આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવેલા વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થયું તેમાં પાયલોટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. પ્લેનનો તુટી પડેલો કાટમાળ 3 કિલોમીટર હિસ્સામાં ફેલાયો હતો. મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં વિમાન તૂટી પડતાં અનેક ગાયોના મોત નિપજ્યા હતા..
એર કમાન્ડર સંજય ચૌહાણ પોતાની રોજિંદી ટ્રેઈનિંગના ભાગરૂપે જામનગરથી ઉડાન ભરી હતી. બેરાજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. સવારે સાડા દસ વાગ્યે દૂર્ઘટના થઈ હતી. બેરાજા નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું હતું. પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું તે સ્થળે ગાયોનું ધણ ચરી રહ્યું હતું. જેથી ઘણી ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાસ્થળની નજીક પશુઓને ચરાવી રહેલા માલધારીઓએ પશુઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્લેન સીધું જ ગાયોના ધણ પર પડ્યું હતું. જેમાં 5 ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કયા કારણોસર આ દૂર્ઘટના સર્જાઇ તે અંગે હજુ જાણી શકાયું નથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
![]() |
Advertisement |
Comments
Post a Comment