Skip to main content

Posts

Showing posts from February 23, 2018

ગાંધીધામમાં ખોટું સોગંદનામું , મોથાળામાં દરગાહને નુકશાન

ગાંધીધામના ગોપાલપુરીમાં પ્લોટનું ખોટુ સોગંદનામું , અબડાસાનાં મોથળામાં દરગાહને નુકશાન  ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ  કરીને  પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો. આ પણ વાંચો : કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને  બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવનારા આવા અજાણ્યા ઇસમ

સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન

🖋 ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન આપી પગલાં લેવાં કરાઈ રજૂઆત. વિક્રમગીરી ગોસ્વામી જિલ્લા મથક ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવાના બાબતે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્ર પાઠવનાર , વિક્રમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે , તેમની પત્ની ગર્ભવતી હતી.અને તેના માટે તેઓ છેલ્લા નવ માસથી ભુજના ડો.ઊર્મિલાબેન મહેતા પાસેથી સારવાર અને નિયમિત દવાઓ લેતા હતા.ત્યારે  તેઓ ગત તા.૧૯/૨/૨૦૧૮ ના રોજ તેમની પત્નીને દુખાવો ઉપડતા તેઓ ડોકટર પાસે ગયા અને ડોકટરે તેમને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેમના શરીરમાં માત્ર  ૨ થી ૩ % પાણી દર્શાવાયું હતું.જેને લીધે તેઓ ચિંતિત બન્યા હતા.અને ડોકટર ઊર્મિલાબેન ને રિપોર્ટ બતાવ્યો.જેમાં ડોક્ટરે જણાવ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે. Advertisement ત્યારે અરજદાર વિક્રમગીરીએ અન્ય એક લેબોરેટરી માં તપાસ કરાવતા તેના રિપોર્ટ માં 10 થી 11% પાણી શરીર માં હોવાનું બહારે આવ્યું હતું.આ રીતે ડો.ઊર્મિલાબેન અને રિપોર્ટ કરનાર સેન્ટર વાળા બ

ઘી વાળા શાહ ચમનલાલ રાતીલાલની પેઢી ઉપર ફૂડ વિભાગનાં દરોડા

શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા ભુજની શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા પાડીને ઘી ના સેમ્પલ મેળવ્યા હતા.આ ઘીની દુકાન વર્ષો જૂની છે.અને આ દુકાનમાં ઘી નકલી અને ભેળસેળ વાળું વેચાતું હોવાની બાતમીના આધારે ફૂડવિભાગે આજે દરોડા પાડ્યા હતા. ભુજના શરાફ બજારમાં આવેલી આ ઘીની દુકાન ખાતે તપાસ ના આધારે ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જેને લેબોરેટરી માં તપાસ અર્થે મોકલવામાં આવશે.અને જો ઘી માં ભેળસેળ કરવામાં આવી હશે.તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમમાં એક મહિના અગાઉ પવનચક્કીના 20 હજાર રૂપિયાની કિંમતના કેબલની થયેલી ચોરીના બનાવમાં દેવશી લાખા કોલી (ઉ.વ.19, રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) ની કેબલ ચોરીમાં એલસીબીએ ધરપકડ કરી છે, પૂછપરછમાં તેના બે સાગરિત વેરશી તરશી કોલી (રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) અને સુખદેવ ઊર્ફે સુખો કોલી (રહે. ખોડાસર, ભચાઉ)ના નામ પણ ખુલ્યાં છે. ત્રણેય જણાંએ સાથે મળીને ચાંદ્રોડીની સીમની પવનચક્કીનો કેબલ ચોર્યો હતો. એલસીબીએ આરોપીને લાકડીયા પોલીસને