Skip to main content

Posts

Showing posts from September 26, 2018

રાપરના ગાગોદર ખાતે મોરના 28 મૃતદેહને લીધે વન વિભાગમાં મચ્યો તાંડવ, જુઓ પછી શું થયું??

આજે રાપરના ગાગોદર નજીક વનવિભાગની સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલ રાજબાઇ માતાજીના મંદિર પાસેથી 28 મોરના મૃત્દેહ મળી આવતા આસપાસના ગામોમાં અરેરાટી ફેલાઇ છે તો બે જેટલા અન્ય મોર પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે જેને સારવાર માટે ગ્રામજનોએ પશુ હોસ્પિટલમાં ખસેડ્યા છે. શ્રી વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના પ્રમુખ ધારાભાઈ ભરવાડે આપેલી માહિતી મુજબ આ બનાવ આજે બપોર બાદ સામે આવ્યો હતો આજે ગોડાસર વિસ્તાર નજીક આવેલા રાજબાઇ માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસેની બાવળની ઝાડીમાં મોરના મૃતદેહ પડ્યા હોવાનુ સ્થાનિક લોકોના ધ્યાને આવ્યુ હતુ અને ત્યારબાદ તો મોટી સંખ્યામા જીવદયાપ્રેમીઓ ત્યા પહોંચી આવ્યા હતા અને તપાસ કરતા એક નહી પરંતુ 28 મોરના મોતનો આંકડો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનીક વનવિભાગ સહિત આડેસર સેન્ચ્યુરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને તપાસનો આંરભ કર્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં મોરની સંખ્યા વિશેષ છે અને હજુ થોડા દિવસ પહેલા જ મોરના શિકારની ઘટના સામે આવી હતી ત્યારે પ્રાથમીક દ્રષ્ટિએ ત્યા પહોચેલા સ્થાનીક લોકોએ શિકાર માટે તેની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જો કે વનવિભાગના અધિકારી એમ.એન.

જાણો નાની ચિરઈ જુથ ગ્રામપંચાયતમાં સરપંચ પદ માટે ફેર મતગણતરીમાં કોણ અને કેટલા મતે થયું વિજયી..

ભચાઉ તાલુકાની નાની ચિરઈ જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર વચ્ચે કાઉટિંગમાં વિવાદ થયો હતો. જેમાં લક્ષ્મણભાઈ ખટારીયાને સરપંચપદ માટે 8 મત થી વિજેતા જાહેર કરાયા હતા તેથી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રમેશભાઈ હુંબલે ફેરમત ગણતરીની માંગણી કરી હતી અને મતગણતરીમાં ગેરરીતિની માંગણી કરી હતી અને મતગણતરીમાં ગેરરીતિ કરી ને 8 મતે ખટારીયાને વિજેતા જાહેર કરાયા છે, તેવા આક્ષેપ સાથે ભચાઉ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં અરજી કરી હતી તે અરજી સંદર્ભે આજે એટ્લે કે તા. 26-9-18ના હાઇકોર્ટના આદેશ મુજબ ભચાઉ ની કોર્ટ માં બંને ઉમેદવારો તથા વકીલોની હાજરીમાં મતોનું ફેર કાઉટિંગ કરાયું હતું. આ કાઉટિંગના અંતે લક્ષ્મણભાઈ ખટારીયાનો 8 મતે વિજય થયો હતો તે 1 મત થી વિજય થયો છે. આ સમગ્ર બાબત કાયદાકીય એરણ ઉપર ચાલી હતી અને અંતમાં હાલના સરપંચનો 1 મતે વિજય થયો છે. લક્ષ્મણભાઈના વકીલ તરીકે નિખિલભાઈ છાયા રહ્યા હતા જ્યારે રમેશભાઈના વકીલ તરીકે યશભાઈ પોટા રહ્યા હતા. અહેવાલ - વિનોદ સાધુ ભચાઉ Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinh

મોબાઇલ તથા બૅન્ક ખાતાઓ માટે આધાર અનિવાર્ય નહીં: સુપ્રીમ કોર્ટ..

આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો, પાંચ જજોની ખંડપીઠે બુધવારે આધારકાર્ડને બંધારણીય રીતે કાયદેસર ઠેરવ્યું હતું. આધાર કાર્ડ સંબંધિત પ્રારભિક ચુકાદો જસ્ટિસ એ. કે. સીકરીએ વાંચી સંભળાવ્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ક્યાં જરૂરી રહેશે તથા ક્યાં નહીં. સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માગી ન શકે. આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ એ. એમ. ખનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે. 2016માં મોદી સરકાર દ્વારા આધારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેની બંધારણીય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આધારકાર્ડને કારણે 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે, જોકે ખંડપીઠે નોંધ્યું હતું કે તેનાથી સમાજના હાંસિયા પર ધકેલાઈ ગયેલા લોકોને ઓળખ મળી છે, જે પ્રાઇવસી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. આ અરજીઓ ઉપર 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. અરજદારોમાં હાઈકોર્ટના પૂર્વ જજ પુટ્ટુસ્વામીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો બચાવ કરવાં આવ્