Skip to main content

Posts

Showing posts from October 15, 2018

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજ્યના મંત્રી મંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંદર્ભે યુ.પી.ના સી.એમ. યોગી ને મળ્યા..

કચ્છના પનોતા પુત્ર અને હાલ જ્યારે કચ્છ માં અછત ની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કચ્છની વહારે આવેલા અને કચ્છના પશુધન માટે માતબર રકમ ની દાન ની સરવાણી વહાવનાર તેમજ સતત પ્રજાકીય પશ્નો સાંભડી ને પ્રશ્નો ને વાચા આપવા તત્પર એવા માંડવી મુંદ્રા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આમંત્રણ પાઠવવા યોગી આદિત્યનાથ ના નિવાસ સ્થાને ગયેલ હતા. આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ એ હતું કે આગામી તારીખ ૩૧ ઓક્ટોબર ના રોજ ગુજરાત માં બનનાર સ્ટેચ્યુ ઑફ યુનિટી-સરદાર પટેલ ના ભવ્ય સ્મારક ને ખુલ્લુ મૂકવામાં આવશે જેનું આમંત્રણ પાઠવવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ખાસ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ ની આ પ્રતિમા કે જેને સ્ટેચ્યું ઓફ યુનિટી નામ અપાયું છે તે વિશ્વમાં સૌથી વધુ ઊચાઇ ધરાવતી પ્રતિમા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsin