Skip to main content

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત
સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત 
પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે.
મૃતક અર્જુન ભાનુશાલી
સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે.
ઘાયલ પ્રભુ ભાનુશાલી
ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો
સમપૂર્ણ વિગત માટે વાંચો :
ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ માં રહેતા પ્રભુ ભાઈ ભાનુશાલી ( રહે.ભુજ )માનકુવા ખાતે એક ક્રિકેટ મેચ રમવા ગયા હતા.ત્યાંથી પરત ફરતી વખતે પ્રભુ ભાઈ ભાનુશાલી અને અર્જુન મોરારજી ભાનુશાલી (રહે.ઝુરા) બાઈક પર ભુજ પરત ફરી રહ્યા હતા.ત્યારે જૂની બગાવતને ધ્યાને રાખીને આરોપીઓએ તેમને ગાળો આપી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ દરમ્યાન આરોપીઓ જે બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં સવાર હતા.તેમણે પ્રભુ અને અર્જુનની બાઈક ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારબાદ આરોપીઓએ રોંગ સાઈડ માંથી સ્કોર્પિયો કાર હંકારીને પ્રભુ અને અર્જુનની બાઈક ને ટક્કર આપીને અકસ્માત સર્જ્યો હતો.જેના કારણે બાઈક અને સ્કોર્પિયો ની ટક્કર થવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં અર્જુન ભાનુશાલીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અને પ્રભુ ભાનુશાલી ટક્કરથી ફંગોળાઈને કેનાલમાં પડતા તેને ઈજાઓ પહોંચી હતી.આ એક અકસ્માત નથી.પરંતુ એક પ્રિ- પ્લાનિંગ મર્ડર કેસ છે.પરંતુ આ કેસમાં હજી એક નવો વળાંક આવ્યો છે.આરોપીઓ ની દુશ્મની પ્રભુ ભાનુશાલી સાથે હતી અને જેથી આરોપીઓએ તેને મારવા માટે પ્લાનિંગ કર્યું હતું.પરંતુ આ કેસમાં મોત અર્જુન ભાનુશાલી નું થયું છે.આ મર્ડર કેસમાં કુલ છ આરોપીઓ હતા.જેમાં (૧) કાનજી ભીમજી (૨) ધીરજ ભીમજી (૩) જગદીશ - નરસિંહ (૪) દિનેશ દેવજી અને બાકીના બે  આરોપી અજાણ્યા ઈસમો હતા.જેની ઓળખ થઈ શકી નથી.
અગાઉ પ્રભુ ભાનુશાલી ના ભાભીએ આપઘાત કર્યો હતો.જે કેસમાં તેના ભાભીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પ્રભુ ભાનુશાલી હોવાનું બહારે આવ્યું હતું.જેથી તેને પાલારા જેલમાં સજા થઈ હતી.ત્યારે આરોપીઓએ  (તેના ભાભીના પક્ષ વાળા ) પાલારા જેલમાં જઈને પ્રભુને જેલની બહાર આવતા ની સાથે જાનથી  મારી નાખવાની ધમકી આપી હતી.જેના અનુસંધાને આ ઘટના ઘડવામાં આવી હતી.પરંતુ મોત પ્રભુ ભાનુશાલીનું ન થતા અન્ય વ્યક્તિનું થયું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ લખીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
અહેવાલ અને તસ્વીર ; કિરણ ગોરી, કૌશિક છાયા.

Advertisement

આ પણ વાંચો : 
કચ્છ માં 4.1 નો ભુકમ્પ નો આંચકો

ભચાઉ થી સાઉથ ઇસ્ટ 23 કિમિ પર ભુકમ્પ નો આંચકો અનુભવાયો
4.36 કલાકે આંચકો આવતા લોકો ઘર બહાર દોડી આવ્યા
આ આંચકા ની તીવ્રતા ભુજ સુધી અનુભવાઈ હતી.

આ પણ વાંચો :
ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ વી. જાડેજા
ભચાઉ નગરપાલિકાના પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કાવત્રાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેનપદે વિમળાબેન શામળીયાની વરણી કરવામાં આવી છે. 
Publishing Today , Created on Feb 25, 2018
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
Safe and Sure Driving 
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Last boll
મૌનનાં માળામાં પ્રેમ ગીત ગાય છે

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv