Skip to main content

Posts

Showing posts from July 20, 2018

આજથી સૌથી મોટી યુનિયન હડતાળઃ 95 લાખ ટ્રક-બસનાં પૈડાં થંભી ગયાં

ટ્રક અને બસ ઓપરેટર સંગઠન (એઆઈએમટીસી)એ તેની વિવિધ જૂની માગણીઓના મુદ્દે આજથી સૌથી મોટી અનિશ્ચિત મુદતની યુનિયન હડતાળ શરૂ કરી દીધી છે. ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પાડવામાં આવેલી આ હડતાળ દરમિયાન લગભગ ૯૫ લાખ ટ્રક-બસનાં પૈડાં થંભી ગયા હતા.આ સંગઠને તેની વર્ષોજૂની માગણીઓને પૂરી કરવાના આશયથી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. હડતાળની ધમકી પહેલાં સરકારે ટ્રાન્સપોર્ટર્સને મનાવવા માટે કેટલીક છૂટછાટ આપવાની ઓફર કરી હતી, પરંતુ ટ્રાન્સપોર્ટર્સે તેને ફગાવી દીધી હતી.આજે જે હડતાળ શરૂ થઈ છે તેમાં સવારના છ વાગ્યાથી દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે.  આ હડતાળમાં ડીઝલને જીએસટીના દાયરામાં લાવી કેન્દ્રીય અને રાજ્યના કરમાં કાપના માધ્યમથી તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તેવી મુખ્ય માગણી છે.આ ઉપરાંત યુનિયનની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ નહિ પણ ત્રણ માસમાં સંશોધન કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટર માટે ટોલ બેરિયર મુક્ત કરવામાં આવે તેમજ થર્ડ પાર્ટી વીમામાં જીએસટીમાં રાહત આપવામાં આવે તેમજ ટ્રાન્સપોર્ટ વેપારમાં ટીડીએસનો અંત લાવવામાં ‍આવે તેવી માગણી મુખ્ય છે.આ અંગે યુનિયનનું કહેવું છે કે

સરહદી કચ્છમાં બીએસએફની ચોકીઓ સૌર ઉર્જાથી ઝળહળશે.

સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના ગુજરાત ફ્રન્ટીયરના સીમાવર્તી વિસ્તારોમાં સૌર ઉર્જાના પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. જે અંતર્ગત કચ્છની સરહદી ચોકીઓ પણ સૌર ઉર્જાથી ઝળહળી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ફ્રન્ટીયર દ્વારા પાંચ મેગાવોટના ર સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. એજન્સીના સુત્રોનું માનીએ તો કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર સૌર ઉર્જા પ્રોજેકટનો પ્રસ્તાવ મોકલ્યો છે. ગુજરાત બીએસએફના મહાનિરિક્ષક સંતોષ મહેરાએ જણાવ્યું હતું કે, સૌર ઉર્જાની ર યોજનાઓ છે.  જેમાં એક બનાસકાંઠાના નળાબેટ વિસ્તારમાં પાંચ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને અન્ય એક પાંચ મેગાવોટના પ્લાન્ટમાંથી બનાસકાંઠા અને કચ્છની ર૦ જેટલી સીમાવર્તી ચોકીઓમાં સૌર ઉર્જાથી વિજળી પહોંચાડવામાં આવશે. સૌર ઉર્જા માટેના પ્લાન્ટ સ્થાપવા માટેની જગ્યાનો સર્વે કરી દેવામાં આવ્યો છે.હાલ આ ચોકીઓમાં જનરેટરથી વીજળીની વ્યવસ્થા છે. જેમાં ડીઝલના ટેન્કર સાથે કામ કરવું પડે છે. ઘણી વખત જનરેટર બંધ થઈ જવાથી વીજળી ઠપ્પ થઈ જાય છે. જો કે હવે સૌર ઉર્જાથી સીમાવર્તી ચોકી સજ્જ કરવામાં