Skip to main content

Posts

Showing posts from July 17, 2018

રાજ્યમાં વરસાદના કારણે 28 લોકો અને 124 પશુઓના મોત...

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં કુલ 28 લોકોના મોત થયા છે, જ્યારે 124 પશુઓના મોત થયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ કચ્છ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે NDRFની વધુ 5 ટીમ ગુજરાતમાં ખસેડવામાં આવી છે. જેને જરૂરીયાત અનુસાર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે. હાલ ગીર-સોમનાથ અને ઉનામાં NDRFની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર, તાપી, વલસાડ, સુરતમાં 1-1 ટીમ જ્યારે બનાસકાંઠા, રાજકોટ, મહિસાગરમાં 1-1 ટીમ અને નવસારી, ગોધરા, અરવલ્લી, અમરેલીમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તો NDRFની વડોદરામાં 3 અને ગાંધીનગરમાં 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 173 રોડ રસ્તાઓ બંધ થયા છે જ્યારે 3 નેશનલ હાઈવે, 4 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે અને 156 પંચાયતના રોડ અને અન્ય 8 રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે... Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live

માંડવીના મોટી રાયણ ગામના યુવાનનું શોર્ટ શર્કિટ થવાથી મોત નીપજયું છે.

માંડવી તાલુકાના મોટી રાયણ ગામના યુવાન ચેતન ખીમજી ચૂઇયાનું કોડાય ગામે કામ કરતો હતો ત્યારે શોર્ટ શર્કિટ થવાથી તેનું આકસ્મિક મોત થયાનું માંડવી પોલીસ માથી જાણવા મળ્યું છે. યુવાનનું આકસ્મિક મોત થવાથી પરિવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું છે.માંડવી પોલીસે આ ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ભુજના લાલટેકરી પાસે આવેલ ભીલવાસ નજીક ઉંડો ખાડો વરસાદમાં જીવલેણ નીવડશે તો જવાબદાર કોણ..?

ભુજના લાલટેકરી વિસ્તારમાં આવેલા ભીલવાસ નજીક બનાવાયેલ પુલ પાસે ભયજનક ખાડો કરીદેવાયો છે અને આશરે ૨૦ ફૂટ જેટલો ઊંડો છે શુ તંત્રને દેખાતું નથી..?  સુરતના નાના વારાછારોડ વિસ્તારમાં રોનક ભીલ નામનો બાળક આવીજ ખુલ્લી ગટરમાં વરસાદના કારણે તેમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો મૃતદેહ તાપી નદીમાં મળી આવ્યો હતો તેવીજ ભયંકર સ્થિતિ લાલટેકરી વિસ્તારના પુલમાં કરી દેવાયેલ ગાબડું સર્જી શકે છે.  આ વિસ્તાર સતત માનવ વસ્તી તથા ટ્રાફિકવાળો હોવાને કારણે લોકો સતત ભયતળે આવજાવ કરી રહયા છે તો આ ખાડાની બિલકુલ નજીક ભીલવાસ પણ આવેલો છે જયાં અનેક નાના બાળકો આવજાવ કરતા અને રમતા હોય છે ત્યારે વરસાદી વાતાવરણમાં આ જગ્યા પરથી નીકળે અને તેમાં ગરકાવ થઈ જાય તો જવાબદારી કોની..? શું પાલિકા તંત્ર પણ સુરત જેવી ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ખરેખર જલ્દીથી આ ભયજનક ઊંડો ખાડો ઢાંકવાની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવી જોઈએ અન્યથા ક્યારેક જીવલેણ સાબિત થશે તેવી સંભાવના જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live gr

મધરાતે સરકારી જાગી: રાજ્યના 31 IPS અધિકારીઓની બદલી, 5 ને બઢતી

ગુજરાત સરકારે ગત મધરાત્રે રાજ્યના 31 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા હતા. જેમાં પાંચ એસપી કેડરના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવામાં આવી હતી. વડોદરા અને રાજકોટના પોલીસ કમિશ્નરની બદલી ઉપરાંત છ રેન્જના આઇજી, ડીઆઇજીની બદલી કરવામાં આવી હતી. કેન્દ્રમાં બીએફમાંથી પ્રતિનિયુક્તિ પરથી પરત આવેલા અજય તોમરને એડિશન ડીજીમાં બઢતી આપી સીઆઇડી ક્રાઇમમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.સરકારે કાયદો અને વ્યવસ્થાના ડીજી તિર્થરાજને હ્યુમન રાઇટ્સ કમિશનમાં મુકવામાં આવ્યા છે. ડીજી વહિવટ મોહન ઝા ને જેલોની વડા બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ જેલોના વડા તેમના જ બેચમેટ ટી.એસ. બિસ્તને ડીજી વહિવટ તરીકે મુકવામાં આવ્યા છે. પોલીસ કમ્યુનિકેશનના એડીજી સંજય શ્રીવાસ્તવને કાયદો અને વ્યવસ્થામાં મુકવામાં આવ્યા છે. એડીજી ટ્રેઇનિંગ કે. કે. ઓઝાને એસસી/એસટી સેલમાં મુકવામાં આવ્યા છે. એસટી/એસસી સેલના પીબી ગોંડિયાને હોમગાર્ડના એડીજી તરીકે મુકવામાં આવ્યા છે. એડીજી ઇન્ક્વાયરી વી. એમ. પારગીને ટેકનિકલ સર્વિસમાં મુકવામાં આવ્યા છે. 1989 બેચના કેન્દ્રમાંથી પરત આવેલા અજય તોમરને સીઆઇડી ક્રાઇમમાં એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે. સ્ટેટ ક્રાઇમ

રાપરથી ધોળાવીરા વચ્ચેના ૧૫૦થી વધુ ગામ-વાંઢ વચ્ચે એક જ બેન્ક: લોકો માટે બેન્ક ૧૦૦ કિલોમીટર દૂર

આજે ડીજીટલ ઈન્ડિયા મોટી મોટી વાતો ભલે થઈ રહી હોય, પરંતુ ગુજરાતનો એક વિસ્તાર એવો છે જ્યાં આજે પણ ૧૦૦ કિ.મી. સુધીના અંતરમાં એક પણ બેન્ક નથી! બેન્કને લગતું કોઈ કામ હોય તો લોકોએ પોતાના ધંધા-રોજગાર છોડી લાંબી મજલ કાપીને દૂર સુધી જવાની ફરજ પડે છે. વળી, ઉજ્જડ રણમાં એરંડો પ્રધાન એ કહેવત અનુસાર અહીની એકમાત્ર બેન્કના તાળા સવારે ૧૧ વાગ્યે ખૂલે છે. તથા કામગીરી તો બપોરે ૧ર વાગ્યે શરૃ થાય છે. પાસબુકમાં એન્ટ્રી પડાવવા જેવા સામાન્ય કામમાં લોકોનો આખો દિવસ બગડે છે. કચ્છના રાપર-ભચાઉ તાલુકાની આ વેદના છે. કેટલાક ગામ-વાંઢ એવા છે, જ્યાંથી પાકિસ્તાની બોર્ડર ૫૦ કિલોમીટર દૂર નથી, પરંતુ બેન્કની સગવડ ૧૦૦ કિલોમીટર દૂર થાય છે. આ વિકસીત ગુજરાતની વાસ્તવિકતા છે. કચ્છમાં રાપરથી આગળ ધોળાવીરા જતાં ૬૦થી વધુ ગામ અને ૧૦૦થી વધુ વાંઢ આવેલા છે. પરંતુ બેન્કની સગવડ માત્ર રાપરમાં છે. ધોળાવીરા આમ તો ભચાઉ તાલુકામાં છે, પરંતુ નજીકનું મોટુ સેન્ટર રાપર છે. ભચાઉ જવુ હોય તો પણ રાપર થઈને જવું પડે છે. માટે આ બધા વિસ્તારના લોકોને બેન્કિંગ કામકાજ માટે રાપર સુધી ધક્કો ખાવો પડે છે. બીજી બ્રાન્ચ રાપર પાસે રવ ગામે છે. પરંતુ એ પણ ધોળ