Skip to main content

Posts

Showing posts from February 21, 2018

ભુજ અમન નગર ચાર રસ્તા પાસે ચાર જુગારીઓ પકડાયા

ભુજ શહેરની ભાગોળે આવેલા અમન નગર ચાર રસ્તા પાસે જાહેરમાં  જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જાહેરમાં ધાણીપાસાનો હાર જીતનો જુગાર રમતા (૧) અસલમ અબ્દુલ લાખા (૨) સતાર અબ્દુલ રજાક મેમણ (૩) ઈરફાન રજાક સમેજા (૪) વહાબ જુસબ મેમણ નામના આરોપીઓને પોલીસે રોકડ ૧૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંદુની માતા માટે મુસ્લિમે કર્યા ઉપવાસ

🖋 મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હિન્દૂ સમાજ દ્વારા ગૌ માતાની રક્ષા કાજે અવારનવાર આંદોલનો , ઉપવાસ , રેલી નું આયોજન કરીને ગૌ માતા વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.પરંતુ જિલ્લા મથક ભુજમાં એક અલગ જ ઘટના બનવા પામી છે.એક મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હતી.નખત્રાણા તાલુકાના લુડબાય ગામના વતની અને માલધારી એવા શ્રી જબ્બાર એચ.જત દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે 48 કલાકના પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.જબ્બાર ભાઈ નો પ્રતિક ઉપવાસ કરવાનો હેતુ જગતમાં જે ગાયો દુઃખી છે તેની માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને તેની માટે તેમણે તંત્ર સમક્ષ અમુક માંગણીઓ પણ રજૂ કરી છે. (૧) ક્ચ્છ ના દરેક તાલુકામાં ગૌ અભયારણ્ય બને  (૨) દરેક ખેડૂત બે બળદ પાળે.  ‎(૩)બળદની ખરીદીમાં સરકાર સબસીડી આપે  ‎(૪)ગૌ -શાળાઓનો ૫૦% ખર્ચ સરકાર ઉપાડે.  ‎(૫) ગૌમૂત્ર અને છાણીયા ખાતરની સરકાર ખરીદી કરે.  ‎(૬)રખડતી ગાયો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે  ‎(૭) ગૌ રક્ષાના નામે થતા અત્યાચાર

ખાણ માલિક ઉપર બે બુકાનીધારીનો હુમલો

🖋 ખાણ માલિક અરજણ આહીર ઉપર બે બુકાનીધારીનો હિંસક હુમલો   ભુજ માંડવી રોડ ઉપર , દહીંસરા અને સરલી ગામ પાસે આવેલ કિસ્મત સ્ટોન નામે પથ્થરની ખાણ ધરાવતાં   41 વર્ષિય  અરજણભાઈ દુધાભાઈ બકુત્રા (આહીર) તેમની ખાણ પર બનાવેલાં રૂમમાં રાતે નવ વાગ્યાના અરસામાં હતા ત્યારે હાથમાં દેશી તમંચા અને છરી સાથે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બને બુકાનીધારીઓ  અરજણભાઈના મોઢા પર મરચાંની ભુકી છાંટી હતી. બાદમાં તેમની પીઠ અને છાતીમાં છરીના ઘા કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તપાસનો વિષય એ છે કે આ હુમલો લૂંટ , હત્યા કે કોઈ અન્ય કારણસર કરવામાં આવ્યો છે, દેશી તમંચામાંથી ફાયરિંગ નથી થયું , લૂંટ પણ નથી થઈ તો હુમલો કોઈ અદાવત કે અન્ય કારણે થયો હોય એવું અનુમાન કરી શકાય. હાલ અરજણ આહીર સારવાર હેઠળ હોસ્પિટલમાં છે . પોલીસ અજાણ્યા બે હુમલાખોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. Maa news live 24x7  https://youtu.be/uURUwJSi760 - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsl