Skip to main content

Posts

Showing posts from April 18, 2018

ઇન્ટરનેટની શોધ મહાભારત કાળમાં થઈ હતી : વિપ્લવ દેવ

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા. ત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું, "આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય?" તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે. તેમણે જણાવ્યું હતું, "તેનો અર્થ એ છે કે તે સમયે ટેકનોલોજી હતી. વચ્ચે શું બન્યું, ન બન્યું, ઘણું બદલાઈ ગયું. પરંતુ તે સમયે આ દેશમાં ટેકનોલોજી હતી. લાખો વર્ષો પહેલાં આ શોધ થઈ ગઈ છે." મુખ્યમંત્રીના આ નિવેદનની ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેસબુક યુઝરે આ વાતને સદીના બ્રેકિંગ ન્યૂઝ કહ્યા છે. ઇબે ગુનાએ લખ્યું છે, "આ સદીના બ્રેકિંગ ન્યૂઝ છે: ઇન્ટરનેટની અને ઉપગ્રહની શોધ હમણાં થઈ નથી, લાખો વર્ષ પહે

વ્હોટ્સએપએ યુઝર્સને આપી વધુ એક ભેટ, લોન્ચ કર્યું આ શાનદાર ફીચર.

દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું મેસેજિંગ એપ Whatsappએ યુઝર્સને વધુ એક ભેટ આપી છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોન સ્ટોરેજ માંથી ડિલિટ કરેલી મીડિયા ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશે. WABetaInfoની રીપોર્ટ અનુસાર આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને નવા અપડેટ સાથે મળવા લાગશે. આ ફીચર યુઝર્સને WhatsAppના એન્ડ્રોઈડ અપડેટ 2.18.113માં મળશે. અત્યાર સુધીમાં દરેક યુઝર્સને આ અપડેટ મળી નથી. જો તમને પણ અપડેટ નથી મળ્યું તો થોડી રાહ જોવી પડશે. એન્ડ્રોઈડ યુઝરને આ સુવિધા જલદી મળશે પરંતુ આ ફીચરનો લાભ લેવા માટે એપલ યુઝર્સને હજુ થોડી વધારે રાહ જોવી પડશે. સૌથી પહેલા પોતાની એપ્લિકેશનને અપડેટ કરો. હવે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને નીચે આવતાં હેલ્પ ઓપ્શનને સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરતાં જ નવા ઓપ્શન સામે આવશે. હવે એપ ઈન્ફો પર ક્લિક કરો. અહિ ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમે વોટ્સએપનું કયું વર્ઝન વાપરો છો. નવા ફીચર અનુસાર, જો તમે વોટ્સએપ ફોલ્ડરથી કોઈપણ તસવીર, વિડીયો, વોઈસ મેસેજ જેવા ડિલિટ કરી છે, તો પણ આ ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશો. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલને પણ વોટ્સએપના સર્વર

શુભ મુહૂર્ત કહેવાતા અક્ષય તૃતિયાનું શાસ્ત્રોક્ત મહિમા..

અક્ષય તૃતિયા ૨૦૧૮માં વિશેષ સંયોગ લઈને આવ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે ૧૧ વર્ષ બાદ અક્ષય તૃતિયા પર ૨૪ કલાક સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે જેને ખરીદારી સહિત બીજા સારા શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. આ એક સારો સંયોગ છે. આ દિવસે રવિ યોગ અને આયુષ્યમાન યોગ પણ નિર્મિત થઈ રહ્યો છે, જે આ દિવસે શરૂ કરાયેલા કાર્યની સફળતાની સંભાવનાને વધારે છે. આજનું અક્ષય તૃતિયા અનેક રીતે મહત્વ ધરાવે છે. આ દિવસ શાસ્ત્ર સાથે જોડાયેલો છે, જેમાં દેવો સાથે જોડાયેલો આ દિવસ ખુબ જ મહ્ત્ત્વનો છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં થયા ફેરફારો : LCB PI જે.એન. પંચાલને બનાવાયા પશ્ચિમ કચ્છ DySP..

પશ્ચિમ કચ્છના એસ.પી. મહેન્દ્ર એસ. ભરાડાએ માહિતી આપતા જણાવ્યું હતું જે. એન. પંચાલને ભુજના ડીવાયએસપી તરીકેનો ચાર્જ અપાયો છે તો બીજી તરફ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જે. એમ. આલ ને જવાબદારી સોંપાઈ છે. તેમજ હવે પી.આઈ. આલના સ્થાને ભુજ બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નલિયાના સી.પી.આઈ. વી.બી. કોઠીયાની નિમણૂંક કરાઈ છે. LCBના પીઆઈ જે.એન.પંચાલને બે દિવસ પૂર્વે નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી મળતાં તેમને એસસી-એસ.ટી.સેલ, ભુજના ડીવાયએસપીનો ચાર્જ સોંપાયો છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ઉતર પ્રદેશમાં આઠ વર્ષીય બાળાની બળાત્કાર બાદ હત્યા..

કાશ્મીરના કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષીય બાળકીના બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશનો રોષ હજુ ઠંડો નથી થયો ત્યાં આવી વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઇટાહમાં લગ્ન સમારંભમાં આવેલી એક સાત વર્ષીય બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી દેતા હોબાળો મચી ગયો છે. આ ઘટના પછી વિપક્ષોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારનો આક્રમક વિરોધ શરૃ કર્યો છે. યોગી આદિત્યનાથ સરકાર ઉનાવના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરના કથિત બળાત્કાર કેસના કારણે લોકોનો રોષ સહન કરી રહી છે ત્યારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના ઇટાહની આ ઘટનાથી તેઓ ફરી એકવાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આ પીડિત બાળકીના માતાપિતાએ વિપક્ષો સાથે ઇટાહ-ફરુખાબાદ હાઇ વે પર ચક્કાજામ કરીને યોગી સરકાર સામે સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાળકીના માતાપિતાએ યોગી સરકાર પાસે રૃ. દસ લાખનું વળતર માંગ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, પીડિતાનો પરિવાર અલીગંજ રોડ પર મંડી સમિતિ દરવાજા નજીક બપોરે ૧:૩૦ વાગ્યે લગ્ન સમારંભમાં આવ્યો હતો. આ દરમિયાન સોનુ જાધવ નામના ૧૯ વર્ષીય યુવકે બાળકીને લલચાવી-ફોસલાવીને બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. અમે ગણતરીના કલાકોમાં જ તે

અમુક રાજ્યોમાં કેસની ઘટ હવે છતી થઈ રહી છે..

દેશના કેટલાક રાજ્યોમાં કેશ સંકટ જોવા મળી રહ્યું છે. તેની પાછળ ભલે બીજુ કારણ બતાવામાં આવી રહ્યું હોય પરંતુ દેશની કરન્સીની પ્રિન્ટીંગને લઇને કંઇક જુદુ જ ચિત્ર છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ નાસિકના પ્રિન્ટીંગમાં ગત નવેમ્બરથી 500 રૂપિયાની નોટનું છાપકામ બંધ હતું, જ્યારે એપ્રિલથી 200, 100 અને 50 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ 44 ટકા ઓછુ કરાયું હતું. એક મળતા અહેવાલ મુજબ પ્રેસમાં નોટનું છાપકામ 2017-18નો ટારગેટ પુરો થઇ હોવાના કારણે બંધ કરી દેવાયું હતુ. નાસિક પ્રિન્ટિગ પ્રેસને આરબીઆઇએ 18 મિલિયન નોટ છાપવાનો ટારગેટ આપ્યો હતો. એવી જ રીતે 20 અને 100 રૂપિયાના નોટનું છાપકામ પણ 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું હતું. કેશ સંકટની બહાર આવવા દેવામાં બેન્ક નોટ પ્રિન્ટિંગમાં 24 કલાક મશીન ચલાવામાં આવશે. આ માટે 9 કલાકની ત્રીજી શિફ્ટ પણ ચાલુ કરી દેવામાં આવી છે. નોટબંધી બાદ આ બીજ વખતે 24 કલાક મશીન ચલાવામાં આવી રહ્યાં છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewsl