Skip to main content

Posts

Showing posts from May 26, 2018

પશ્ચિમ કચ્છ SOG ટીમે મુન્દ્રાના રતડીયા સીમ માંથી ડામર ચોરી નું મોટું કારસ્તાન પકડી પાડ્યું..

પશ્ચિમ કચ્છ SOG સ્ટાફના માણસો ૨૬-૫-૧૮ ના મુન્દ્રા વિસ્તારમાં વાઈટલ ઇન્સ્ટોલેસનની ચેકીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીને આધારે મુન્દ્રાના ગુંદાલા પાસે રતાડીયાની સીમમાં આવેલ એક ગુડલક હોટલના પાછળના ભાગે આવેલ વરંડામાં ડામર સ્ટોરેજ કરવાના ટેન્કમાં ગેરકાયદેસર રીતે ડામર નો જથ્થો મળી આવ્યો હતો. અહી ડામર સ્ટોરેજ કરવાના ટેન્કમાંથી ૧૩ ટન ડામર તથા લોખંડની ૨૭ ટાંકીઓ માંથી ૪૧૦૦ કિલો ડામર એમ કુલ મળીને ૧૭,૧૦૦ કિલો ડામર નો જથ્થો મળી આવ્યો હતો જેની કી.રૂ. ૬,૮૪,૦૦૦/-, લોખંડની ખાલી ટાંકી નંગ-૬૫, કી.રૂ. ૬૫૦૦, કુલ મળી ને રૂ. ૬,૯૦,૫૦૦ નો આધાર પુરાવા વગરનો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે. રેઈડ દરમ્યાન ૧) પ્રકાશ વેરશી રબારી, રહે. સણોસરા તા. ભુજ, ૨) જગદીશ રામકુમાર ચૌધરી, રહે. સંસ્કાર નગર, ભુજ, ૩) મામદ કાસમ ખલીફા, રહે. નાની ખેડોઇ તા. અંજાર વાળા ને સ્થાનિકે થી પકડી પાડેલ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebo

ભુજ જી.કે. માં ૧૧૧ બાળકોના મોત મામલો, તપાસ સમિતિ આવી : કોંગ્રેસે મચાવ્યો હોબાળો : ભાજપ હજુ પણ ચુપ..

અદાણી ઉદ્યોગગૃહ દ્વારા સંચાલિત ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૫૦ દિવસમાં ૧૧૧ બાળકોના મોત થયા છે તે બાબત સામે આવતા લોકોનો આક્રોસ જોવા મળ્યો છે. શ્રેષ્ઠ સારવાર મળશે તેવી આશાએ સરકારે મોટા ઉદ્યોગગૃહ જેને પૈસાની કોઈ કમી નથી તેવા અદાણી ગૃહને આ હોસ્પિટલ દ્વારા ગરીબોની સેવા કરવાનો મોકો આપ્યો છે પણ જ્યારથી સરકારે આ હોસ્પિટલ અદાણી જૂથ ને સોંપી છે ત્યારથી કોઈ ને કોઈ વિવાદમાં રહી છે. ૧૧૧ ના મોતની વાત હળવી કરવા અદાણી હોસ્પિટલના ડાયરેક્ટર રાવે જુદા જુદા વર્ષ ના બાળ મૃત્યુનાં આંકડા સાથે તુલના કરી ૧૧૧ મૃત્યુ ચાલુ વર્ષે ઓછા છે તે સિધ્ધ કરવા પ્રયત્ન કર્યા. જેટલા વર્ષથી આ હોસ્પિટલ ચાલે છે તેનું ઈમ્પૃવ્મેન્ટ શું આટલું ઓછું છે? તે પણ પ્રશ્ન છે. શા માટે ૧૫૦ દિવસમાં ૧૧૧ બાળકો જાન ગુમાવે? શું અદાણી જૂથ એકપણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે કેમ અદ્યતન સગવડો ઉભી ન કરે. હજુ તો પાંચ મહિના ૨૦૧૮ ના થયા છે, ૭ મહિના બાકી છે. કેટલા મૃત્યુનો આંક થશે તેની કોઈ ને કલ્પના નથી. અદાણી જૂથને તૈયાર હોસ્પિટલ, સાધનો-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર આપે છે, હોસ્પિટલમાં અપાતી તમામ દવાઓ સરકાર આપે છે, હોસ્પિટલ માં ડાયાલીસીસ સેન

જમ્મુ-કાશ્મીર: ઘૂષણખોરીની કોશિશમાં 5 આતંકીઓ ઠાર..

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી થઈ રહેલી ઘૂષણખોરીની કોશિશને ભારતીય સૈન્યએ ફરી એકવાર નાકામયાબ કરી નાંખી છે. શનિવારે તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂષણખોરીનો પ્રયત્ન કરી રહેલા 5 આતંકવાદીઓને સૈન્યએ ઠાર માર્યા હતા. હાલમાં સૈન્યનું ઓપરેશન ચાલુ છે. ડિફેન્સ મીનીસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું કે 'શનિવારે તંગધાર સેક્ટરમાં LOC પર જવાનોએ ઘૂષણખોરીની કોશિશને નાકામયાબ કરી દીધી હતી. આ અભિયાનમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓએ શનિવારે સવારે ઘૂષણખોરીની કોશિશ કરી હતી.' સેનાએ બે દિવસ પહેલાં પણ આ જ જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પર ઘૂષણખોરીની અન્ય એક કોશિશ નાકામ કરી હતી. સેનાની ગોળીબારી પછી ઘૂષણખોરો LOC પર પાકિસ્તાન તરફ ભાગવા માટે મજબૂર થઈ ગયા હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભાજપ સરકારને કેન્દ્રમાં થયા ચાર વર્ષ પૂર્ણ : કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસઘાત દિન મનાવ્યો..

મોદી સરકાર રચાયાને આજે ચાર વર્ષ થયા છે. ભાજપ દેશભરમાં મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ વિશ્વાસઘાત દિવસ મનાવી રહી છે. મોદી સરકારે પણ ચાર વર્ષની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ખાસ આયોજન કર્યું છે. આજથી ૩૦ મે સુધીમાં ૧૦ કદાવર પ્રધાનો ૪૦ મહાનગરોમાં પત્રકાર પરિષદ સંબોધીને ઉપલબ્ધિઓ ગણાવશે. આ શહેરોમાં તમામ રાજ્યોની રાજધાનીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોંગ્રેસ આજે વિશ્વાસઘાત દિન મનાવી રહી છે. કોંગ્રેસ દરેક રાજ્યોના જિલ્લા મથકોએ ધરણા - પ્રદર્શનો કરે છે અને પત્રકાર પરિષદોના પણ આયોજનો કરાયા છે. દરમિયાન ભાજપે પણ વિવિધ કાર્યક્રમોના આયોજનો કર્યા છે. વરિષ્ઠ પ્રધાનો રાજનાથસિંહ, નિતીન ગડકરી, પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સીતારમન, રવિશંકર પ્રસાદ, સુષ્મા સ્વરાજ વગેરે પત્રકાર પરિષદો સંબોધી રહ્યા છે. ચાર વર્ષ પૂર્ણ થતા આજથી જ લોકસભાની ચૂંટણીના નગારે ઘા થયા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ ગામેગામ વિરોધ દિન મનાવી રહી છે. મોદીજી ઓરિસ્સામાં કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પુરા થયા છે. આ અવસર પર ભાજપ અને મોદી કેબિનેટના પ્રધાનો સરકારની સિદ્ઘિઓને જનતાની વચ્ચે રાખશે. જેમાં વડાપ્રધાન

Instagram લાવ્યુ નવું ફિચર, હવે અનફૉલો કર્યા વિના જ યૂઝરને કરી શકશો મ્યૂટ..

પૉપ્યૂલર સોશ્યલ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ હવે પોતાના યૂઝર માટે એક નવુ ફિચર લઇને આવ્યું છે, આ ફિચરની મદદથી તમે કોઇપણ યૂઝરને અનફૉલો કર્યા વિના જ તેને મ્યૂટ કરી શકો છો. આ એક ખાસ પ્રકારનુ ફિચર છે. આ નવા ફિચરની મદદથી તમે માત્ર એવા લોકોની પૉસ્ટ અને ન્યૂઝ ફીડ તમારી વૉલ પર જોઇ શકશો જેને તેમે લાઇક કરતાં હોય. આ ફિચરનો ખુલાસો એક બ્લૉગપૉસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, એકવાર કોઇને મ્યૂટ કર્યા પછી તેની પૉસ્ટ ભલે તમને ના દેખાય પણ તમે તેની પ્રૉફાઇલને જરૂર ચેક કરી શકો છો. યૂઝર્સને એવી કૉમેન્ટ્સ અને પૉસ્ટને નૉટિફિકેશન પણ મળશે જેમાં તેને ટેગ કરવામાં આવ્યા છે. આ ફિચરનું નુકશાન એ છે કે, તમને એ વાતની ખબર નહીં પડે કે તમને કોઇએ મ્યૂટ કરીને રાખ્યા છે કે નહીં. યૂઝર્સ આ ફિચરને અનમ્યૂટ પણ કરી શકો છો. એકાઉન્ટને મ્યૂટ કરવા માટે સૌથી પહેલા તમને મેનૂના ઓપ્શનમાં જવું પડશે. અહીં તમે મ્યૂટ પૉસ્ટ, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી ઓફ એકાઉન્ટ પર ક્લિક કરીને અલગ અલગના ઓપ્શનની મદદથી એક યૂઝરને મ્યૂટ કરી શકો છો. આ ફિચરનો ફાયદો એવા યૂઝર્સને મળશે જે પોતાની વૉલ પર ઓછી સ્ટૉરી જોવા માગે છે. ઉલ્લેખનીય છે

મુંબઇના સમુદ્રમાં ડૂબી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 15 લોકોને બચાવાયા..

મુંબઇના માહિમ સ્થિત બાંદ્રા વર્લી સી લિંક પાસે એક તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી ગઇ હતી. વાસ્તવમાં એક મોટી નૌકાને રેસ્ટોરન્ટમાં ફેરવી દેવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં હાજર 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંન્ટ્રોલ રૂમના એક અધિકારીએ કહ્યું કે, ફાયર બિગ્રેડને સાંજે આ ઘટનાની સૂચના મળી હતી. બાંદ્રા પોલીસ અને કોસ્ટગાર્ડેને  આ જાણકારી આપવામાં આવી. બાંદ્રા પોલીસના એક અધિકારીએ કહ્યું કે, 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટ એઆરટી નામની કંપનીની છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ કેટલીક સમાજસેવી સંસ્થાઓએ આ રેસ્ટોરન્ટનો ખૂબ વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે આ પ્રકારના પ્રયોગથી સમુદ્રમાં પ્રદૂષણ વધશે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર, 83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ..

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)નું ધોરણ 12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં 83.01 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. દેશના લગભગ 11 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ સીબીએસઇની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકશે. આ પરીક્ષામાં સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ સેક્ટર 132 નોઇડાની વિદ્યાર્થી મેઘના શ્રીવાસ્તવે ટૉપ કર્યું છે. મેઘનાએ 99.8 ટકા માર્ક્સ મેળવ્યા છે. જણાવી દઈએ કે બોર્ડે આ વખતે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બીજી વખત પરીક્ષા યોજાવાના કારણે રિઝલ્ટ મોડું જાહેર નહીં થાય. પેપર લીક હોવાના કારણે અર્થશાસ્ત્રની પરીક્ષા બીજી વખત લેવાઇ હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત ને લીધે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ તપાસ અર્થે ભુજની જી.કે જનરલમાં..

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે ત્યારે મામલાની ગંભીરતા ને જોતા આરોગ્ય વિભાગે તપાસ ના આદેશ આપ્યા હતા. આજે ગાંધીનગર રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોગ્ય વિભાગના ડોકટર હિમાંશુ ના જણાવ્યા અનુસાર, તેઓએ હોસ્પિટલ ના રેકર્ડ ની તપાસ કરી હતી અને સંચાલકો સાથે બેઠક કરશે અને NICU ની મુલાકાત લેશે અને ત્યારબાદ મૃતક બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરશે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના તપાસ કરવા માટે આવેલા ડોકટર ના નામની યાદી (૧) ડો.હિમાંશુ જોશી - ગાંધીનગર મેડિકલ કોલેજ  (૨) ડો.ભદ્રેશ વ્યાસ - જામનગર મેડિકલ કોલેજ  (૩) ડો.કમલ ગોસ્વામી - રાજકોટ મેડિકલ કોલેજ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની રાજ્ય આરોગ્ય વિભાગ ના તબીબને રજુઆત કરવાની માંગ કરી હતી, કોંગ્રેસ ના આગેવાનોએ રાજ્ય આરોગ્ય વિભાગના તબીબની મુલાકાત લઈ રજુઆત કરી હતી.  બાળકોના મોત ને મામલ