Skip to main content

Posts

Showing posts from January 23, 2018

જફારની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ

🖋 જફાર થેબાની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ. મૃતક જફારની ફાઇલ તસ્વીર  જયાં ઘટના બની હતી તે સ્થળ ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની  22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓના નામ બહાર આવ્યા હતા , જેમાં ચાર આરોપી ના નામ બહાર આવ્યા હતા , આજે 23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા આરોપી સિકંદર 

હવે કાલવી સાહેબ નહીં નિહાળે પદ્માવત

  🖋  રાજપુત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પદ્માવત ફિલ્મ નિહાળવાનો ઇન્કાર કરી દીધો છે.  (મા ન્યુઝ , 23 જાન્યુઆરી, 18:23): સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યુ હતુ કે તેઓ પદ્માવત ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. આજે તેમણે કહ્યુ હતુ કે, ફિલ્મ સામેનો અમારો વિરોધ ચાલુ છે. અમે ફિલ્મ નહી નિહાળીએ. રપમીએ ભારત સજ્જડ બંધ રહેશે અને જનતા કર્ફયુનો માહોલ સર્જાશે.  ફિલ્મ 'પદ્માવતને લઈને યુપી પણ બધા રાજયોની જેમ ચિંતિત છે. જયારે આ ફિલ્મ સામે આવી અને વિરોધ શરૂ થયો તો યોગીજીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો. હવે અમે પદ્માવતી નહીં, પદ્માવતનો વિરોધ કરી રહ્યા છીએ.સીએમ યોગી જ બતાવશે કે તે આ ફિલ્મને લઈને કેવા પગલાં ઉઠાવશે. આજે કાલવી સાહેબે સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ નિહાળનાર નથી, વધુમાં એમણે કહ્યુ હતુ કે ભણશાળી ગ્રુપ તરફથી પત્ર આવ્યો હતો પરંતુ તે વિશ્વાસઘાત સમાન હતો. તે ઇચ્છતા હતા કે અમે ફિલ્મ નિહાળવા માટે ઇન્કાર કરીએ. તેઓ આજે પોરબંદરમાં છે. સેન્સર બોર્ડે પણ માત્ર ત્રણ લોકોને ફિલ્મ દર્શાવી હતી. છ લોકોને ફિલ્મ દર્શાવવામાં આવી ન

શિવસેના લોકસભાની ચૂંટણી એકલે હાથે લડશે, ભાજપને મોટો ફટકો..

શિવસેના લોકસભાની ચૂંટણી એકલે હાથે લડશે, ભાજપને મોટો ફટકો.. ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનને મોટો ફટકો.. ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. ગઠબંધનના સૌથી જૂના સહયોગી પક્ષ શિવસેનાએ આજે જાહેરાત કરી કે 2019માં લોકસભા અને બાદમાં વિધાનસભાની ચૂંટણી તે એકલા હાથે લડશે. ભાજપ અને શિવસેનાની વચ્ચે બે દાયકાથી વધારે સમયથી મિત્રતા છે. શિવસેનાની આ જાહેરાત બાદ કહેવાય છે કે, 2019માં બન્ને પક્ષના રસ્તા અલગ થઈ જશે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિવસેના અને ભાજપમાં રાજ્ય અને કેન્દ્ર સ્તરે સંબંધોમાં ઘણાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલા જ ધમકી આપી હતી કે જો જરૂર પડશે તો તેનો પક્ષ એનડીએમાંથી અલગ થઈ જશે. પક્ષ નેતા સંજય રાઉતે કહ્યું કે તેનો પક્ષ 2019ની લોકસભા અને પછીની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. શિવસેનાના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણીને કારણે ભાજપ શિવસેના અલગ પડી ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મ

ગુજરાતનાં પ્રધાન રોકાયાં છે તે હોટલમાં લાગી આગ..

ગુજરાતનાં પ્રધાન રોકાયાં છે તે હોટલમાં લાગી આગ.. ગુજરાતનાં રાજ્ય કક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લંડન ગયાં છે. ગુજરાતમાંથી લંડન ગયેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સેન્ટ્રલ લંડનમાં બનેલી એક આગની ઘટનામાં માંડ માંડ બચ્યાં હતાં. વિભાવરીબેન લંડન ખાતેની અંબા પટેલ ચેરીંગ હોટલ ખાતે રોકાયા હતા. આ હોટલમાં અચાનક આગ લાગી હતી અને પછી ગેસ ગળતર થતાં મોટો ખતરો પેદા થયો હતો. જો કે હોટલના વહીવટી તંત્રે સમયસૂકતા વાપરીને તેમને તાત્કાલિક અસરથી અન્ય હોટલમાં શિફ્ટ કરી દીધાં હતાં. આ અંગે મળતી માહિતી પ્રમાણે, હોટલની આગમાં વિભાવરીબેન દવેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ સળગી ગયા હોવાથી આ અંગેની નવી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમણે તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી તથા હાઇકમિશનરને જાણ કરીને તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાના છે. મંગળવારે ગુજરાતન વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી 179 ઘારાસભ્યોએ શપથ લીધા હતા. વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે હ

અંજારના બે માસ પહેલાના મર્ડર કેસનો આરોપી અંતે પકડાયો..

અંજારના બે માસ પહેલાના મર્ડર કેસનો આરોપી અંતે પકડાયો.. અંજાર રેલવે સ્ટેશન નજીક જીઆઈડીસી સિગ્નલ પાસે બે મહિના પહેલાં 23 વર્ષના યુવક પર ઘાતક હુમલો કરી તેની હત્યા નીપજાવવાનાં બનાવમાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી યુવકના હત્યારાની ધરપકડ કરી લીધી છે. અંજારના ધબડા ચાર રસ્તા નજીક ભોલેનાથનગરમાં રહેતો શૈલેષ નટવરલાલ દરજી નામનો યુવક ૨૩મી નવેમ્બરની સવારે અંજાર જીઆઈડીસી સિગ્નલ પાસે માથામાં ઈજા સાથે બેશુધ્ધ હાલતમાં મળી આવ્યો હતો. આગલા દિવસની રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે તેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. શૈલેષને બેશુધ્ધ હાલતમાં અંજાર અને બાદમાં ભુજ તેમજ છેલ્લે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ, એક અઠવાડીયાની સારવાર બાદ પહેલી ડિસેમ્બરે તેનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. રેલવે પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી બાતમીદારો એક્ટિવ કરતાં પોલીસ સમક્ષ શકમંદ આરોપી તરીકે તેના જ ફળિયામાં રહેતા હિતેન્દ્રસિંહ જોરૂભા વાઘેલા (ઉ.વ.૨૦)નું નામ સામે આવ્યું હતું. પોલીસે હિતેન્દ્રસિંહની અટક કરી સઘન પૂછપરછ કરતાં તે

સુપ્રીમે રાજસ્થાન, મ.પ્ર. અને કરણીસેનાની અરજી ફગાવી

🖋 સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સરકાર અને કરની સેનાની ફિલ્મ પદ્માવત ઉપર પ્રતિબંધની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમે કહ્યું કે જો તમે ઈચ્છતા ન હો તો જોશો નહીં પરંતુ સ્ક્રીનીંગ પર પ્રતિબંધ ન હોઈ શકે. (મા ન્યુઝ , 23 જાન્યુઆરી,14:19) મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશ બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતની હુકમના પાલન માટે સરકારો અને અન્યો માટે શ્રેષ્ઠ છે."સરકારો અને લોકોએ સમજી લેવું જોઈએ કે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર અને પછી કોર્ટનો આદેશ છે ... તેના દ્વારા સારો દેખાવ કરવો. સુપ્રીમે કહ્યું કે જો તમે ઈચ્છતા ન હો તો જોશો નહીં પરંતુ સ્ક્રીનીંગ પર પ્રતિબંધ ન હોઈ શકે. "તે પણ પુનરોચ્ચાર કર્યો હતો કે રાજ્યોએ ખાતરી કરવી જ જોઇએ કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે.તેમની અરજીમાં, રાજ્યોએ એવો દાવો કર્યો હતો કે સિનેમાટોગ્રાફ અધિનિયમની કલમ 6 કાયદો અને વ્યવસ્થાના સંભવિત ઉલ્લંઘનના આધારે કોઈ પણ વિવાદાસ્પદ મૂલાકાતને રોકવા માટે સમર્થ બનાવે છે અને સત્તા ખુલ્લી રહેવાની રહે છે. દરમિયાન, કરણી સેનાના સ્થાપક લોકિંદ્ર સિંઘ કાલ્વીએ જણાવ

વર્જિનીટી પરીક્ષણ ,પછી જ યુવતીનાં લગ્ન

🖋  આજે પણ યુવતીઓને  "વર્જિનિટી પરીક્ષણ" આપવું પડે છે. (મા ન્યુઝ , 23 જાન્યુઆરી,9:49) - "હવે સમય બદલાયો છે, મહિલાઓ પણ પુરુષ સમોવડી છે , યુવક કે યુવતી વચ્ચે કોઈ ભેદ નથી." આ તમામ શબ્દોનો છેદ પુણે નાં પીપીરી ગામે ઉડી ગયો છે , આ ગામમાં આજે પણ યુવતીઓને લગ્નની રાતે પોતે કુંવારી છે એ માટે "વર્જિનીટી પરિક્ષણ " આપવું પડે છે. પુણેનાં પીપરી ગામનાં ભટનગર ખાતે રવિવારે લગ્ન હતા , તે દરમિયાન કંજારભાટ યુવાનો કે જેઓ એક જાગૃતિ માટે એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે , આ ગ્રુપનાં સભ્યો યુવતીઓના વર્જિનીટી પરિક્ષણ સામે અવાજ ઉઠાવ્યો છે , ત્યારે રવિવારે આ વોટ્સએપ ગ્રુપનાં સભ્યો લગ્ન દરમિયાન ત્યાં ગયા ત્યારે આ સમુદાયના આશરે ૪૦ જેટલાં લોકોનાં ટોળાંએ કંજારભાટ ગ્રુપનાં યુવાનોને માર માર્યો હતો. વોટ્સએપ ગ્રુપથી જાગૃતિ ફેલાવતાં આ સભ્યો  “Stop the V-ritual” અભિયાન ચલાવે છે,આ યુવાનો જાતિ પંચાયત સામે લગ્નની પ્રથમ રાતે વધુઓનાં કુંવારા હોવાનાં પરિક્ષણ સામે આવજ ઉઠાવ્યો છે , રવિવારે એક જૂથ દ્વારા તેમને માર મારવામાં આવતાં પ્રશાંત અંકુર નામનાં ૨૫ વર્ષિય યરવડા ભાટ નગરનાં નિવાસીએ પીપરી પોલીસ સ