Skip to main content

Posts

Showing posts from April 17, 2018

ભારતનો ગ્રોથ રેટ 7.3% રહેશે, નોટબંધીની અસર પૂર્ણ થશે: વિશ્વ બેંક..

વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી મુક્ત થઈ અર્થવ્યવસ્થા ધીરે ધીરે જોર પકડી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી. જે બાદ 1લી જુલાઈ, 2017થી ટેક્સ સુધાર માટે ગુ઼ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાયું હતું. આ નિર્ણયો પછી દેશનો વિકાસ દર 7%થી નીચે જતો રહ્યો હતો. વિશ્વ બેંકના અનુમાન મુજબ 2019 અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે. બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિકાસ દર 2017માં 6.7થી વધીને 7.3 રહ્યાં છે. જેમાં આગળ પણ સુધારો યથાવત રહેશે અને ખાનગી કંપનીઓને રોકાણનું તેમાં મહત્વનું યોગદાન રહેશે. વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. જેની સીધી અસર ભારતના નીચલા તબક્કે જોવા મળી. સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા ક

પાકિસ્તાનમાં હિંદુ સહિત લઘુમતી કોમો પર સતત હિંસક હુમલા..

ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય પરંતુ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે. માનવ હક માટેના સ્વતંત્ર નિરીક્ષકના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી, શીખ, અહમદી અને હઝારા સહિતની લઘુમતી કોમ પર સતત હિંસક હુમલા થતા રહે છે. નિરીક્ષકે લઘુમતી કોમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની સખત શબ્દોમાં ટીકા કરી હતી. હ્યુમન રાઇટ્સ કમિશને જાહેર કરેલા ૨૦૧૭ના રિપોર્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાનમાં લોકો ગુમ થતા રહે છે, અમુક વખત એમણે દેશની શકિતશાળી સેનાની ટીકા કરી હોવાથી અથવા તો એમણે ભારત સાથે સારા સંબંધો રાખવાની તરફેણ કરી હોય માટે આ રિપોર્ટ માનવ હકના સમર્થક અસ્મા જહાંગીરને અર્પણ કરાયો હતો. તેઓ માનવ હકના પ્રખર સમર્થક હતા અને ફેબ્રુઆરીમાં એમનું અવસાન થયું હતું. કમિશને રિપોર્ટમાં લોકોના ગુમ થવા, હત્યાની સંખ્યામાં થયેલો વધારો અને સૈન્ય કોર્ટને આપવામાં આવેલી વધુ સત્ત।નો ખાસ ઉલ્લેખ કર્યો છે. નિંદાના ખોટા આરોપ અને હિંસા, જીવલેણ કામમાં રોકાયેલાં બાળકોની સંખ્યા અને મહિલાઓ સાથે કરાતી હિંસા સરકારની સૌથી નબળી બાજુ છે. રિપોર્ટમાં જણાવાયું છે ક