી. એક વર્ગમાં 12 ટકા બાળકોને તો વાંચતાં જ આવડતું નથી. એટલી નબળી ક્ષમતા છે તેથી કોલેજનું શિક્ષણ પૂરું કરનાર 12 ટકા જ વિદ્યાર્થી હોય છે. 7 હજાર શાળાઓમાં જો રમતના મેદાન જ નથી. આમ સરકાર પોતે જ શાળાઓને સુવિધા આપતી નથી અને શિક્ષકોને પૂરતો પગાર આપતી નથી ત્યારે ગુણોત્સવ એક ફારસ સાબિત થયો છે.

ભાજપનો જન્મદીન ફિક્કો રહ્યો, 50 હજાર સ્થળમાંથી મોટાભાગે કાર્યકરો દેખાયા નહીં

જનતા પક્ષથી અલગ થઈને રચાયેલાં ભારતીય જનતા પક્ષના 39મા જન્મદિને રાજ્યના 50 હજાર સ્થળોએ ઉજવવાનો આદેશ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ કર્યો હતો. પણ તેની ઉજવણીમાં થોડા સ્થળોને બાદ કરતાં ક્યાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. મોટા ભાગે પક્ષના હોદ્દેદાર ઉજવણીમાં જોવા મળ્યા હતા પણ કાર્યકરો તો ક્યાંય જોવા જ મળ્યા ન હતા. જેમને લાવવામાં આવી હતા તેઓને પરાણે ખેંચી લાવવા પડ્યા હતા. એક હજાર મતદાર દીઠ બનેલાં બૂથ કક્ષાએ એક કાર્યક્રમ કરવાનો આદેશ કરાયો હતો. જે સમગ્ર રાજ્યમાં મળીને લગભગ 50 હજાર સ્થળોએ જન્મ દિવસ ઉજવવાનું કહેવાયું હતું પણ તેના બે ટકા સ્થળે પણ ખરાદીલથી ઉજવણી થઈ નથી. તેથી પક્ષના નેતાઓ અનેક સ્થળે કાર્યકરો અને હોદ્દેદારો ઉફર ગિન્નાયા હતા. પાટણમાં કાર્યકરોની પાંખી હાજરી જોઈને પ્રભારી મંત્રી વાસણ આહિર દ્વારા એવો સવાલ ઉઠાવાયો હતો કે કાર્યકરો કેમ નથી. આવું કેમ થયું? પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ મોહન પટેલ અને પાટણ શહેર પ્રમુખ સુરેશ પટેલે બચાવ કરવો પડ્યો હતો. આ તો કામ કરનારા લોકો જ છે હોદ્દેદારો નથી એવું કહીને વાતને વાળી લેવી પડી હતી. પ્રદેશ મંત્રીએ એવું કહ્યું કે, સાથે મળીને પક્ષના કામ માટે લાગી જઈએ. વોર

મુકેશ અંબાણી પર છે 78000 કરોડનું દેવું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 38 બિલિયન ડોલર એટલે કે 24.70 ટ્રિલિયન બરાબર છે. ઈકોનોમિક ટાઈમ્સના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પર 12 બિલિયન ડોલર એટલે કે લગભગ 7 ટ્રિલિયન જેટલું દેવું છે, એટલે કે તેઓ 78,000 કરોડના દેવામાં ડૂબેલા છે. છેલ્લા 15 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર આટલું બધું દેવું છે. 2018મા આ દેવું વધી રહ્યું છે. કંપનીના તમામ બિઝનેસ આ સમયે નફામાં છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એક વર્ષ પહેલા એન્ટ્રી કરનાર રિલાયન્સ Jioએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 500 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. રિલાયન્સે 12 બિલિયન ડોલરનું દેવું જુદા-જુદા સમયે લીધું હતું. આ વ્યાજ ટેલિકોમ વેંચર, રિલાયન્સ Jio ઈન્ફોકોમ અને દુનિયાની સૌથી મોટી જામનગર રિફાઈનરી માટે લીધું હતું. કંપનીનું આ દેવું 2018માં વધી રહ્યું છે. મુકેશ અંબાણીનું પ્રભુત્વ ધરાવતી કંપની પર ભલે 7 ટ્રિલિયનનું દેવું હોય પણ તે હજી પણ દુનિયાના 19 ધનવાન ગણાતા વ્યક્તિઓમાંથી એક છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે આ વર્ષે મુકેશ અંબાણીનો વેપાર ગયા વર્ષ કરતા 2.30 બિલિયન ડોલર એટલે કે લગભગ દોઢ ટ્રિલ

અખિલ કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજ મહારેલી સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અખિલ કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા મહારેલી શાંતીપૂર્ણ થાય તે માટે વહીવટી અને પોલીસ તંત્ર સજાગ છે મહારેલીના રૂટ પર ઠેર ઠેર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, ખાસ સાવચેતી માટે ૧૦,૦૦૦ લીટર પાણીની ક્ષમતા વાળું વરુણ વાહન પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે તેની સાથે ડોગ સ્કવોડ પણ ઉપસ્થિત છે હાઈ ટેક સીસ્ટમ સાથે સી.સી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે રેલી ચાલુ ન થાય ત્યાં સુધી જાહેરનામાં વાળા રસ્તાઓ પણ ચાલુ રાખવામાં આવ્યા છે જયુબેલી સર્કલ પરથી પસાર થતા વાહનો ને પણ જવા દેવામાં આવતા હતા. અને રેલી સ્થળે વિશાળ જન મેદની એકઠી થઇ તે દેખાય છે

અખિલ કચ્છ મુસ્લિમ જમાત દ્વારા આયોજિત મહારેલી માટે એકઠા થઈ રહેલા મુસ્લિમ ભાઈઓ

અખિલ કચ્છ જીલ્લા મુસ્લિમ જમાત દ્વારા આજ રોજ ૦૭/૦૪/૨૦૧૮ શનિવારના સવારે ૮:૦૦ વાગ્યાથી  ભુજમાં  એક મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે  તે સંદભે  મુસ્લિમ ભાઈઓ ભુજ મેમણ મુસાફિર ખાના પાસે એકઠા થઈ રહ્યા છે આ મહારેલી દરમ્યાન ટ્રાફિક નિયમન અને સાવચેતીના ભાગ રૂપે પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર હાજર છે તેમજ સુરક્ષાના ભાગ રૂપે સી.સી. ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનાઓથી દરગાહો તોડવાનો અને આગજનીના મુદે આક્રોશ વ્યક્ત કરી  આ મહારેલી શાંતિ પૂર્ણ પૂરી થાય તેવી અપીલ મુસ્લિમ આગેવાન કરી અને વિગતો આપી હતી