જામનગર એરબેઝ પરથી ઉડાન ભરેલું લડાયક જગુઆર વિમાન 5 જુને બેરાજાની સીમમાં તૂટી પડતાં વિમાનમાં સવાર જામનગર એરફોર્સના જાબાઝ એરકોમોડોર સંજય ચૌહાણ શહીદ થયા હતાં. ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સલામી સાથે તેઓની અંતિમવિધિ આજે જામનગરમાં કરવામાં આવી હતી. પુત્ર લંડનથી આવી પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પ્રસંગે એરકોમોડોરનો પરિવાર ભાવુક બન્યો હતો. આ પૂર્વે એરફોર્સના જવાનો દ્વારા રાષ્ટ્રીય સલામી આપી પરેડ કરવામાં આવી હતી.
જામનગર એરફોર્સના એરકોમોડોર સંજય ચૌહાણ મંગળવારે સવારે રૂટીન તાલીમ અર્થે જગુઆર વિમાનમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાન કચ્છમાં પહોંચતા ટેકનિકલ ખામી સર્જાતા તૂટી પડતા તેઓનું નિધન થયું હતું. વિમાનમાં ખામી સર્જાતા એરકોમોડોર બહાર કૂદી જીવ બચાવી શક્યા હોત પરંતુ વિમાન ગામ પર પડે તેમ હોય લોકોના જીવ બચાવવા એરકોમોડોરે શહીદી વહોરી હતી.
વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા એરકોમોડોરની બુધવારે બપોર બાદ ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સલામી સાથે જામનગરમાં અંતિમવિધિ કરવામાં આવનાર હતી. પરંતુ તેઓનો પુત્ર લંડન હોય તે તેમજ અન્ય પરિવારજનો બુધવારે જામનગર પહોંચી શક્યા ન હતાં. આથી શહીદ એરકોમોડોરની અંતિમવિધિ ગાર્ડ ઓફ ઓનર સાથે આજે સવારે કરવામાં આવી હતી. શહેરના માણેકબાઇ સુખધામ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment