ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં વહેલી સવારે સગી પુત્રીએ જ તલવારથી પોતાની માતા અને બહેનના ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ એક વર્ષ જેટલા સમયગાળા બાદ ગાંધીધામ કૉર્ટે આ હત્યાકાંડને ‘રેરેસ્ટ ઑફ રેર’ કેસ ગણી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે. બનાવ ની વિગત આ મુજબ હતી કે આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો.
મંજુની માતા સાથે મંજુની બોલાચાલી થતા મંજુ રોષે ભરાઈ હતી. પરંતુ થોડીવાર બાદ મામલો શાંત પણ પડી ગયો હતો ને બધા સાથે ભોજન લઈને સુઈ પણ ગયા હતા. માતા અને તેની ૩ દીકરી જેમાં એક દીકરી મંજુ સાથે ઘરમાં તેમજ દીકરો બહાર સુતો હતો. મંજુ ઝઘડાનું મનદુઃખ રાખી ને વહેલી પરોઢે પાંચ વાગ્યે બધા સુતા હતા તે સમયે ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર ઘર અંદર આવતા તેણે મંજુને તલવાર સાથે આ કૃત્ય કરતા નજરે જોઈ. મંજુએ માતા સાથે તેની બહેન ને પણ તલવારના ઘા મારી ને ઘાયલ કરતા માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યાં હતા. ટૂંકી સારવાર બાદ રાજીબેન અને આરતી મૃત્યુ પામ્યાં હતા. હત્યા કેસમાં પોલીસે મંજુની તરત જ ધરપકડ કરી લીધી હતી. આ ખૂન કેસમાં કોર્ટે આરોપી મંજુ ને તેની માતા અને બહેન ની હત્યામાં ગુન્હેગાર ઠેરવીને મોત ની સજા ફટકારી હતી..
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
મંજુની માતા સાથે મંજુની બોલાચાલી થતા મંજુ રોષે ભરાઈ હતી. પરંતુ થોડીવાર બાદ મામલો શાંત પણ પડી ગયો હતો ને બધા સાથે ભોજન લઈને સુઈ પણ ગયા હતા. માતા અને તેની ૩ દીકરી જેમાં એક દીકરી મંજુ સાથે ઘરમાં તેમજ દીકરો બહાર સુતો હતો. મંજુ ઝઘડાનું મનદુઃખ રાખી ને વહેલી પરોઢે પાંચ વાગ્યે બધા સુતા હતા તે સમયે ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર ઘર અંદર આવતા તેણે મંજુને તલવાર સાથે આ કૃત્ય કરતા નજરે જોઈ. મંજુએ માતા સાથે તેની બહેન ને પણ તલવારના ઘા મારી ને ઘાયલ કરતા માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યાં હતા. ટૂંકી સારવાર બાદ રાજીબેન અને આરતી મૃત્યુ પામ્યાં હતા. હત્યા કેસમાં પોલીસે મંજુની તરત જ ધરપકડ કરી લીધી હતી. આ ખૂન કેસમાં કોર્ટે આરોપી મંજુ ને તેની માતા અને બહેન ની હત્યામાં ગુન્હેગાર ઠેરવીને મોત ની સજા ફટકારી હતી..
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment