Skip to main content

Posts

Showing posts from March 5, 2018

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામી ની નિમણુક કરાઈ..

નલિયા સામૂહિક દુષ્કર્મકાંડમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ગુજરાત સરકારે કચ્છના ધારાશાસ્ત્રી કલ્પેશ સી. ગોસ્વામીની નિમણૂંક કરી છે. જે-તે સમયે એસપી દ્વારા આ કેસની તપાસ માટે ખાસ સીટની રચના કરાઈ હતી. તેમજ સીટની તપાસ પર સીઆઈડીના ખાસ અધિકારીઓને સુપરવિઝનની કામગીરી સોંપાઈ હતી. આ કેસમાં કૉર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ગયા બાદ સીઆઈડીએ ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ પ્રપોઝલ મુકી હતી. જેના અનુસંધાને સરકારે અમદાવાદના ધારાશાસ્ત્રી ચેતન કે. શાહની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી હતી. જો કે, સરકારે હવે ચેતન શાહની નિમણૂંક રદ્દ કરી ગૃહ વિભાગ અને કાયદા વિભાગના પરામર્શ કલ્પેશ ગોસ્વામીની નિમણૂંક કરાઈ છે અને તે અંગે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. તેમની નિમણૂંક અંગે જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, કલેક્ટર, બોર્ડર રેન્જ આઈજી, પૂર્વ કચ્છના એસપી અને પશ્ચિમ કચ્છના એસપી સહિતના લોકોને સત્તાવાર જાણ કરાઈ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maane

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં યુવકના આપઘાતમાં નોંધાઈ ફરીયાદ..

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં એક યુવક રાજેશ ઊર્ફે રાધેશ્યામે ૧લી માર્ચે આપઘાત કરી લીધો હતો. રાજેશે મરતાં પહેલાં ‘પોતાની પત્ની અને સાળાના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનું’ લખ્યું હતું. આ અંગે રાજેશના પિતા રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે કે રાજેશની પત્ની કામિની અને તેનો સાળો હરેશ કિશનલાલ વાધવાની રહે. મેઘપર-બોરીચી મિલકત પચાવી પાડવા તેના પર સતત માનસિક ત્રાસ ગુજારતાં હતા અને આ માનસિક ત્રાસ હદ બહાર જતા જે સહન ના થવાથી રાજેશે આ ગળે ફાંસો ખાઈ ને આપઘાત કર્યો હયો. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજેશ એસી રીપેરીંગનું કામ કરતો હતો. તે મેઘપર બોરીચીમાં બે મકાન ધરાવે છે. તેની પત્ની અને સાળો મકાન તેમના નામે કરવા માટે તેને સતત માનસિક ટોર્ચર કરતાં હતા. મૃતક રાજેશે કામિની સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. પોલીસે આરોપીઓ વિરુધ ગુન્હો નોંધી ને તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / grou

બે દિવસ અગાઉ ઝેરી દવા પી લીધેલ યુવકનું આજે મોત નીપજ્યું..

ગત તા. ૩-૩-૨૦૧૮ ના રોજ ભુજ કોમર્સ કોલેજ પાસે ગણેશ નગર ખાતે રહેતા રવજી હારૂ કોલી ઉ.વ. ૨૯ વાળા અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેલ હતી જેની સારવાર અર્થે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આજે એ જ પરિણીત યુવાન નું ભુજ ની જી.કે. જનરલ ખાતે મોત નીપજ્યું હતું. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com