Skip to main content

Posts

Showing posts from January 28, 2018

ભચાઉ વોંધ પાસે અકસ્માત : 4 મોત ,1નો ચમત્કારીક બચાવ

 🖋 ભચાઉના વોંધ નજીક કન્ટેઈનર ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં 4 લોકોના મોત. ( ભોગ બનનનાર પરિવારની કાર )   નિવૃત્ત ઈજનેર પુરુષોત્તમ ભાલારા નાં પરિવાર ને નડ્યો ગોઝારો અકસ્માત , પત્ની, પુત્ર અને પુત્ર વધુ સહિત 4 નાં મોત , પૌત્રીનો ચમત્કારીક બચાવ. ( અકસ્માતની ગંભીરતા દેખાડતી તસ્વીર )

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ..

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ.. સમાજના ભાઈઓએ ભુજપુર-મુન્દ્રા હાઈવે કર્યો બંધ કરી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો.. અસામાજિક તત્વોનો ત્રાસ આજકાલ સમગ્ર કચ્છમાં વર્તાઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક કિસ્સો સપાટી પર આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકર ના બેનર ને પોસ્ટર કોઈ અસામાજિક તત્વોએ બાળી દેતા સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. નરેશભાઈના જણાવ્યા અનુસાર ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકરનું બેનર લગાવવામાં આવેલુ હતું. જેને ગત રાત્રે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો એ બાળી નાખતા સમગ્ર સમાજના ભાઈઓ, સમગ્ર નાની મોટી ભુજપુર સમાજ તેમજ પંચાયત દ્વારા રેલી કાઢી ને વિરોધ દર્શાવામાં આવેલ છે. હાલ ભુજપુર-મુન્દ્રા હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. ઘોર કલયુગ : સગી માતાએ જ દીકરીને પોતાના આશિક સાથે ના અનૈતિક સંબધોની કલીપ ઉતારવા કરી મજબુર.. અવારનવાર પોલીસ ચોપડે અનૈતિક સંબધોના કિસ્સાઓ નોંધાતા જ હોય છે અને આવા કિસ્સામાં લગભગ બન્ને પરીવારો પીસાતા હોય છે એટલે કે ભોગ બનતા હોય છે. આવા કિસ્સામાં ક્યારેક પીડિતનો પરિવાર કોઈ ડર થી કે ક્યારેક કોઈ શરમ થી પોલીસ નો સાથ લેવામાં ખચકાટ અનુભવતા હોય છે. આજે અમારા ધ્યાને આવો જ એક કિસ્સો આવ્યો છે જેમાં રાવલવાડી ખાતે રહેતી એક પરિણીતાનો ભુજ ના જ ભાનુશાલી નગર ખાતે રહેતા એક શખ્સ સાથે લગભગ છેલ્લા ૩ વર્ષથી અનૈતિક સંબંધો હતા. પરિણીતાના સાસરા પક્ષને પણ આ બાબતની સંપૂર્ણ માહિતી થોડા સમયના અંતરાલમાં મળી ગઈ હતી પરંતુ પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવતો આ શખ્સ પરિણીતાના સાસરિયાને અવારનવાર ધમકી આપતો કે જો અમારા સંબંધની જાણ બીજા કોઈને થઇ કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાખીસ, અને એકવાર સગી માતાએ જ પોતાની ૯ વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથેના પ્રેમ સંબધોની પળોને ફોનમાં ઉતારવાનું કહ્યું ત્યારે ખરેખર ઘોર કલયુગ આવી ગયો છે તેમ ચોક્કસપણે કહી શકાય અને આ સ