Skip to main content

તબીબી બેકાળજી અંગેના આક્ષેપોની તપાસ કરવા રચાયેલી સમિતિએ જી.કે. ને આપી કલીનચીટ : GAIMS

ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકોના મોત અંગે તપાસ કરવા રચાયેલી સમિતિએ હોસ્પિટલને કલીનચીટ આપી છે. કમિટી એવા તારણો પર આવી છે કે તમામ દર્દીઓની વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ અને સ્ટાન્ડર્દ્દ માર્ગરેખાઓ પ્રમાણે કરવામાં આવી હતી. જી.કે. જનરલ હોસ્પિટલ ટર્શીયરી સેન્ટર હોવાના કારણે તથા GAIMS ને અન્ય હોસ્પિટલો દ્વારા નોંધપાત્ર સંખ્યામાં આવા કેસ રીફર કરવામાં આવે છે. આ કમિટીએ હોસ્પિટલના સ્ટાફ માટે તાલીમમાં સુધારો કરવા અંગે પણ ભલામણ કરી છે.
(પ્રેસ રીપોર્ટ)
GAIMSના મેડીકલ ડીરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ જણાવે છે કે "સમિતિએ અમારા વલણનો પુનરોચ્ચાર કર્યો છે તેનો અમને આનંદ છે. અમે સરકાર સાથે મળીને આ હોસ્પિટલમાં કવોલીફાઈડ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોને આકર્ષવા અને જાળવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમારો વ્યાપક ઉદેશ્ય કચ્છના ગ્રામ્ય પ્રદેશના લોકોને ગુણવતાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે."

ડો. ભાગ્યેશ વ્યાસ-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક જામનગર, ડો. હિમાંશુ જોષી-હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, પેડીયાટ્રીક ગાંધીનગર અને ડો. કમલ ગોસ્વામી-એડીશનલ પ્રોફેસર ઓફ ગાયનોકોલોજીસ્ટ, રાજકોટની બનેલી કમિટીએ તમામ નવજાત બાળકોના કેસ પેપર્સ અંગેનો ડેટા મેળવીને તેની સમિક્ષા કરી હતી. કમિટીએ નિયોનેટલ આઈસીયુ, લેબર રૂમ અને નર્શીગસ્ટાફ તેમજ લેબર રૂમના ઇન્ચાર્જ સિસ્ટર્સ તથા ઓબી અને ગાયનેક ઓટી ના ઇન્ચાર્જ સહીતના લોકો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
(પ્રેસ રીપોર્ટ)
કમિટીના અહેવાલમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે નિયોનેટલ આઈસીયુ માં યોગ્ય માળખાગત સુવિધાઓ તેમજ વોર્મર્સમાટે પુરતી જગા છે. યોગ્ય લાઈટીંગ છે. ૫ વેન્ટીલેટર્સ છે, ૩ સીપીએપી મશીન્સ, પલ્સ ઓક્ઝીમીટર અને મલ્ટીપેરા મોનીટર્સ છે. એબીજી અને સીરમ બીલરૂબીન જેવી નિદાન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

હોસ્પીટલમાં સતત ચાલી રહેલા પ્રયાસો મુજબ વધુ ગતિવિધિ તરીકે હોસ્પિટલ અને એસએનસીયુનો નર્સિંગ સ્ટાફ તથા લેબર રૂમના સ્ટાફને નવજાત બાળકની સંભાળ અંગે આવશ્યક તાલીમ આપવામાં આવશે. વધુ ફેકલ્ટી મેમ્બર્સ અને રેસીડેન્ડ ડોક્ટર્સની નિમણુક પણ કરવામાં આવશે, જેથી પેડીયાટ્રીક ડીપાર્ટમેન્ટમાં હાલના ડોક્ટરોની સંખ્યાને પુરક બની શકે. એનઆઈસીયુમાં મેડીકલ ઓફિસરની જગા પણ ટૂંક સમયમાં ભરવામાં આવશે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv