Skip to main content

Posts

Showing posts from May 29, 2018

તબીબી બેકાળજી અંગેના આક્ષેપોની તપાસ કરવા રચાયેલી સમિતિએ જી.કે. ને આપી કલીનચીટ : GAIMS

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકોના મોત અંગે તપાસ કરવા રચાયેલી સમિતિએ હોસ્પિટલને કલીનચીટ આપી છે. કમિટી એવા તારણો પર આવી છે કે તમામ દર્દીઓની વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ અને સ્ટાન્ડર્દ્દ માર્ગરેખાઓ પ્રમાણે કરવામાં આવી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ ટર્શીયરી સેન્ટર હોવાના કારણે તથા GAIMS ને અન્ય હોસ્પિટલો દ્વારા નોંધપાત્ર સંખ્યામાં આવા કેસ રીફર કરવામાં આવે છે. આ કમિટીએ હોસ્પિટલના સ્ટાફ માટે તાલીમમાં સુધારો કરવા અંગે પણ ભલામણ કરી છે. (પ્રેસ રીપોર્ટ) GAIMSના મેડીકલ ડીરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ જણાવે છે કે "સમિતિએ અમારા વલણનો પુનરોચ્ચાર કર્યો છે તેનો અમને આનંદ છે. અમે સરકાર સાથે મળીને આ હોસ્પિટલમાં કવોલીફાઈડ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને આકર્ષવા અને જાળવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમારો વ્યાપક ઉદેશ્ય કચ્છના ગ્રામ્ય પ્રદેશના લોકોને ગુણવતાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે." ડો. ભાગ્યેશ વ્યાસ-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક જામનગર, ડો. હિમાંશુ જોષી-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક ગાંધીનગર અને ડો. કમલ ગોસ્વામી-એડીશનલ પ્રોફેસર ઓફ ગાયનોકોલોજીસ્ટ, રાજકોટની બનેલી કમિટીએ તમામ નવજા

હેકિંગથી બચવા વૈજ્ઞાનિકોએ તૈયાર કરી નવી એપ..

મોબાઇલ એ અત્યાર સુધીની શોધમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ સર્જન છે. દરેક કામ આજની તારીખમાં મોબાઇલ દ્વારા થઇ જાય છે. નાનકડી કમ્યૂનિકેશન ડિવાઇસ આપણા દરેક કામને આસાન બનાવે છે. આ સુવિધાનો આપણને ભરપૂર લાભ લઇએ છીએ. હજારો કિલોમીટર દુર રહેતા આપણા સગા વહાલા સાથે વિડીયો કોલ પર વાત કરી શકાય છે. એક બીજાને ફોટા મોકલી શકાય છે. મોબાઇલથી આજે દરેક વસ્તુ પોસીબલ બની ગઇ છે. સાથે જ આપણને એક અજાણ્યો ડર પણ સતાવે છે. કોઇ આપણો ડેટા ચોરી તો નહી લે ને.. આપણા અંગત ડોક્યુમેન્ટનો ગેરફાયદો તો નહી ઉઠાવે ને.. અથવા તો આપણા ડેટા દ્વારા તે કોઇ ગેરકાયદેસર કામ તો નહી કરે ને. જો તમને પણ આવો ડર સતાવતો હોય તો હવે ડરવાની જરૂર નથી. કારણકે વૈજ્ઞાનિકોએ એક એવી એપ શોધી છે, જેના દ્વારા હેકર તમારા ફોનને હેક નહી કરી શકે. જો તે હેક કરવાની કોશિશ પણ કરશે તો તે કામયાબ નહી થઇ શકે. આ એપ બનાવતી વખતે તેમને ઘણી પ્રોબ્લેમ ફેસ કરવી પડી હતી. ઓસ્ટ્રેલિયાની સેંટ પોલ્ટેન યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાઇન્સના સંશોધકોએ આ એપનું નિર્માણ કર્યું છે. આ એપ્લીકેશન સાઉન્ડ કુકીઝને શોધ્યા બાદ જે-તે મોબાઇલના યુઝરને ચેતવે છે. જો તમે ઇચ્છો તો આ સુવિધાને બંધ પણ કરી શકો છો. થ

બેંકની જેમ પોસ્ટ અોફિસની તમામ સેવા ઓનલાઈન થશે...

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે લિંક કરવાની સરકારે પરવાનગી આપી દેતાં હવે પોસ્ટ ઓફિસ ખાતાધારક પણ પોતાનાં ખાતામાંથી બીજા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે એટલું જ નહીં ખાતેદાર દેશના કોઇપણ ખૂણેથી નાણાં ઉપાડી જે જમા કરાવી શકશે. પોસ્ટ ઓફિસ ખાતાધારક એનઇએફટી, આરટીજીએસ અને અન્ય વૈકલ્પિક મની ટ્રાન્સફર સુવિધાનો લાભ લઇ શકશે. પોસ્ટ ઓફિસ ખાતાધારક એટીએમનો ઉપયોગ કરી શકશે તેના માટે તેણે એટીએમ સુવિધા માટેનો કોઇ ચાર્જ નહીં આપવો પડે. પોસ્ટ ઓફિસ ખાતાધારકને મોબાઇલ એલર્ટ (મેસેજ) આપશે તેનો પણ કોઇ ચાર્જ લેવામાં નહીં આવે, ક્વાર્ટરલી બેલેન્સ મેન્ટેન કરવા માટે ખાતાધારકને કોઇ ચાર્જ આપવો પડશે નહીં.ખાતાધારકને પોસ્ટ ઓફિસ ઇ-બેન્કિંગ સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપશે. અન્ય બેન્કોની સરખામણીએ પોસ્ટ ઓફિસ તેમના ખાતાધારકોને વધારે વ્યાજ આપે તેવી શકયતા છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની સુવિધા રાજ્યભરની પોસ્ટ ઓફિસમાં શરૂ થશે જેનાં ખાતા ધારકોને ડિજિટલ બેન્ક સેવાનો લાભ મળશે પરંતુ લોન સેવાનો લાભ મળી શકશે નહીં. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થઇ રહી છે. ત્યારે પોસ્ટલ કર્મચારીઓને તેમની રજા સહિતની તમામ રજૂઆતો ઓનલાઇન ઇનેઇવથી

3 દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, તમિલનાડુ તરફ આગળ વધ્યું...

ઉત્તર ભારતમાં ભયંકર ગરમીની વચ્ચે ચોમાસું કેરળ પહોંચી ગયું છે. મીટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, નક્કી તારીખ 1 જૂનના 3 દિવસ પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયું છે. તેની અસરથી કેરળ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ ચોમાસું હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં તે મધ્ય અરબ એશિયા અને કેરળના બાકી બચેલા હિસ્સાઓને પણ કવર કરી લેશે. હવામાન વિભાગે આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. દેશના ચોમાસાનું આગમન કેરળથી જ થાય છે. કેરળ પહોંચવાની નક્કી તારીખ 1 જૂન હતી. જોકે તેના બે દિવસ પહેલા જ કેરળ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. સ્કાયમેટના સીઇઓ જતીનસિંહે જણાવ્યું કે કેરળમાં ચોમાસાની સ્થિતિ સર્જાઇ છે અને એવું કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે. તમામ હવામાન કેન્દ્રો પર સતત બે દિવસથી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હવાઓના આધારે પણ કહી શકાય કે વરસાદની ઋતુ આવી ગઇ છે. હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા જણાવે છે કે, દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના આગામી 24 કલાકમાં દક્ષિણ અરબ સાગર, કેરળ

અંજાર પોલીસ સ્ટેશન નજીક હિન્દ સોસાયટીમાં ચોરી નો કરાયો પ્રયાસ..

અંજાર પોલીસ સ્ટેશન ની નજીક આવેલી જય હિન્દ સોસાયટી માં ગત રાત્રે ચોરી નો પ્રયાસ થતા રહેવાસીઓ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સોસાયટીમાં આવેલા એક મકાનની છત પર આવેલી બારીની ગ્રીલ તોડીને તસ્કરો ઘર માં ત્રાટકયા હતા અને ઘર ના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે મકાન માલીક મુંબઇ ખાતે રહેતા હોવાથી ઘરમાં કોઈ કિંમતી વસ્તુ કે રોકડ રકમ હતી નહિ.  જેથી તસ્કરોને ચોરીમાં સફળતા મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સોસાયટી થોડા દિવસો અગાઉ  બે ઘર મા ચોરી થઈ હતી અને જેમાં તસ્કરોએ મોટી રકમ સાથે દાગીના ની ચોરી કરી હતી. ત્યારે આ મામલે હજી સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી ત્યાં હજી એક વાર ઘરમાં ચોરીનો પ્રયાસ થયો છે. વારંવાર ચોરી ના વધી રહેલા બનાવ અંગે રહેવાસીઓ પણ નારાજગી દર્શાવી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ક્ચ્છ યુનિવર્સિટીનો એક નિર્ણય કે જેનો ABVP એ કર્યો વિરોધ..

ક્ચ્છ યુનિવર્સિટી એ તાજેતરમાં એક નિર્ણય લીધો હતો અને જે મુજબ જે વિદ્યાર્થીઓ ને સેમ - 1 અને સેમ - 2 માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને સેમ - 5 માં પ્રવેશ આપવો નહિ. યુનિવર્સિટી ના આ નિર્ણય ને એબીવીપી એ મનસ્વી ગણાવ્યો હતો અને આ નિણર્ય નો ઉગ્ર વિરોધ કરીને આજે ક્ચ્છ યુનિવર્સિટી માં વીસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટી એ લીધેલા આ હિટલરશાહી નીતિ ભર્યા નિર્ણયનો છાત્રોએ વિરોધ નોંધાવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી એ લીધેલા આ નિણર્ય નો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પરિપત્રને રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આ અંગે આઠ દિવસમાં કોઈ નિણર્ય નહિ લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી આજે કચ્છની મુલાકાતે..

ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ભુજ ખાતે જિલ્લા ભાજપની સંકલન બેઠક યોજવામાં આવી હતી. આવનારા સમયમાં કચ્છની નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માં હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાની છે ત્યારે નવા પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવશે. જે અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી ની અધ્યક્ષતામાં આ સંકલન બેઠક યોજવામાં આવી હતી. કચ્છના પંચાયતી રાજમાં જેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયેલ છે ત્યારે તેમના સ્થાને નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો ની નિમણૂક કરવા માટે નવા હોદ્દેદારોની ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. જે બાદ તેમની સમીક્ષા કરી ને આ તેની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરવામાં આવશે અને નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવશે. પ્રદેશ મહામંત્રી એ જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અંગે કેન્દ્ર સરકાર જાગૃત છે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે અને ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત મામલે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37,