Skip to main content

Posts

Showing posts from December 15, 2018

કોટડા રોહાની પરિણીતાએ કર્યું બે દીકરાઓ સાથે અગ્નિસ્નાન, બે પુત્રોના મોત, માતા ગંભીર..

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ માંથી મળેલ માહિતી આધારે નખત્રાણા તાલુકાનાં કોટડા રોહા ખાતે રહેતા કરણસિંહ ખાનુભા સોઢાના ધર્મ પત્ની મીનાબા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાના બે દીકરાઓ 1. ધૈર્ય ઉ.વ. 2.5 અને 2. લક્ષ ઉ.વ. 4 માસ સાથે અગ્નિસ્નાન કરી લેતા તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર મીનાબા ની હાલત નાજુક છે જ્યારે તેમના બંને પુત્રો મરણ ગયેલ છે. આ ઘટના ને લીધે આસપાસના પંથક મા ગમગીની ફેલાઈ છે તો બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચા છે કે માતાએ પોતાના ફૂલ જેવા બે બાળકો સાથે આવું કૃત્ય શા માટે કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મીનાબા અને કરણસિંહના લગ્નને 4 વર્ષ જેટલો સમય ગાળો થયો હતો અને આ બંને જણાં સાસુ સસરા સાથે રહેતા હતા. જી.કે. જનરલ હોસ્પિટલ ની MLC રિપોર્ટ અનુસાર પોલીસે બનાવ ની વધુ તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસવીર- કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 4