Skip to main content

Posts

Showing posts from June 7, 2018

'X', 'Y', 'Z' કેટેગરીની સુરક્ષાનું A to Z...

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય માહોલ ગરમાયો છે. ધમકીને પગલે જિજ્ઞેશને 'Y' કક્ષાની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી છે. ત્યારે એ સવાલ થાય કે સરકાર કેવી રીતી, કોને, શા માટે, અને કેટલા પ્રકારની સુરક્ષા આપે છે. સુરક્ષા માટેની અરજી કર્યા બાદ સૌપ્રથમ સુરક્ષા એજન્સી અરજીને આધારે તપાસ કરે છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરે છે. સાથે જ ધમકીની ગંભીરતને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો, ઘટાડો, સુરક્ષા ચાલુ રાખવી કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.                              સુરક્ષા કક્ષાના પ્રકાર: 'X' કક્ષાની સુરક્ષા 'Y' કક્ષાની સુરક્ષા 'Y ' કક્ષાની સુરક્ષા 'Z' કક્ષાની સુરક્ષા 'Z ' કક્ષાની સુરક્ષા 'X' કક્ષાની સુરક્ષા આ કેટેગરી અંતર્ગત અરજી કર્યા બાદ સામાન્ય રીતે એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. જે 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે આ કેટેગરી અંતર્ગત તમામ ખર્ચ અરજકર્તાએ ભોગવવ પડે છે અથવા તો સરકાર ઇચ્છે તો ભોગવી શકે છે. 'X' કક્ષામાં બે પર્સલન

ટ્રેનમાં કપલનો સામાન ચોરાયો, રેલવે ચૂકવશે 5 લાખ રૂપિયા વળતર...

ગાંધીધામના કપલને રેલવે 5 લાખ રૂપિયા વળતર ચૂકવશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કપલનો સામાન ચોરાઈ જતાં કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી. જે બાદ કન્ઝ્યુમર કોર્ટે 5 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નોર્ધન રેલવેને આદેશ કર્યો છે. સાથે દંપતીને ન્યાયિક પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ અને માનસિક સંતાપ માટે વધારાના 8 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો છે. કોર્ટે ટાંક્યુ કે પેસેન્જરની મુસાફરી સુરક્ષિત હોય તે જોવાની જવાબદારી રેલવેની છે પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યું. જમ્મૂ-તાવી એક્સપ્રેસમાંથી ચોરાયો સામાન... કેસ શેલૈષભાઈ અને મીનાબેન ભગતનો છે જેઓ શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગત વર્ષે મે મહિનામાં કપલે હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત ગોવિંદ જીવન આશ્રમ જવા માટે જમ્મૂ તાવી એક્સપ્રેસના 2 ટાયર એસી કોચમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન મથુરા અને દિલ્હી વચ્ચે તેમની હેંડબેગ ચોરાઈ ગઈ. કપલે રેલવેના સ્ટાફના જાણ કરી છતાં તેમણે ઘટના પ્રત્યે ધ્યાન ન આપ્યું. અવારનવાર કરી પૂછપરછ પણ… દંપતિએ દિલ્હી અને પઠાણકોટમાં સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી અને સતત આ વિશે પૂછપરછ કરતા રહ્યા. જ્યારે તેમને લાગ્યું કે તપાસ આગળ નથી વધી રહી

હવે ATMમાંથી પૈસા ઉપાડવા પડી શકે છે મોંઘા...

જો તમે ATMમાંથી ઘણી વાર પૈસા નીકાળો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે, હવે ATMમાંથી લિમિટથી વધુ વખત પૈસા નીકળવા તમારે GST ભરવો પડશે. આ ઉપરાંત બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ જેમ કે ATM, ચેકબૂક અને સ્ટેટમેન્ટ વગેરે પર GST નહીં લાગશે. ગ્રાહકોને પ્રતિ માસ બેંકો દ્વારા 3-5 વાર ATMમાંથી પૈસા કાઢવાની સેવા ફ્રી આપવામાં આવે છે તેના પર તો કોઈ પ્રકારનો GST નહીં લાગશે પરંતુ આ લિમિટ પછી ATMમાંથી પૈસા ઉપાડવાએ GST અંતર્ગત હશે. આજ રીતે ગ્રાહકોને બેંક તરફથી મળતી ફ્રી ચેકબૂક અથવા ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર GST નહીં લાગશે પરંતુ ફ્રી સેવા ઉપરાંત ચાર્જ આપીને લેવામાં આવેલી ચેકબૂક અને સ્ટેટમેન્ટ પર GST લાગશે. ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ પર પણ લાગશે GST ક્રેડિટ કાર્ડ બિલનું લેટ પેમેન્ટ કરવું હવે તમારા માટે પહેલાં કરતા પણ વધુ મોંઘું થઈ શકે છે. કેન્દ્ર સરકારે સાફ કરી દીધું છે કે બિલ સમય પર ન ભરવા પર લગતી ફી પર તમારે GST આપવો પડશે. આ ઉપરાંત ફ્રી સેવા ઉપરાંત આપવામાં આવતી બધી સેવાઓ પર GST લાગશે. જણાવી દઈએ કે બેંકિંગ સુવિધા પર GSTમાં આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે નાણાં મંત્રાલ

ભારતીય સ્પેસ પ્રોગ્રામને મજબૂત બનાવવા 10,911 કરોડના બજેટને મંજૂરી...

તાજેતરમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કર્યા બાદ હવે મોદી સરકારે વિજ્ઞાન ક્ષેત્રે મોટી સહાયતા પ્રદાન કરી છે. ભારતીય સ્પેસ પ્રોગ્રામને નવી તાકાત આપવા માટે કેન્દ્રીય કેબિનેટે મહત્ત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે ગઈ કાલે રૂ.૧૦, ૯૧૧ કરોડના બજેટ પર મંજૂરી આપી દીધી છે. આ રકમનો ઉપયોગ આગામી ચાર વર્ષમાં ૩૦ પીએસએલવી અને ૧૦ રોકેટ્સ લોન્ચ કાર્યક્રમ પર કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટ જીએસએલવી એમકે-૩ના ૧૦ લોન્ચ માટે રૂ. ૪૩૩૮ કરોડ કેબિનેટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે. આ એક મહત્ત્વનું પગલું છે, કારણ કે તેના દ્વારા હવે ભારતે વિદેશી સ્પેસપોર્ટ્સ પર આધાર રાખવો પડશે નહીં. આ એક મહત્ત્વનું પગલું છે, કારણ કે તેના દ્વારા હવે ભારતે વિદેશી સ્પેસપોર્ટ્સ પર આધાર રાખવો પડશે નહીં. જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે જીએસએલવી એમકે-૩ પ્રોગ્રામ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોગ્રામ મેક ઈન ઈન્ડિયા હેઠળ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામમાં મદદ કરવાના કારણે ઈસરોને ન માત્ર નાના વિદેશી રોકેટને લોન્ચ કરવા, પરંતુ સૌથી

શહીદ પાઇલટની અંતિમયાત્રા, લંડનથી આવેલા પુત્રે આપ્યો અગ્નિદાહ

જામનગર એરબેઝ પરથી ઉડાન ભરેલું લડાયક જગુઆર વિમાન 5 જુને બેરાજાની સીમમાં તૂટી પડતાં વિમાનમાં સવાર જામનગર એરફોર્સના જાબાઝ એરકોમોડોર સંજય ચૌહાણ શહીદ થયા હતાં. ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સલામી સાથે તેઓની અંતિમવિધિ આજે જામનગરમાં કરવામાં આવી હતી. પુત્ર લંડનથી આવી પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પ્રસંગે એરકોમોડોરનો પરિવાર ભાવુક બન્યો હતો. આ પૂર્વે એરફોર્સના જવાનો દ્વારા રાષ્ટ્રીય સલામી આપી પરેડ કરવામાં આવી હતી. જામનગર એરફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ મંગળવારે સવારે રૂટીન તાલીમ અર્થે જગુઆર વિમાનમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાન કચ્છમાં પહોંચતા ટેકનિકલ ખામી સર્જાતા તૂટી પડતા તેઓનું નિધન થયું હતું. વિમાનમાં ખામી સર્જાતા એરકોમોડોર બહાર કૂદી જીવ બચાવી શક્યા હોત પરંતુ વિમાન ગામ પર પડે તેમ હોય લોકોના જીવ બચાવવા એરકોમોડોરે શહીદી વહોરી હતી.   વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા એરકોમોડોરની બુધવારે બપોર બાદ ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સલામી સાથે જામનગરમાં અંતિમવિધિ કરવામાં આવનાર હતી. પરંતુ તેઓનો પુત્ર લંડન હોય તે તેમજ અન્ય પરિવારજનો બુધવારે જામનગર પહોંચી શક્યા ન હતાં. આથી શહીદ એરકોમોડોરની અં

અજરખપૂરથી લાપતા થયેલા બાળકોની ઘટનામાં અણધાર્યો વણાંક...

ભુજ તાલુકાના અજરખપુર ગામે અચાનક લાપતા થયેલ ભાઈ-બહેનનાં કેસમાં અણધાર્યો વણાંક આવ્યો છે, ૬ જુનનાં બંને બાળકો ગુમ થયા હતા અને ગુમ થયા નાં ૨૪ કલાકમાં જ ગામનાં સીમાડે આવેલી ઝાડીઓમાંથી એક બાળકનો મૃતદેહ અને એક બાળક બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બુધવારે ગુમ થયેલા બાળકો માંથી સાડા ત્રણ વર્ષના દાનીયાલ ઈસ્માઈલ ખત્રીનો મૃતદેહ મળ્યો છે. તો નજીકમાંથી અઢી વર્ષની બાળકી રુબાબા આદમ ખત્રી જીવિત પરતું ગંભીર હાલતમાં મળી છે. રુબાબાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પીટલમાં ખસેડાઈ છે. પધ્ધર પોલીસે આ બાળકોને શોધવા માટે સોશ્યલ મેડિયાની મદદ લીધી હતી. બાદ ઘટનાની જાણ થતા ભુજ DYSP એન.વી.પટેલ અને પધ્ધર પોલીસનાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે મૃતક બાળક દાનીયાલનાં મૃતદેહ પર બાહ્ય ઈજાનાં કોઈ નિશાન જોવા મળ્યા નથી. આ ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. જાહેરાત