રશિયા - ચીન - જર્મની - સ્વિડન સહિતના દેશોની હરોળમાં ભારત આવી ગયો.. ભારતીય રેલવેનું એન્જિન હવે ઘણુ શકિતશાળી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ બિહારના મધેપુરમાં રેલવે એન્જિન કારખાના ખાતેથી દેશનું પહેલુ ૧૨ હજાર હોર્સપાવરનું ઇલેકટ્રીક લોકોમોટિવને રવાના કર્યું છે. ૧૨ હજાર હોર્સપાવરના ઇલેકટ્રીક લોકોમોટિવ સાથે ભારતીય રેલવે હવે રશિયા, ચીન, જર્મની અને સ્વિડન સહિત તે દેશોની યાદીમાં સામેલ થઇ જાશે કે જેમની પાસે ૧૨ હજાર હોર્સપાવર અથવા તેનાથી વધુ ક્ષમતાવાળુ ઇલેકટ્રીક રેલવે એન્જિન છે. હાલમાં ભારતીય રેલવેની પાસે અત્યાર સુધી સૌથી વધુ ક્ષમતાવાળુ ૬૦૦૦ હોર્સપાવરનું રેલવે એન્જિન રહ્યું છે. પ્રતિ કલાક મહત્તમ ૧૧૦ કિલોમીટરની ગતિથી માલવહન કરવામાં સક્ષમ રેલવે એન્જિન માલગાડીઓની ગતિ અને લોડિંગ કેપેસીટીની ક્ષમતામાં સુધારો થશે. ફ્રાંસની કંપની અલ્સટોમના રોકાણની સાથે સંયુકત સાહસથી મધેપુર કારખાનુ બન્યું છે. ૨૦ હજાર કરોડ રૂપિયાની આ પ્રોજેકટ હેઠળ ૧૧ વર્ષોના ગાળામાં ૧૨ હજાર હોર્સપાવરના ૮૦૦ રેલવે એન્જિન બનવાની આશા છે. ૮૦૦ રેલવે એન્જિન બનાવવા ઉપરાંત મધેપુરમાં કારખાનું સ્થાપિત કરવા અને સહારનપુર અને ન...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ