Skip to main content

Posts

Showing posts from March 15, 2018

ગાંધીધામ કોર્ટે એક યુવતીને તેની સગ્ગી માતા અને બહેનની હત્યામાં ફટકારી મોત ની સજા..

ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં વહેલી સવારે સગી પુત્રીએ જ તલવારથી પોતાની માતા અને બહેનના ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ એક વર્ષ જેટલા સમયગાળા બાદ ગાંધીધામ કૉર્ટે આ હત્યાકાંડને ‘રેરેસ્ટ ઑફ રેર’  કેસ ગણી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે. બનાવ ની વિગત આ મુજબ હતી કે આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. મંજુની માતા સાથે મંજુની બોલાચાલી થતા મંજુ રોષે ભરાઈ હતી. પરંતુ થોડીવાર બાદ મામલો શાંત પણ પડી ગયો હતો ને બધા સાથે ભોજન લઈને સુઈ પણ ગયા હતા. માતા અને તેની ૩ દીકરી જેમાં એક દીકરી મંજુ સાથે ઘરમાં તેમજ દીકરો બહાર સુતો હતો. મંજુ ઝઘડાનું મનદુઃખ રાખી ને વહેલી પરોઢે પાંચ વાગ્યે બધા સુતા હતા તે સમયે ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર ઘર અંદર આવતા તેણે મંજુને તલવાર સાથે આ કૃત્ય કરતા નજરે જોઈ. મંજુએ માતા સાથે તેની બહેન ને પણ તલવારના ઘા મારી ને ઘાયલ કરતા માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્પિટલ

સરકારી નોકરી જોઇએ છે તો પહેલા બોર્ડર પર 5 વર્ષ સેવા આપો : સંસદીય સમિતિ

બજેટ સત્ર દરમિયાન ફરી એક વાર સંસદમાં ભારતીય સેનામાં જવાનોના પ્રશ્નો અને તેમની પાસે જે આધુનિક હથિયારીની અછત છે તે મામલે ચર્ચા થઇ હતી. ગત મંગળવારે સંસદીય સ્થાયી સમિતિએ આ મામલે એક રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે હાલના સમયમાં ભારતીય જવાનોની ભર્તી એક મોટી સમસ્યા છે. અને સમય રહેતા આ સમસ્યાનો ઉકેલ નીકાળવો જરૂરી છે. સંસદીય સ્થાયી સમિતિએ પોતાની રિપોર્ટમાં એક સૂચન કરતા કહ્યું છે કે દેશમાં જે યુવાનો સરકારી નોકરી કરવા ઇચ્છે છે તે યુવાનોને પહેલા 5 વર્ષ બોર્ડર પર સેનાની સર્વિસમાં રાખવા જોઇએ. જેનાથી આ પ્રશ્નનો ઉકેલ નીકળી શકે. કેન્દ્રીય સમિતિની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરી પહેલા જો લોકો સેનામાં પોતાની સેવા આપશે તો તે વધુ અનુશાસિત રહેશે. સમિતિએ કહ્યું હતું કે ભારતીય રેલ્વેથી લઇને તમામ સરકારી વિભાગોની નોકરી માટે જેટલી અરજીઓ આવે છે તેમાંથી અડધી અરજીઓ પણ સેનામાં નથી આવતી. લોકોનું ધ્યાન સરકારી નોકરીમાં છે પણ દેશની સેવા કરવામાં લોકોને રસ ઓછો છે. સંસદની સ્થાઇ સમિતિએ મંગળવારે તે પણ જણાવ્યું કે આપણી સેના પાસે હાલ જે હથિયારો છે તેમાંથી 68% હથિયારો જૂના છે. પાકિસ્તાન

31 માર્ચ પછી પણ આધાર લીંક કરાવી શકાશે..

સુપ્રીમ કોર્ટે આધાર નંબરને બેંક અકાઉન્ટ, મોંબાઈલ નંબર અને અન્ય સરકારી યોજના સાથે જોડવા માટે 31 માર્ચની સમયમર્યાદાને વધારી દીધી છે. મંગળવારે સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં નિર્ણય આવવા સુધી આધાર લીકીંગ જરૂરી રહેશે નહી, પણ સાથે કોર્ટે તે પણ જણાવ્યું છે કે કેટલાક કેસમાં આ આદેશ લાગુ પડશે નહીં. તો જાણો કઈ કઈ સુવિધાઓ માટે હાલમાં આ નિયમ લાગુ પડશે નહી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બેંક અકાઉન્ટ, મોબાઈલ ફોન, પાસપોર્ટ, પેંશન અને ઈનસ્યોરન્સ જેવી સેવાઓ માટે હાલ આ આધારની જરૂર નથી એટલે કે આ તમામ માટે આધાર લીંક કરાવવાથી છૂટ આપવામાં આવી છે. સરકારી સબસીડીને છોડીને બાકી તમામ સેવાઓ પર આધાર લીંકથી છૂટકારો મળી ગયો છે. આ આધાર લિકીંગ છૂટનો મતલબ એ નથી કે આ સેવાઓ માટે આધારની જરૂર નથી. કોર્ટે આધાર લિકિંગની સમય મર્યાદાને કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી વધારી દીધી છે. સરકાર તરફથી સબસીડીના લાભાર્થીઓ માટે હજી પણ આધાર જરૂરી છે એટલે કે સબસીડી યોજનાઓ માટે આધાર નંબર આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની દલીલોનો મંગળવારે સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી