Skip to main content

Posts

Showing posts from April 10, 2018

ભારતની સૌથી ઝડપી ટ્રેનને લીલી ઝંડી આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ..

રશિયા - ચીન - જર્મની - સ્વિડન સહિતના દેશોની હરોળમાં ભારત આવી ગયો.. ભારતીય રેલવેનું એન્જિન હવે ઘણુ શકિતશાળી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ બિહારના મધેપુરમાં રેલવે એન્જિન કારખાના ખાતેથી દેશનું પહેલુ ૧૨ હજાર હોર્સપાવરનું ઇલેકટ્રીક લોકોમોટિવને રવાના કર્યું છે. ૧૨ હજાર હોર્સપાવરના ઇલેકટ્રીક લોકોમોટિવ સાથે ભારતીય રેલવે હવે રશિયા, ચીન, જર્મની અને સ્વિડન સહિત તે દેશોની યાદીમાં સામેલ થઇ જાશે કે જેમની પાસે ૧૨ હજાર હોર્સપાવર અથવા તેનાથી વધુ ક્ષમતાવાળુ ઇલેકટ્રીક રેલવે એન્જિન છે. હાલમાં ભારતીય રેલવેની પાસે અત્યાર સુધી સૌથી વધુ ક્ષમતાવાળુ ૬૦૦૦ હોર્સપાવરનું રેલવે એન્જિન રહ્યું છે. પ્રતિ કલાક મહત્તમ ૧૧૦ કિલોમીટરની ગતિથી માલવહન કરવામાં સક્ષમ રેલવે એન્જિન માલગાડીઓની ગતિ અને લોડિંગ કેપેસીટીની ક્ષમતામાં સુધારો થશે. ફ્રાંસની કંપની અલ્સટોમના રોકાણની સાથે સંયુકત સાહસથી મધેપુર કારખાનુ બન્યું છે. ૨૦ હજાર કરોડ રૂપિયાની આ પ્રોજેકટ હેઠળ ૧૧ વર્ષોના ગાળામાં ૧૨ હજાર હોર્સપાવરના ૮૦૦ રેલવે એન્જિન બનવાની આશા છે. ૮૦૦ રેલવે એન્જિન બનાવવા ઉપરાંત મધેપુરમાં કારખાનું સ્થાપિત કરવા અને સહારનપુર અને ન

દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી આજે ભુજમાં ...

દલિત આગેવાન  જિજ્ઞેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યાં હતા. બપોરે ભુજ આવી પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ જમીનનો કબ્જો ના મળતાં કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતરેલાં રાપરના દલિત સભાસદો ની છાવણીની મુલાકાત લીધી હતી અને જમીનનો કબ્જો ન મળવા અંગે દલિત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ક્ચ્છ માં સરકારી જમીનની દલિતોને ફાળવણી થઈ ગઈ હોવા છતાં દલિતોને 35 વર્ષથી જમીનનો કબ્જો ના મળતો હોવા મુદ્દે આગામી 14મી એપ્રિલે મેવાણીએ સામખિયાળી હાઈવે પર ચક્કાજામનું એલાન આપ્યું છે.  જો 13 એપ્રિલ સુધીમાં વહીવટીતંત્ર જમીનનો કબ્જો સોંપવામાં નિષફળ નીવડે તો 14 એપ્રિલે ક્ચ્છ ના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવશે. જેના  સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી ભાવિ આંદોલનને સફળ બનાવવા અંગે ચર્ચા પણ કરી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymals

બિહારમાં ધમાલ : આરામાં પથ્થરમારો આગજની : ૧૪૪ કલમ લાગુ, ભિંડ - મુરૈનામાં કર્ફયુ..

તંત્ર એલર્ટઃ બિહારના સંખ્યાબંધ ભાગોમાં ફાયરીંગના અહેવાલો : દેશભરમાં એલર્ટ જોકે બંધની અસર દેશભરમાં જોવા મળી નથીઃ યુપી - મધ્યપ્રદેશ - રાજસ્થાનમાં શાંતિપૂર્ણ દેખાવો દેશભરમાં સોશ્યલ મીડિયા પર અફવા તરીકે સોમવારના રોજ ભારત બંધનું આહ્વાની અસર હવે રસ્તા પર પણ દેખાય રહી છે. જો કે આખા દેશમાં તેની અસર જોવા મળી નથી. પરંતુ બિહારના કેટલાંક જિલ્લાઓમાંથી ભારત બંધ દરમ્યાન પ્રદર્શન અને આગચંપીના સમાચાર છે. આરામાં રાજગીરથી દિલ્હી આવી રહેલ શ્રમજીવી એકસપ્રેસને પ્રદર્શનકારીઓએ રોકી દીધી. આ સિવાય બીજી કેટલીય જગ્યાએથી પણ ટ્રેનોને રોકવાના સમાચાર છે. ટીવી રિપોર્ટસના મતે આરામાં અનામત સમર્થક અને વિરોધીઓની વચ્ચે ઝપાઝપી પણ થઇ અને ફાયરિંગના સમાચાર પણ આવી રહ્યાં છે. ૬ થી ૭ પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર પણ છે. આ સિવાય આરા-બકસર રોડ પર પણ પ્રદર્શનકારીઓ છે અને વાહનોની અવરજવર ઠપ્પ કરી દીધી છે.  હિંસા બાદ આરામાં ૧૪૪ કલમ લાગૂ કરી દેવાઇ છે. અનામત વિરોધી ભારત બંધ કહેવાતા આ પ્રદર્શનમાં સામેલ કેટલાંક યુવકોના ગ્રૂપે બિહારના ભોજપુરમાં રસ્તો જામ કરી દીધો અને કેટલાંય સ્થળોએ આગચાંપીના સમાચાર પણ છે. આ સિવાય કૈમૂર જિલ્લામ

સતત મોંઘી બને છે હોમલોન, HDFC અને BOBએ વ્યાજદરમાં કર્યો વધારો..

ભારતીય રિઝર્વ બેંકે પોતાની મોનીટરી પોલિસીમાં પોલિસી રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ તેમ છતાં બેંક અને નાણાકીય સંસ્થાઓ સતત પોતાની લોનની વ્યાજદરમાં વધારો કરી રહી છે. શરૂઆત ખાનગી ક્ષેત્રની બેંકો એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિંદ્રા બેંકે કરી હતી. ત્યારબાદ તેમાં સરકારી બેંકો પણ સામેલ થઇ ગઇ. એસબીઆઇ પણ પોતાના વ્યાજદર વધારી ચૂકી છે. ત્યારબાદ હવે બેંક ઓફ બરોડા અને એચડીએફસીએ પણ વ્યાજદરોમાં વધારો કર્યો છે. હોમ લોન આપનાર કંપની એચડીએફસીએ વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકે જણાવ્યું કે લોનના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. કંપનીએ નાની લોન પર સૌથી ઓછા વ્યાજ દર વધાર્યા છે. જે લોન 30 લાખ રૂપિયા સુધી છે અને મહિલાઓના નામે છે તેમના વ્યાજ સૌથી ઓછા વધારવામાં આવ્યા છે. અત્યારે આ પ્રકારની લોન પર વ્યાજના દર 8.40 ટકા હતા, જ્યારે તેને વધારીને 8.45 ટકા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 30 લાખ રૂપિયાથી માંડીને 75 લાખ રૂપિયા સુધીની લોન પર મહિલાઓ માટે વ્યાજદર 8.55 ટકા અને અન્ય માટે 8.60 ટકા હશે. તો બીજી તરફ 75

ગુજરાતમાં ફરજીયાત હેલ્મેટ પહેરવા તમામ પોલીસકર્મી ઓને કરાયો આદેશ..

રાજ્યનો ગૃહ વિભાગ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા ઉપરાંત માથાનો દુખાવો બની ગયેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. એક મોટા ભાગના પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિક ના નિયમોનું સરેઆમ ભંગ કરતા હોવાથી પોલીસ વિભાગ જ શરમજનક સ્થિતિમાં મુકાઈ જતો હોય છે. ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ આ બાબતને ધ્યાનમાં લઇને રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને એક પરિપત્ર પાઠવી આદેશ કર્યો છે કે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ એ ફરજીયાત પણે હેલ્મેટ પહેરવું અને તેનો અમલ તાત્કાલિક અસરથી કરવો અને પરિપત્ર ના આદેશ નો અમલ નહિ કરનાર સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, ડીજીપી શિવાનંદ ઝા એ પોતાના શિસ્ત મુજબ રાજ્યમાં પોલીસ વિભાગની ઇમેજ બદલવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. આ પહેલા શિવાનંદ ઝા એ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે પોલીસે ફરજ દરમિયાન યુનિફોર્મ ફરજીયાત પહેરવા આદેશ આપ્યો હતો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android

વિદેશ નોકરી આપવાની લાલચ આપીને ઠગાઈ કરનાર ભુજનો શખ્સ પકડાયો..

પટણા પોલીસે નાણા પડાવવાના કેસમાં ભુજના શખ્સ સહિત પાંચની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગત મુજબ પટણા પોલીસે ગરીબનવાઝ અને મોહમદ હુસેન નામના બે શખ્સોને ૧૨ પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. પુછપરછના આધારે પોલીસે ભુજના હરીશ રાણા, વડોદરાના કિરણ આહિર અને ધવલ પટેલની ધરપકડ કરાઈ છે. આ ઈસમો પાસેથી રોકડ દોઢ લાખ, એક વજનકાંટો, બ્લડપ્રેસર માપવાનું યંત્ર, ૩૦૧ સિરીન્જ, ૬૮ બ્લડ સેમ્પલ, ૩૦૦ ફોર્મ જપ્ત કર્યા છે. આરોપી વિદેશ જવા ઈચ્છતા યુવાનો પાસે ચાર ચાર હજાર રૃપીયા લેતા હતા, આ બનાવનો મુખ્ય સુત્રધાર હકીમ હોવાનું બહાર આવવા પામ્યું છે. જે દિશા તરફ તપાસ આરંભી દેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આવનારા દિવસોમાં વધુ હકીકતો ખુલવા પામશે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે..

ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં.. સૌથી વધુ આત્મહત્યા સુરતમાં, સૌથી ઓછા કિસ્સા બોટાદમાં.. આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે. રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે. સત્તાવાર આંકડાઓમાંથી એ પણ જાણવા મળે છે કે સુરત શહેર, રાજકોટ ગ્રામ, અમદાવાદ (શહેર-જિલ્લો) ગાંધીનગર વગેરેમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ૨૦૧૬ કરતાં ૨૦૧૭માં વધારો થયો હતો. એમાંય સુરત શહેરના આંકડામાંનો વધારો ખૂબ જ સૂચક બની રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો મુજબ ૨૦૧૬માં કુલ ૫૪૩૦ લોકોએ આપઘાત કર્યો હતો અને ૨૦૧૭માં તે સંખ્યા ૫૩૪૧ હતી. આમ કેસોમાં એકંદરે ઘટાડો નોંધાયો હતો. પરંતુ આગળ જણાવ્યું તેમ ચાર જિલ્લાઓમાં આંક ઊંચકાયો હતો. આંકડાઓ એમ પણ સૂચવે છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં મહાનગરો અને સંલગ્ન ગ્રામ વિસ્તારોમાં થતી આત્મહત્યાઓ સમગ્ર રાજ્યમાં બનતી ઘટનાઓમાં સિંહફાળો ધરાવતી હોય છે. કેસોની સંખ્યાનું વિશ્

નીરવ મોદીની ધરપકડની ભારે ચર્ચા : ચીને ભારતને કહ્યુ હોંગકોંગ સાથે વાત કરો

ભારતમાં અબજો રૂપિયાનું કૌભાંડ કરી ભાગી જનાર નિરવ મોદીની હોંગકોંગમાં ધરપકડ થયાના અહેવાલો ભારે પ્રસાર પામી રહ્યા છે ત્યારે ચીન સરકારે કહ્યુ છે કે નિરવ મોદી પ્રકરણે ભારત સરકાર સીધી હોંગકોંગ સાથે વાતચીત કરે : હોંગકોંગ સરકાર નિર્ણય લેશે ભારતને મદદ કરવી કે કેમ?