પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત ને લીધે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ તપાસ અર્થે ભુજની જી.કે જનરલમાં..
ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે ત્યારે મામલાની ગંભીરતા ને જોતા આરોગ્ય વિભાગે તપાસ ના આદેશ આપ્યા હતા. આજે ગાંધીનગર રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આરોગ્ય વિભાગના ડોકટર હિમાંશુ ના જણાવ્યા અનુસાર, તેઓએ હોસ્પિટલ ના રેકર્ડ ની તપાસ કરી હતી અને સંચાલકો સાથે બેઠક કરશે અને NICU ની મુલાકાત લેશે અને ત્યારબાદ મૃતક બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરશે.
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના તપાસ કરવા માટે આવેલા ડોકટર ના નામની યાદી
(૧) ડો.હિમાંશુ જોશી - ગાંધીનગર મેડિકલ કોલેજ
(૨) ડો.ભદ્રેશ વ્યાસ - જામનગર મેડિકલ કોલેજ
(૩) ડો.કમલ ગોસ્વામી - રાજકોટ મેડિકલ કોલેજ
કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની રાજ્ય આરોગ્ય વિભાગ ના તબીબને રજુઆત કરવાની માંગ કરી હતી, કોંગ્રેસ ના આગેવાનોએ રાજ્ય આરોગ્ય વિભાગના તબીબની મુલાકાત લઈ રજુઆત કરી હતી. બાળકોના મોત ને મામલે અધિકારીઓ તટસ્થ વલણ અપનાવીને તપાસ કરે તેવી માંગ કરાઈ છે.
કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની રાજ્ય આરોગ્ય વિભાગ ના તબીબને રજુઆત કરવાની માંગ કરી હતી, કોંગ્રેસ ના આગેવાનોએ રાજ્ય આરોગ્ય વિભાગના તબીબની મુલાકાત લઈ રજુઆત કરી હતી. બાળકોના મોત ને મામલે અધિકારીઓ તટસ્થ વલણ અપનાવીને તપાસ કરે તેવી માંગ કરાઈ છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment