Skip to main content

Posts

Showing posts from May 18, 2018

નલીયાકાંડ ની પિડીતાની આજે ભુજ કોર્ટમાં થઈ ઉલટ તપાસ..

બહુચર્ચીત નલિયાકાંડની પિડીતા આજે ભુજ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર રહી હતી આ પહેલા તારીખ 16 ના પિડીતાને કોર્ટમાં હાજર રહેવાનુ હતુ પરંતુ તેની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તે હાજર રહી શકી ન હતી જેથી કોર્ટે 18 તારીખે વધુ કાર્યવાહી માટેના આદેશ કર્યા હતા ત્યારે આજે ફરી કોર્ટમાં તેની જુબાની સાથે તેના નિવેદનોમાં ફેરફાર અંગે કોર્ટે તેની ઉલટ તપાસ કરી હતી. નલિયાકાંડ કચ્છ ભાજપના મોટા નેતાઓની સંડોવણીના કારણે શરૂઆત થી જ હાઇપ્રોફોઇલ બની રહ્યો છે. હવે પિડીતાનુ કોર્ટમાં વારંવાર ફરી જતુ નિવેદન આપવુ અને આથી અગાઉ પિડીતા દ્વારા કરાયેલી ફરીયાદ બંધ બારેણે અપાયેલા નિવેદન તેમજ પિડીતાએ દુષ્કર્મનો ભોગ બની હોવાનુ જણાવી લીધેલી સહાય જેવા વિરોધાભાષી તથ્યો આ સમગ્ર કેસમાં નવો વણાક લાવ્યા છે. તેવામાં કોર્ટે પણ કેસની ગંભીરતાને ધ્યાને લઇ પિડીતાની ફરી ઉલટ તપાસ શરૂ કરી છે. જેથી પિડીતા ભલે હોરસ્ટાઇલ થઇ પરંતુ કોર્ટ ઇચ્છે છે કે આ કેસમાં સત્ય સામે આવે અને જો કોઇ દબાણ હેઠળ પિડીતા નિવેદનો બદલી રહી હોય તો પણ કોર્ટ તેમા મુળ ફરીયાદના સત્ય સુધી કેસને લઇ ન્યાય સુધી મામલો પહોંચાડે અત્યાર સુધી પિડીતા 3 વખત ભુજ કોર્ટમા હાજર રહી

ગાંધીધામના બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેક્ટર બિજલ જયેશ મહેતા અને તેના સાગરિતોએ સરકારી તંત્ર સાથે કરી છેતરપીંડી..

ગાંધીધામના બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેક્ટર બિજલ જયેશ મહેતા અને તેના સાગરિતોએ સાથે મળીને 20 પ્લોટના બાંધકામ અંગેની સરકારી તંત્રની રજાચિઠ્ઠી બારોબાર બનાવી દેતાં તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ ડેવલોપમેન્ટ ઑથરોટીના ભગવાનભાઈ ઓધવદાસ કલ્યાણીએ બિજલ અને તેના સાગરિતો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. આ એ જ બિજલ મહેતા છે જેણે સની લિયોની અને અરબાઝ ખાનને લઈ થોડાંક સમય પૂર્વે એક હિન્દી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આરોપીઓએ વરસામેડી સીમ સર્વે નંબર 474ના પ્લોટ નંબર 135થી 154 સુધીના 20 પ્લોટ માટે જીડીએની નકલી બાંધકામ રજા ચિઠ્ઠી બનાવી બારોબાર બંગ્લૉ બનાવી દઈ ભોળા ગ્રાહકોને વેચી માર્યા છે. બિજલ મહેતા અને તેના સાગરિતોએ 4137/R નંબરથી જીડીએની બોગસ બાંધકામ ચિઠ્ઠી બનાવી તેમાં ખોટા સહી-સિક્કા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે એક જાગૃત મહિલાએ કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. તે પછી કલેક્ટરના આદેશનાં પગલે આ પ્રકરણમાં તપાસ કરાઇ જીડીએએ ફરિયાદ નોંધી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37

કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાના દાવાની વિરુદ્ધમાં ભુજમાં પણ કોંગ્રેસે રેલી યોજી આ બનાવ અંગે વિરોધ નોંધાવ્યો..

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સરકાર રચવા પૂરતી બહુમતી સાથે કોંગ્રેસ અને જેડીએસ એ દાવો કર્યો હોવા છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપતાં કોંગ્રેસે તેને લોકશાહીની હત્યા ગણાવી હતી.જેનો કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો છે ત્યારે ક્ચ્છ જિલ્લા કોંગ્રેસે પણ આ વાત નો વિરોધ નોંધાવ્યો હતો. અને ભુજમાં પણ કોંગ્રેસે રેલી યોજી આ બનાવ અંગે વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયની સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાના દાવાની વિરુદ્ધ સુત્રોચાર સાથે ઝંડા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.પણ આ વિરોધ દમ વગર નો અને હાસ્યાસ્પદ હતો કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા નેતાઓ અને મુઠ્ઠીભર કાર્યકરો જ આ વિરોધમાં દેખાયા હતા.વિરોધમાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી,કચ્છના ૨ કોંગ્રેસી ધારાસભ્યો અને હોદેદારો સહિતના અનેક આગેવાનો ગેરહાજર રહ્યા હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page /

નખત્રાણા-સોમનાથ એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે જુનાગઢ પાસે અકસ્માત : ભુજના કંડકટરનું મોત..

નખત્રાણા-સોમનાથ રૂટના એસ.ટી. સ્લીપર કોચને જુનાગઢ નજીક અકસ્માત નડતા કંડકટરનું મોત નિપજયું હતું, તો ડ્રાઈવર અને એક પ્રવાસીને હળવી ઈજાઓ થઈ હતી. આ બનાવની મળતી વિગતો મુજબ ગઈકાલે નખત્રાણાથી નીકળેલી જી.જે. ૧૮ ઝેડ. ર૭૯૮ નંબરની સોમનાથ રૂટની એસ.ટી. ની બસ જુનાગઢ આગળ સુખપર પાટીયા પાસે વડાલ નજીક ટ્રક નંબર જી.જે. ૧૧ ઝેડ ૯રર૯ ના પાછળના ભાગમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસના પ્રવાસીઓ એક સમયે ગભરાહટમાં મુકાયા હતાં. અકસ્માતમાં બસના કડંકટર મુકેશભાઈ હર્ષ (રહે. રેવન્યુ કોલોની, ભુજ) ને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. જયારે બસના ડ્રાઈવર રામજીભાઈ તેમજ અન્ય એક પ્રવાસી મુંજાલ પરમારને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં જુનાગઢ વિભાગીય નિયામક આર.એચ. વાળા સહિતનાઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadej

કચ્છ જિલ્‍લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ૨૮૩ કામો આરંભી દેવાયા..

૫૧ જેટલા કામો પૂર્ણ કરાયા, ભુજ નગરપાલિકા વિસ્‍તારમાં ૧૫ કામોનો શુભારંભ કચ્‍છ જિલ્‍લો જળની અદમ્‍ય પ્‍યાસ ધરાવતો એશિયાનો દ્રિતિય નંબરનો જિલ્‍લો છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ગત ૧લી મે ગુજરાત સ્‍થાપના દિનથી રાજયભરમાં શુભારંભ થયેલ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્‍છ જિલ્‍લામાં ૬૪૦ જેટલા જળસંચયના કામોનો રીવાઈઝડ માસ્‍ટર પ્‍લાન મુજબ કચ્‍છ જિલ્‍લાના તમામે તમામ ૧૦ તાલુકામાં ૨૮૩ જેટલા કામોનો શુભારંભ થઇ ગયાનું જિલ્‍લાના નોડલ અધિકારી વ સિંચાઇ કાર્યપાલક શ્રી સોનકેસરીયાએ યાદીમાં જણાવ્‍યું છે. તેમના જણાવ્‍યા મુજબ અબડાસા તાલુકામાં ૧૪, અંજાર તાલુકામાં ૮, ભચાઉ તાલુકામાં ૧, ભુજ તાલુકામાં ૭, ગાંધીધામ તાલુકામાં ૨, લખપત તાલુકામાં ૩, માંડવી તાલુકામાં ૧, મુન્‍દ્રા તાલુકામાં ૭, નખત્રાણા તાલુકામાં ૨, રાપર તાલુકામાં ૬ મળી કુલ ૫૧ જેટલા કામો પૂર્ણ થઇ ગયા છે તે ઉલ્‍લેખનીય છે. બાકીના ૨૩૨ કામો પ્રગતિ હેઠળ હોવાનું શ્રી સોનકેસરીયાએ ઉમેર્યુ હતું. તો ભુજ સમેતના ૬ નગરપાલીકા વિસ્‍તારમાં ૧૫ જેટલા કામો શરૂ કરી દેવાતાં શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે. અત્રે યાદ અપાવીએ કે ગત સોમવારે તા.૧૪/૫/૨૦૧૮ના રાજયમંત્રી

ભુજ માં પાણીના કકળાટ ના કારણે આજે પાલિકા કચેરીમાં મહિલાઓએ માટલા ફોડયા..

ભુજ શહેર મા દિન - પ્રતિદિન વધી રહેલા પાણીના કકળાટ ને કારણે આજે નગરપાલિકા કચેરીમાં મહિલાઓનો મોરચો ધસી આવ્યો હતો અને પાણીની વધી રહેલી સમસ્યાઓનો વિરોધ નોંધાવ્યો હતો.ભુજ માં પાણીનો કકળાટ ના કારણે આજે પાલિકા કચેરીમાં મહિલાઓએ માટલા ફોડીને અને છાજીયા લઈને વિરોધ નોંધાવ્યો હતો. ભુજમાં પાણીની તંગીની સમસ્યા તીવ્ર બની  છે. અનેક વિસ્તારોમાં અઠવાડીયે માંડ એકવાર નામ માત્રનું અપૂરતું પાણી અપાય છે. જેથી લોકોનો આક્રોશ ઘેરો બન્યો છે. ખાસ કરીને, ભુજના વૉર્ડ નંબર 1,2,3 અને 8માં પાણીની કારમી તંગીથી કંટાળેલી મહિલાઓએ આજે ભુજ નગરપાલિકા કચેરીમાં માટલાં ફોડી વિરોધ પ્રગટ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ નગરપાલિકા કચેરીમાં માટલા ફોડી નોંધાવ્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કોંગ્રેસી નગરસેવકોની હાજરીમાં માટલાધારી મહિલા મોરચો પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને પાણી પુરવઠા સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જો કે, પરિસ્થિતિ પામી ગયેલાં એકપણ પદાધિકારી ત્યાં હાજર નહોતાં અને તેમની ચેમ્બર બહાર તાળાં લટકતાં હતા. જેથી મહિલાઓએ તેમની ચેમ્બર આગળ માટલાં ફોડી તેમના નામના છાજિયાં લીધા હતા. વૉર્ડ નંબર 8માંથ

મુન્‍દ્રા તાલુકાના નાની તુંબડીમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરાયું..

તાજેતરમાં રાજય સરકાર દ્વારા લોકોને આરોગ્‍યની સેવાઓ મળી રહે અને તે અંગે જાગરૂકતા કેળવાય તે અનુસંધાને મુન્‍દ્વા તાલુકાના નાની તુંબડી ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નાની તુંબડીના ચાર સબ સેન્‍ટર રામાણીયા, મોટી ખાખર, બેરાજા અને પ્રાગપર-૨ ના અંતરિયાળ અગિયાર ગામો રામાણીયા, બેરાજા, મોટી તુંબડી, મોટી ખાખર, કારાઘોઘા, બરાયા, બોચા, બાબીયા, પ્રાગપર-૨, ટોડા અને ડેપા જેવા ૨૦ થી ૨૨ કિલોમીટર સુધીના ગામના લોકોને સરળતાથી પ્રાથમિક સારવાર મળી રહેશે. આ તકે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ઉદઘાટન પ્રસંગે મુન્‍દ્રા-માંડવી વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્‍લા પંચાયત અધ્‍યક્ષા કૌશલ્‍યાબેન માધાપરિયા, જિ.પં.શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તા.પ.ના પ્રમુખશ્રી રણજીતસિંહ તેમજ ડાહયાલાલ આહિર, મનીષાબેન કેશવાણી, માનબાઇ દનીચા, વાલજીભાઇ ટાપરીયા, ગીરીશભાઇ છેડા તેમજ મુન્‍દ્રા તાલુકા વિકાસ અધિકારીશ્રી વાયડા તેમજ જિલ્‍લા આરોગ્‍ય શાખામાંથી મુળુભા જાડેજા અને વિજયભાઇ પરમાર ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.રાજીવ અંજારીયાના મા

જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવે લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામની પાર્ટી બનાવી..

જનતા દળ-યુનાઇટેડ (જેડીયુ),ના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે પોતાની પાર્ટીને લોન્ચ કરી છે 72 વર્ષીય શરદ યાદવએ લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામથી નવી પાર્ટીની રચના કરી છે. એલજેડીનું પ્રથમ રાષ્ટ્રીય સમ્મેલન આજે દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં યોજાશે.આજે યોજાનારી કોન્ફરન્સમાં શરદ યાદવના સમર્થકો તેમના નિવાસસ્થાન પર એકઠા થઇ ગયા છે. JDU બળવાખોર નેતા અરુણ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાંથી 8,000 લોકો આવવાની આશા છે. આ વિશે શરદ યાદવે કહ્યું કે અમારી લડાઈ બંધારણની બચત માટે શરૂ થઈ છે. હવે અમારા લોકો નવા પક્ષ સાથે આગળ વધશે. શરદ યાદવે, આરજેડી નેતા તેજસ્વીનું સમર્થન કરતા કહ્યુ કે, બિહારમાં આરજેડીની પાર્ટી મોટી હોવાથી સરકાર રચવાની તક આપવી જોઇએ. તેણે કહ્યું કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુરમાં અલગ નીતિઓ અને બિહાર માટે અલગ, આ બેવડી નતી નહી ચાલે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news liv

ભુજ નગરપાલીકાની કચેરી માં વિપક્ષે માટલા ફોડી ને વિરોધ દર્શાવ્યો..

ભુજ નગરપાલિકામાં ધસી આવેલા વોર્ડન.૧,૨,૩ અને ૮ ના રહેવાસીઓ એ રોજિંદી પાણીની સમસ્યાથી કંટાળીને ચૂંટાયેલા શાસકોને પ્રજાના આક્રમક મિજાજનો પરિચય કરાવ્યો હતો.લોક સમસ્યાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાની સાથે રહીને લોક વિરોધમાં પોતાનો સૂર પુરાવી સબળ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. રોજિંદી પાણીની સમસ્યાથી કંટાળેલા વોર્ડ ન. ૧,૨,૩, અને ૮ ના આ રહેવાસીઓએ પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં માટલા ફોડ્યા હતા.પાણી આપવામાં નિષ્ફળ ભાજપના શાસકોને ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ બંધ કરી નર્મદાનું પાણી જાહેરાત પ્રમાણે રોજ મળે તેવી ઉગ્ર રજુઆત અને સૂત્રોચ્ચાર કર્યા હતા.ઉશ્કેરાયેલા લોકોએ શાસકોની નિષફળતા વિરુદ્ધ આક્રમક રૂખ અપનાવીને ભુજ નગરપાલિકાની વિવિધ શાખાઓ ઉપરાંત મુખ્ય કચેરીને તાળાબંધી કરીને એવો સંકેત આપ્યો હતો કે જો વહીવટ બરાબર ન કરી શકતા હો તો પાલિકાને તાળા મારી ઘરે બેસી જાવ. ઉગ્ર લોક મિજાજ દર્શાવતા આ દેખાવોમાં વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના નગરસેવકો ફકીરમામદ કુંભાર,માલશી માતંગ,કાસમ સમા ઉપરાંત કોંગ્રેસના અન્ય નગરસેવકો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી