Skip to main content

Posts

Showing posts from April 19, 2018

ભુજમાં 18 વર્ષની દીકરીએ પીટીસીની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાધો..

પરીક્ષાનો ભય આજકાલ ખુબ જ ચિંતાનો વિષય બની ગયેલ છે. હમણાં જ પરીક્ષાનો માહોલ પૂરો થયો ને એમાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં તેના પેપર નબળાં જતાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો છે. મૃતક કલ્પના સુદેશ સેંઘાણીયાનું સપનું હતું કે પોતાના પિતાની જેમ જ શિક્ષક બને જેથી તે મુંદરાની હોસ્ટેલમાં રહી પીટીસીનો અભ્યાસ કરતી હતી. તેના પિતા અંજારમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. હાલ માં જ કલ્પનાની પરીક્ષા પૂરી થતા તે તેના મામાના ઘરે ભુજના વાલદાસનગર ખાતે આવી હતી. પરીક્ષામાં નબળા પેપર ગયા હોવાના ડરને લીધે આ યુવતી સતત ભયમાં હતી જેથી તેણે ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં તેના મામા ના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે મૃતક યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email

એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વિના આરોપીની અટકાયત ન કરવા પરિપત્ર..

સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે એટ્રોસિટી એક્ટની હળવી થયેલી જોગવાઈઓનો અમલ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. રાજ્યમાં એક પછી એક તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો પોતાના તાબા હેઠળના પોલીસસ્ટેશનોમાં એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વગર આરોપીની અટકાયત ન કરવા પરિપત્રો કરી રહ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંહે પોતાના જિલ્લાના તમામ થાણા અધિકારીઓને એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપીઓની અટકાયતની કાર્યવાહીને લઈને પરિપત્ર દ્વારા આદેશો કર્યા છે. જેમાં ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને એટ્રોસિટી એક્ટ હેઠળની કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોની સંડોવણી ન થાય તે માટે આવી ફરિયાદોમાં પહેલાં તો ૭ દિવસની સમય- મર્યાદામાં પ્રાથમિક ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જ આગળ વધવા કહેવાયું છે. એટલું જ નહીં એટ્રોસિટીના ગુનામાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવી વ્યક્તિ જાહેર સેવક (સરકારી અધિકારી કે કર્મચારી) હોય તો તને નોકરી આપનાર સત્તા પરવાનગી આપે પછી જ અટકાયત કરવાની રહેશે. આરોપી જાહેર સેવક ન હોય તો પણ તપાસકર્તા અધિકારીએ બાકાયદા દરખાસ્ત કરીને મંજૂરી મેળવવી પડશે. આવી દરખાસ્ત મળ્યા પછી જ આરોપીની અટકાયત થઈ શકશે.

20 કરોડના ખર્ચે નર્મદા જિલ્લામાં બનશે ટાઇગર સફારી : સરકારે આપી મંજૂરી..

ગુજરાતમા પ્રથમવાર ટાયગર સફારી બનવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે વાઘ જોવા પણ મળશે. કારણકે સરકારે ટાઇગર સફારીની મંજૂરી આપી છે.  એક વર્ષની રજૂઆત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક તિલકવાડા તાલુકાના કાકડીયાના વન વિસ્તારમાં ટાઇગર સફારી બનાવવામાં આવશે. અહીંયા 78 હેકટર વિસ્તારમાં આ સફારી પાર્ક બનશે. 34 હેકટરમાં માત્ર વાઘનું નિવાસ્થાન હશે. વાઘ બહાર ન આવી જાય તે માટે ફેસીંગ ઉભી કરાશે.સમગ્ર વિસ્તારને લોખંડની 6 મીટર ઉંચી મજબુત ફેંસીગ ઉભી કરાશે.  નોઈઝ પોલ્યુશનથી દુર રહેવા સફારીમાં ઈ-કારની સુવિધા કરાશે. સમગ્ર પ્રોજેકટને વર્ષ 2022 સુધી $ 20 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ઘનિષ્ઠ સર્વે બાદ વાઘ માટે સાનુકૂળ વાતાવરણ હોવાનું પ્રસ્થાપિત થયા બાદ સરકારે મંજૂરીની મહોર મારી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmai

કચ્છનાં ક્રીક એરિયામાં BSF દ્વારા મેગા સર્ચ ઓપરેશન : મળી ત્રીજી સફળતા..

કચ્છનાં ક્રીક એરિયામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરવામાં આવી રહેલા મેગા સર્ચ ઓપરેશનને ત્રીજી સફળતા મળી છે. મધરાતે બીએસએફએ ક્રિકમાં ભારતીય વિસ્તારમાંથી વધુ એક નાપાક બોટને ઝડપી પાડી હતી. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) ક્ચ્છ ના સરક્રીક તથા તેની આસપાસનાં ભારતીય જળ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા બુધવાર સાંજથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સાંજે છ વાગ્યાના અરસામાં એક બોટ તથા પાકિસ્તાની ઘૂસણખોર મળી આવ્યો હતો. ત્યારબાદ બીજી એક બોટને ઝડપી લેવામાં આવી હતી. બે બોટને ઝડપી લીધા પછી પણ બીએસએફ દ્વારા રાતે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. જેમાં  રાતે બે વાગે ક્રિકમાં પોતાની નાવ લેવા માટે જેવા પાકિસ્તાનીઓ ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ ક્રિકમાં છુપાઈને બેઠેલા ભારતીય જવાનોને તેમને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નાપાક તત્વો તેમના પાકિસ્તાનની બોર્ડરથી સાવ નજીક હોવાને કારણે તેઓ બોટ મૂકીને સરકી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ બીએસએફ દ્વારા તેમની બોટને ઝડપી લેવામાં આવી હતી. અત્યાર સુધી સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ અને એક શખ્સને ઝડપી લેવામા

ભુજમાં મોડી રાત્રે રાજગોર યુવાન પર જીવલેણ હુમલો..

પ્રાપ્ત માહિતી અનુસાર , ભુજના સરપટ નાકા વિસ્તારમાં પ્રકાશ શાંતિલાલ રાજગોર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તેની પર  4 થી 6 જેટલા ઈસમોએ ગળા સહિતના ભાગ પર તીક્ષણ હથિયારોના ઘા વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલો કર્યા બાદ  હુમલાખોરો નાસી છૂટ્યા હતા.હુમલામાં અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટના ને પગલે રાજગોર સમાજના લોકો હોસ્પિટલમાં  દોડી આવ્યા હતા. ઘટના ની જાણ થતાં , જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી , LCB, SOG ,એ ડિવિઝન , બી ડિવિઝન પી.આઇ , બોર્ડર વિંગ , હોમઞાડૅના  જવાનો નો કાફલો જી.કે.જનરલ હોસ્પિટલ માં દોડી ગયો હતો.અને  સમગ્ર ઘટનાનો  તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો બીજીતરફ અફવા અને ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે સરપટ ગેટ સહિત હોસ્પિટલ મધ્યે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર , બે માસ અગાઉ થયેલા ડખ્ખાની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.આ હુમલો સમા અટક સાથે સંકળાયેલા મુસ્લિમ યુવાનો દ્વારા કરાયા હોવાનું હોસ્પિટલમાં ચર્ચા માં રહ્યું હતું. અહેવાલ - કૌશિક છાયા - મા આશાપુરા ન્યુ