Skip to main content

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર, 67.50 ટકા પરિણામ..

કારકીર્દીના ઉંબરા સમાન સૌથી મહત્વની ગણાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ વહેલી સવારે વેબસાઈટ પર જાહેર થઈ ગયુ છે. ધોરણ 10ના પરિણામને gseb.org અને gipl.net પર જોઈ શકાય છે. આ વર્ષે ધોરણ 10નું 67.50 ટકા પરિણામ આવ્યુ હતુ. જે ગતવર્ષ કરતા પણ નીચું છે. ગત વર્ષે ધોરણ 10નું 68.24 ટકા પરિણામ હતુ. જ્યારે આ વર્ષે 67.50 ટકા પરિણામ છે. આ વર્ષે પર સુરતી વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે. આ વર્ષે 80.06 ટકા સાથે સૌથી ઉંચુ પરિણામ સુરત જિલ્લાનું છે. તો દાહોદ જિલ્લાનું સૌથી નીચુ 37.35 ટકા પરિણામ આવ્યુ છે.



જૂનાગઢના ખોરાસા કેન્દ્રનું રાજ્યમાં સૌથી વધુ 96.93 ટકા પરિણામ આવ્યુ છે.તો દાહોદના સુખસરનું 5.93 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 એસએસસીનું પરિણામ જાહેર થતા સારા માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. વિદ્યાર્થીઓએ એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા. તો સાથે જ માતા-પિતાના આશિર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા.અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કુલમાં વિદ્યાર્થીઓએ સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે જ તેઓએ પોતાને મળેલી સફળતાના ફંડા શેર કર્યા હતા. સવારે 11 વાગ્યાથી માર્કશીટ અને પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

આ વર્ષે ગુજરાતમાં કુલ 11 લાખ વિદ્યાર્થીઓએ આ પરિક્ષા આપી હતી. આ પરિક્ષામાં બૉર્ડ દ્વારા 10 માર્ક સુધી ગ્રેસિંગ આપી પરિણામ સુધારવામાં આવી શકે છે. આ વર્ષે 10 ટકાથી વધુનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાહેર થનારા રીઝલ્ટમાં કુલ 1566 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર નહીં કરાય અને જે અનામત રાખવામા આવશે.


ધો.10 ની બોર્ડ પરીક્ષામા આ વર્ષે ગણિતનું પેપર રૂપરેખા બહારનું હોવા સાથે ખૂબ જ અઘરૂં પુછાતા રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો અને ગ્રેસિંગની માંગ કરી હતી. પરંતુ બોર્ડે અત્યાર સુધી ગ્રેસિંગ આપવાની કોઈ પણ જાહેરાત કરી નથી કે સ્પષ્ટતા કરી નથી. જો કે મળતી માહિતી મુજબ સરકારને ગ્રેસિંગ આપવું જ પડે તેમ છે કારણકે જો ગ્રેસિંગ નહીં અપાય તો પરિણામ ખૂબ જ ઓછુ આવે તેમ છે. જેથી દર વર્ષ કરતા આ વર્ષે વધારે ગ્રેસિંગ સાથે ૧૦ ટકાથી વધુનુ ગ્રેસિંગ અપાય તેવી શક્યતા છે. 11 લાખથી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે 10.5 લાખથી વધુ વિદ્યાર્થીએ આ વર્ષે પરીક્ષા આપી છે અને જેમાંથી રૂબરૂ કાપલીઓ સાથે પકડાયેલા 105 વિદ્યાર્થીઓનું હિયરીંગ પૂર્ણ કરી દેવાયુ છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજમાં પકડાયેલા 1231 અને માસ કોપી કેસમાં પકડાયેલા ગોંડલ, મોટા પાંડા તથા કવાલી સહિતના કેન્દ્રોના 230 વિદ્યર્થીઓના પરિણામ પણ આજે જાહેર નહીં કરાય અને અનામત રખાશે. સીસીટીવી ફુટેજમાં પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી 4થી જુનથી શરૂ થશે.
ADD.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv