ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં..
સૌથી વધુ આત્મહત્યા સુરતમાં, સૌથી ઓછા કિસ્સા બોટાદમાં..
આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે. રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે. સત્તાવાર આંકડાઓમાંથી એ પણ જાણવા મળે છે કે સુરત શહેર, રાજકોટ ગ્રામ, અમદાવાદ (શહેર-જિલ્લો) ગાંધીનગર વગેરેમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ૨૦૧૬ કરતાં ૨૦૧૭માં વધારો થયો હતો. એમાંય સુરત શહેરના આંકડામાંનો વધારો ખૂબ જ સૂચક બની રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો મુજબ ૨૦૧૬માં કુલ ૫૪૩૦ લોકોએ આપઘાત કર્યો હતો અને ૨૦૧૭માં તે સંખ્યા ૫૩૪૧ હતી. આમ કેસોમાં એકંદરે ઘટાડો નોંધાયો હતો. પરંતુ આગળ જણાવ્યું તેમ ચાર જિલ્લાઓમાં આંક ઊંચકાયો હતો. આંકડાઓ એમ પણ સૂચવે છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવાં મહાનગરો અને સંલગ્ન ગ્રામ વિસ્તારોમાં થતી આત્મહત્યાઓ સમગ્ર રાજ્યમાં બનતી ઘટનાઓમાં સિંહફાળો ધરાવતી હોય છે. કેસોની સંખ્યાનું વિશ્લેષણ કરીએ તો કુલ કેસોના ૬૨ થી ૬૩ ટકા કેસ આ ચાર વિસ્તારોના હોય છે. અર્થાત્ શેષ ગુજરાતના કેસોનું પ્રમાણ ૩૭ થી ૩૮ ટકા જેટલું હોય છે. આત્મહત્યાના સૌથી ઓછા પાંચ-પાંચ કેસ બોટાદ જિલ્લામાં નોંધાયા હતા જ્યારે સૌથી વધુ ૧૯૯૭ કેસ સુરત શહેર-ગ્રામ્ય વિસ્તારના હતા.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment