હીરા ઉદ્યોગમાં છેલ્લા એક મહિનાથી સ્થિતિ સુધરી રહી છે પરંતુ બે દિવસ પહેલાં મહીધરપૂરા હીરા બજારમાં ઉદ્યોગ કરતા એક વેપારીના ગાયબ થઈ જવાથી તેના ઊઠી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વેપારી પાસે સુરત અને મુંબઈના વેપારીઓના 100 કરોડથી વધુ રૂપિયા ફસાયા હોવાની ચર્ચા છે. હીરા ઉદ્યોગના સૂત્રો અનુસાર મુંબઈ અને સુરતના હીરાના વ્પારીઓ પાસે રફ હીરા ખરીદી કટિંગ અને પોલિશિંગ પછી સુરતમાં તેનું વેચાણ કરનાર વેપારી બે દિવસ પહેલાં ઓફીસ બંધ કરીને ગયો હતો પણ હજી સુધી પાછો ફર્યો નથી. લેણદારો તેની દુકાને પહોંચ્યા હતા અને આસપાસના દુકાનદારો પાસે માહિતી લીધી હતી. કોઈ ચોક્કસ જાણકારી ન મળતા લેણદારોએ તેના ઘરે જઈને અને તેના પરિચિતોની પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ માહિતી મેળવી શક્ય ન હતા. લેણદારોએ તે વેપારીના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો. લોકોને શંકા છે કે લેણદારોના પૈસા ચૂકવવાથી બચવા માટે તે ભાગી ગયો છે.
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ