Skip to main content

Posts

Showing posts from January 25, 2018

કાજલ ઓઝા વૈદ્ય એવું ના લખે : લખે તો દુઃખની વાત

🖋 જો એવું કાજલ ઓઝાએ રાણી પદ્માવતીને 800 વર્ષ પહેલાંની સ્ત્રી કહી હોય તો દુઃખદ છે. ( કાજલ ઓઝા વૈદ્ય ) છેલ્લા બે એક દિવસથી એક પોસ્ટ વોટ્સએપ માં ફરી રહ્યું છે , એ પણ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે , કાજલ ઓઝાએ જ આ લખાણ લખ્યું છે કે કેમ એ  એક સવાલ છે, પણ જો કાજલ ઓઝા જેવા સમજદાર લેખક અને વક્તા આ લખાણ લખ્યું હોય તો દુઃખદ વાત છે. કાજલ બેનનાં નામે ફરતાં લખાણની વાત કરીએ એ પહેલાં આપને જણાવી દઈએ કે વોટસએપ્પ માં એક વિડિઓ અને અન્ય મેસેજ ફરી રહ્યો છે કે કરણી સેનાએ સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કર્યો , હવે સત્ય હકીકત શું છે એ જાણવા કોઈએ પ્રયાસ કર્યા વગર જ મંડી પડ્યા મેસેજ શેર કરવા , ખરેખર વાસ્તવિકતા શું છે એ જાણવા અહીં એક વિડિઓ મુક્યો છે જે જોઈ ને આપ નક્કી કરી શકશો કે સ્કૂલ બસ ઉપર કરણી સેનાએ પથ્થરમારો નથી કર્યો. બસનાં ડ્રાઈવરે પણ કબુલ્યું છે કે બસ ઉપર પથ્થર મારો કરણી સેનાએ નથી કર્યો. આજે સવારથી લગભગ મિડિયામાં એક ન્યૂઝ દેખાડી રહ્યા છે કે દિલ્હી ગુરૂગ્રામમાં રાજપૂતો એ એક સ્કૂલબસ પર હુમલો કર્યો છે. પણ હકીકતમાં એવું કાંઈ જ નથી. એનું પ્રૂફ છે આ વિડીયો.(જુઓ વિડિઓ) હવે વાત કરીએ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે ફરી

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર..

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર.. ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામતા, ચકચાર મચી જવા પામી છે. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) જાણવા મળતી વિગતો મુજબ વોંધ ગામે આ ઘટના બની હતી. ગતરાત્રી દરમ્યાન વોંધ ગામે રહેતી ૧૭ વર્ષીય સગીરા ઘરે હાજર હતી ત્યારે ગામમાં રહેતો એક શખ્સ આવ્યો હતો અને તેણીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં ભોગ બનનારે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) હતભાગીના પરિવારજનો મરણોતર પ્રસંગે ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી, હતભાગી શખ્સ તેણીનો માસીયાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળે છે. અહેવાલ-વિનોદ સાધુ મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

ભારત બંધ : ભણસાલીની ઊંઘ અને આરામ પણ બંધ

🖋  ભારત બંધ : સંજય લીલા ભણસાલીની ઊંઘ પણ બંધ   સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે.  (મા ન્યુઝ : ૨૫ જાન્યુઆરી, 16:18 ) હિંદીમાં કહેવત છે જૈસી કરની વૈસી ભરની , સંજય લીલા ભણસાલી એ અનેક લોકોની ભાવના સાથે ખીલવાડ કરતાં હાલ તેની સાથે તેની તબિયત પણ ખીલવાડ કરી રહી છે.હાલ ભણસાલી ની ઊંઘ અને આરામ અભેરાઈ ચડી ગયા છે , અને   20 કિલો વજન પણ ઘટી ગયું છે. વિવાદાસ્પદ ફિલ્મ બનાવી કાયમ વિવાદમાં રહેતાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પદ્માવત બનાવીને હાલ પોતાનું વજન અને ઊંઘ પણ વેચી માર્યા છે. સામાન્ય રીતે ફિલ્મ બનાવવાનું કામ નામ અને દામ કમાવા માટે કરવામાં આવતું હોય છે, પણ સંજય લીલા ભણસાલીને 'પદ્માવત' એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે તીવ્ર વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા ભણસાલીની હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે. Advertisement  છેલ્લા બે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ્લડ - પ્