Skip to main content

સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન

🖋 ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન આપી પગલાં લેવાં કરાઈ રજૂઆત.
વિક્રમગીરી ગોસ્વામી
જિલ્લા મથક ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવાના બાબતે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્ર પાઠવનાર , વિક્રમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે , તેમની પત્ની ગર્ભવતી હતી.અને તેના માટે તેઓ છેલ્લા નવ માસથી ભુજના ડો.ઊર્મિલાબેન મહેતા પાસેથી સારવાર અને નિયમિત દવાઓ લેતા હતા.ત્યારે  તેઓ ગત તા.૧૯/૨/૨૦૧૮ ના રોજ તેમની પત્નીને દુખાવો ઉપડતા તેઓ ડોકટર પાસે ગયા અને ડોકટરે તેમને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેમના શરીરમાં માત્ર  ૨ થી ૩ % પાણી દર્શાવાયું હતું.જેને લીધે તેઓ ચિંતિત બન્યા હતા.અને ડોકટર ઊર્મિલાબેન ને રિપોર્ટ બતાવ્યો.જેમાં ડોક્ટરે જણાવ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે.
Advertisement
ત્યારે અરજદાર વિક્રમગીરીએ અન્ય એક લેબોરેટરી માં તપાસ કરાવતા તેના રિપોર્ટ માં 10 થી 11% પાણી શરીર માં હોવાનું બહારે આવ્યું હતું.આ રીતે ડો.ઊર્મિલાબેન અને રિપોર્ટ કરનાર સેન્ટર વાળા બન્ને વચ્ચે સાંઠગાંઠ હોવાનું અરજદારને જણાતાં વિક્રમગીરી એ કલેકટર સમક્ષ માંગણી મૂકી હતી કે , તબીબ અને રીપોર્ટ કરનાર સેન્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગણી જિલ્લા સમાહર્તા રેમ્યા મોહનને કરી હતી.
આ અંગે ડોકટર ઊર્મિલાબેન મહેતા નો સંપર્ક સાધતા તેમણે  પોતાનો બચાવ કર્યો હતો અને અરજદારના આક્ષેપોને પાયાવિહોણા હોવાનું ગણાવ્યું હતું.અને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરના ડોકટરનો સંપર્ક સાધતા તેણે પોતાનો રિપોર્ટ સાચો હોવાનું ગણાવીને પોતાનો બચાવ કર્યો હતો.
Advertisement
ઉલ્લેખનીય છે કે ડોકટર અને રિપોર્ટ કરવા વાળા સેન્ટર ને ભગવાન સમાન મનાય છે.ત્યારે જો આ લોકો જ દર્દીઓ સાથે છેતરપીંડી કરીને વિશ્વાસઘાત કરવાનો પ્રયત્ન કરે તો સામાન્ય માનવી જીવ બચાવવા કોના શરણે જશે.
Advertisement
આ પણ વાંચો :

જનકરાય છાયા 
કચ્છમાં આરોગ્ય અધિકારીની ફરજ બજાવી ચૂકેલા નિવૃત વૃદ્ધને છેલ્લા 12 વર્ષથી છઠ્ઠા પગારપંચ નું ચુકવણું ન થવાથી તેમણે ગાંધીનગર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર ગામ ખાતે આરોગ્ય અધિકારી ની ફરજ બજાવી ચૂકેલા અને તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ વયમર્યાદા ના લીધે નિવૃત થયેલા  હાલ ભુજ નિવાસી જનકરાય લાભશંકર છાયા એ પગારપંચ નું ચુકવણું ન થતા ના છૂટકે ગાંધીનગર વિધાનસભા ખાતે તા.૧/૩/૨૦૧૮ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
Advertisement
તા.૧/૧/૨૦૧૬ થી છઠ્ઠા પગારપંચ નું અમલીકરણ આવતા તે અન્વયે છેલ્લા 12 વર્ષથી તેમના છઠા પગારપંચ નું ફિકસેશન કરી એરિયર્સ બિલ અંગેનું ચુકવણું કરવા માટે તેમણે અનેકવાર ઉપરી અધિકારીઓ ને , કલેકટરશ્રી ,આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે.પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા તેમણે ગાંધીનગર ના વિધાનસભા ગૃહની અંદર  આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જો સરકારશ્રી દ્વારા તેમની લેણી થતી રકમનું ચુકવણું તા.૨૮/૨/૨૦૧૮ સુધી કરવામાં નહિ આવે તો નાછૂટકે સરકારની  કામગીરીથી ત્રસ્ત થઈને તેઓ ૧/૩/૨૦૧૮ ના રોજ  ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે આત્મવિલોપન કરશે.તેવી તેમણે સરકારને ચેતવણી આપી હતી.
Advertisement
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

 Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ચેનલ , કચ્છમાં સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News*94287 48643 વોટ્સએપ* ,

97252 06123 - 37,
72260 06124 - 33,
Advertisement
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Last Boll :
All know that the drop merges into the ocean but few know that ocean merges into the dorp - kabir.
બધા જાણે છે કે બુંદ સમુદ્રમાં ભળી જાય છે ,પરંતુ અમુક જ જાણે છે કે સમુદ્ર બુંદમાં ભળી જાય છે -કબીર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv