Skip to main content

હિંદુની માતા માટે મુસ્લિમે કર્યા ઉપવાસ

🖋 મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી
હિન્દૂ સમાજ દ્વારા ગૌ માતાની રક્ષા કાજે અવારનવાર આંદોલનો , ઉપવાસ , રેલી નું આયોજન કરીને ગૌ માતા વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.પરંતુ જિલ્લા મથક ભુજમાં એક અલગ જ ઘટના બનવા પામી છે.એક મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હતી.નખત્રાણા તાલુકાના લુડબાય ગામના વતની અને માલધારી એવા શ્રી જબ્બાર એચ.જત દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે 48 કલાકના પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.જબ્બાર ભાઈ નો પ્રતિક ઉપવાસ કરવાનો હેતુ જગતમાં જે ગાયો દુઃખી છે તેની માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને તેની માટે તેમણે તંત્ર સમક્ષ અમુક માંગણીઓ પણ રજૂ કરી છે.
(૧) ક્ચ્છ ના દરેક તાલુકામાં ગૌ અભયારણ્ય બને
 (૨) દરેક ખેડૂત બે બળદ પાળે.
 ‎(૩)બળદની ખરીદીમાં સરકાર સબસીડી આપે
 ‎(૪)ગૌ -શાળાઓનો ૫૦% ખર્ચ સરકાર ઉપાડે.
 ‎(૫) ગૌમૂત્ર અને છાણીયા ખાતરની સરકાર ખરીદી કરે.
 ‎(૬)રખડતી ગાયો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે
 ‎(૭) ગૌ રક્ષાના નામે થતા અત્યાચારો બંધ થાય.
જબ્બાર  ભાઈ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ખૂબ સરાહનીય બાબત ગણી શકાય તેમ છે.જબ્બાર ભાઈના ગાયોના રક્ષણ કાજે કરવામાં આવેલા  48 કલાકના ઉપવાસને લઈને અનેક હિન્દૂ - મુસ્લિમ સંસ્થાના આગેવાનો અને ગૌ રક્ષકોએ આ બાબતને આવકારી છે.અને તેમની મુલાકાતો પણ લીધી છે.
પરંતુ ,કલેકટર કચેરી બહાર એક યુવાન છેલ્લા 36 કલાકથી ભૂખ હડતાળ પર બેઠો છે.છતાં પણ કલેકટર કચેરીના કોઈ અધિકારી આ વ્યક્તિની મુલાકાત લેવા માટે ફરક્યું પણ નથી.જે તંત્ર માટે યોગ્ય બાબત ગણી શકાય તેમ નથી.
આમ , તો ક્ચ્છ કોમી એકતા માટે જાણીતું છે.ત્યારે મુસ્લિમ યુવાને ગાય માટે 48 કલાકના ભૂખ હડતાળ પર ઉતરીને  એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv