Skip to main content

Posts

Showing posts from May 28, 2018

ઓમાનમાં ભયાવહ વાવાઝોડું : ૩ ભારતીય સહિત ૧૪ મોત

ઓમાન અને યમનના આઈલેન્‍ડ સોકોત્રા ખાતે ૧૭૦ કિલોમીટ પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાં ‘મેકુનુ'ને કારણે ત્રણ ભારતીયો સહિત ૧૪ લોકોનાં મોત થયા છે અને હજી ૪૦ લોકો લાપતા છે, જેમાં ભારતીયો પણ છે. ઓમાનમાં અનેક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વસેલા છે અને ત્‍યાંના સમુદ્રમાં માછીમારી કરનારા પણ અનેક ગુજરાતીઓ છે, જેને કારણે ગુજરાતમાં પણ ચિંતા પ્રવર્તી રહી છે. કેન્‍દ્ર સરકારે તેમને મદદ કરવા માટે નૌકાદળના બે જહાજ રવાના કરી દીધા છે. મસ્‍કત ખાતે ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ફેસબુક પેજ પર એક નિવેદન કર્યું છે કે ભારતીય નૌકાદળના બે જહાજ-આઈએનએસ દિપક અને આઈએનએસ કોચી-મુંબઈથી શનિવારે જ રવાના કરી દેવાયા હતા જે ત્‍યાં પહોંચી ગયા છે. અનાજ સહિત માનવીય જરૂરિયાતની વસ્‍તુઓ તથા હેલિકોપ્‍ટરથી સજ્જ આ જહાજ ત્‍યાં પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરીમાં તે લાગી જશે. ઓમાનની સેનાને પણ તેની જાણ કરી દેવાઈ છે અને તેના નાગરિકોની મદદ માટે પણ તે જરૂર પડશે તો કામ કરશે. વાવાઝોડું ‘મેકુનુ' વધુ તીવ્ર બનીને કેટેગરી-૧માંથી કેટેગરી-૨માં પરિવર્તિત થયા બાદ તે ઓમાનના ધોફર અને અલ-વુસ્‍તા પ્રાંતમાં શનિવારે ત્રાટક્‍યું હતુ

ઘડુલીમાં વાહનની ટક્કરથી જર્જરિત વીજપોલ ધરાશાયી, પુરવઠો ખોરવાયો

લખપત તાલુકાના ઘડુલીમાં વાહન અડફેટે એક જર્જરીત વિજપોલ ધરાશાયી થતાં ગામનો વિજ પુરવઠો ત્રણેક કલાક સુધી ખોરવાઇ જતાં ગ્રામજનોને આકરી ગરમીમાં વિજતંત્રના વાંકે ગરમીમાં શેંકાવાનો વારો આવ્યો હતો. ઘડુલી-લાખાપર રોડ પર આ ઘટના ઘટી હતી. લખપત તાલુકા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેન એન.એ.રાયમાએ આક્રોશ સાથે જણાવ્યું કે રહેણાક વિસ્તારમાં આવેલો આ વીજથાંભલો જર્જરીત હાલતમાં હોવા અંગે અગાઉ અનેકવાર ફરિયાદ કરવા છતાં પીજીવીસીએલે તે તરફ દુર્લક્ષય સેવી વિલંબકારી નીતી અપનાવતાં આ દુર્ઘટના ઘટી હતી. જે સમયે આ ઘટના ઘટી ત્યારે વાહન અથડાવવાના લીધે થાંભલામાં ભડકો થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સદનસીબે આ ઘટના ઘટવા સમયે કોઇ વ્યકિત હાજર ન હોતાં કોઇ મોટી હાની થઇ નહોતી. ઘટનાસ્થળે દોડી આવેલી વિજતંત્રની ટીમે નવા વિજપોલમાં કનેકશન આપી પુરવઠો પુન:ચાલુ કરાવ્યો હતો. Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર, 67.50 ટકા પરિણામ..

કારકીર્દીના ઉંબરા સમાન સૌથી મહત્વની ગણાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ વહેલી સવારે વેબસાઈટ પર જાહેર થઈ ગયુ છે. ધોરણ 10ના પરિણામને gseb.org અને gipl.net પર જોઈ શકાય છે. આ વર્ષે ધોરણ 10નું 67.50 ટકા પરિણામ આવ્યુ હતુ. જે ગતવર્ષ કરતા પણ નીચું છે. ગત વર્ષે ધોરણ 10નું 68.24 ટકા પરિણામ હતુ. જ્યારે આ વર્ષે 67.50 ટકા પરિણામ છે. આ વર્ષે પર સુરતી વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે. આ વર્ષે 80.06 ટકા સાથે સૌથી ઉંચુ પરિણામ સુરત જિલ્લાનું છે. તો દાહોદ જિલ્લાનું સૌથી નીચુ 37.35 ટકા પરિણામ આવ્યુ છે. રીઝલ્ટ જોવા અહી ક્લિક કરો... જૂનાગઢના ખોરાસા કેન્દ્રનું રાજ્યમાં સૌથી વધુ 96.93 ટકા પરિણામ આવ્યુ છે.તો દાહોદના સુખસરનું 5.93 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 એસએસસીનું પરિણામ જાહેર થતા સારા માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. વિદ્યાર્થીઓએ એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા. તો સાથે જ માતા-પિતાના આશિર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા.અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કુલમાં વિદ્યાર્થીઓએ સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે જ તેઓએ પોતાને મળેલી સફળતાના ફંડા શેર કર્યા હતા. સવારે 11 વાગ્યાથ