રિઝર્વેશન કોચમાં નિશ્રિત મર્યાદાથી વધારે સામાન લઈ જનારા યાત્રીઓ પર રેલવે હવે લગામ કસશે. એ માટે રેલવે દેશભરના તમામ રેલવે ઝોનમાં 8થી 22 જૂન સુધી એક અભિયાન ચલાવી રહ્યું છે. એ હેઠળ યાત્રીઓ પર નજર રાખવામાં આવશે, ખાસ કરીને જે નિર્ધારિત વજન મર્યાદાથી વધારે સામાન લઈને આવાગમન કરે છે. જાણો કેટલો લઈ જઈ શકાય સામાન 1. ફસ્ટ એસીમાં 70 કિલો છે જ્યારે વધુંમાં વધું છૂટ 15 કિલો છે. સેકન્ડ એસીમાં 50 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધું છૂટ 10 કિલો છે. થર્ડ એસીમાં વધુંમાં વધું 40 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધારાની છૂટ 10 કિલો છે. જનરલ ક્લાસમાં મફત સામાન લઈ જવાની સીમા 35 કિલો છે. અને વધારાની છૂટ 10 કિલો છે. વધારે સામાન લઈ જાવાથી શું થશે સજા? આ વિશે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ તમામ શ્રેણીઓમાં નિઃશુલ્ક મર્યાદાથી વધારે સામાન યાત્રી બુક કરાવીને લઈ જાય અને જો જવાના સ્થળે પહોંચ્યા પછી તપાસ દરમિયાન યાત્રી પાસે મફત સામાન લઈ જવાની છૂટથી વધારે સામાન જોવા મળશે તો વધારાના સામાન પર પાર્સલ ચાર્જ પર 6 ગણો વધારે અથવા ઓછામાં ઓછો 50 રૂપિયા દંડ વસુલવામાં આવશે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 4...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ