કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરતા અગાઉ જનતા દળ (એસ)ના નેતા કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી તેમની સાથે સરકારની રચના અંગે ચર્ચા કરી હતી.. કર્ણાટકના મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહેલા જનતા દળ (એસ)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ રાજ્યમાંની યુતિના ભાગીદાર કોંગ્રેસ સાથે 30-30 મહિના સત્તાની વહેંચણી કરવાની યોજના ઘડાઇ રહી હોવાની માહિતી જાણવા મળી રહ્યું છે.
આમ છતાં, જનતા દળ (એસ)ના નેતા દિલ્હી જઇને યુપીએનાં નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળીને સરકારની રચના અંગે ચર્ચાવિચારણા કરી હતી અને તેઓને 23મી મેએ યોજાનારા શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવાના છે.
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જનતા દળ (એસ) અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે 30 - 30 મહિના માટે સત્તાની વારાફરતી વહેંચણી કરવા અંગે કોઇ ચર્ચાવિચારણા નથી થઇ.
અગાઉ, કુમારસ્વામીના નેતૃત્વ હેઠળ 2006માં ભારતીય જનતા પક્ષ (ભાજપ) સાથે સત્તાની વહેંચણીની સમજૂતી સાથે સરકાર રચાઇ હતી. તે વખતે જનતા દળ (એસ) અને ભાજપ વચ્ચે 20-20 મહિના સત્તાની વહેંચણી કરવા સમજૂતી થઇ હતી.
કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)ની યુતિ રાજ્ય વિધાનસભામાં પોતાનું કુલ 117નું સંખ્યાબળ હોવાનો દાવો કરે છે, જ્યારે ભાજપ પાસે હાલમાં 104 બેઠક છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ કુમારસ્વામીને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. કુમારસ્વામી તમિળનાડુના એક મંદિરે દર્શન કરવા ગયા હતા. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર કેવી રીતે ગઠિત થાય છે તે જોવાનું રહે છે.
Comments
Post a Comment