ભુજના હમીરસર તળાવ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે ભક્તિ ભાવ પૂર્વક આજે શીતળા તેરસની ઉજવણી કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.અને માં ના દર્શનનો લાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે , ભુજના હમીરસર તળાવ પાસે આવેલું શીતળા માતાનું મંદિર રાજાશાહી ના સમયમાં સ્થપાયેલું છે.અને આ મંદિર પૌરાણિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે .દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા તેરસ નિમિતે અહીંયા મેળો ભરાયો હતો.અને નાના બાળકોથી માંડીને સૌ કોઈએ આ મેળાનો લાભ લીધો હતો.શીતળા તેરસ નિમિતે માતા ના દર્શન કરવા માટે આજે વહેલી સવાર થીજ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ લાગી હતી.
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ